Assembly Election Result 2023 : પાર્ટી બદલાઇ પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાનો પ્રભાવ યથાવત, ગ્વાલિયર-ચંબલમાં 34 માંથી 26 બેઠકો પર ભાજપ આગળ

Assembly Election Result 2023 : ચંબલ-ગ્વાલિયર વિભાગમાં 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં કુલ 34 વિધાનસભા બેઠકો છે. આ જિલ્લાઓમાં ગુના, મુરૈના, ગ્વાલિયર, શિવપુરી, ભીંડ, દતિયા, અશોકનગર અને શ્યોપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો પ્રભાવ ઘણો વધારે છે અને ચૂંટણીના પરિણામોમાં પણ તે જોવા મળે છે.

Assembly Election Result 2023 : ચંબલ-ગ્વાલિયર વિભાગમાં 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં કુલ 34 વિધાનસભા બેઠકો છે. આ જિલ્લાઓમાં ગુના, મુરૈના, ગ્વાલિયર, શિવપુરી, ભીંડ, દતિયા, અશોકનગર અને શ્યોપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો પ્રભાવ ઘણો વધારે છે અને ચૂંટણીના પરિણામોમાં પણ તે જોવા મળે છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Assembly Election Result 2023 | Jyotiraditya Scindia | Madhya Pradesh Election 2023

એક રેલી દરમિયાન અમિત શાહ સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા (તસવીર - એએનઆઈ)

Assembly Election Result 2023 : મધ્ય પ્રદેશની 230 વિધાનસભા બેઠકોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીતતી જોવા મળી રહી છે. ટ્રેન્ડ મુજબ ભાજપ 160થી વધુ સીટો પર આગળ છે. તેમાં ચંબલ-ગ્વાલિયર ડિવિઝનની 34માંથી 26 બેઠકો પણ સામેલ છે, જ્યાં ભાજપ આગળ છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તાર બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનો છે. સિંધિયા ગ્વાલિયરના સાંસદ છે અને તેમનો પ્રભાવ તેમના વિસ્તારમાં યથાવત છે.

Advertisment

આ 8 જિલ્લામાં સિંધિયાનો પ્રભાવ છે

ચંબલ-ગ્વાલિયર વિભાગમાં 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં કુલ 34 વિધાનસભા બેઠકો છે. આ જિલ્લાઓમાં ગુના, મુરૈના, ગ્વાલિયર, શિવપુરી, ભીંડ, દતિયા, અશોકનગર અને શ્યોપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો પ્રભાવ ઘણો વધારે છે અને ચૂંટણીના પરિણામોમાં પણ તે જોવા મળે છે.

કોંગ્રેસે 2018માં 26 બેઠકો જીતી હતી

તમને જણાવી દઈએ કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ અહીં 26 સીટો જીતી હતી. તે સમયે સિંધિયા કોંગ્રેસ પાર્ટીમાં હતા. કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર રાજ્યમાં 114 બેઠકો જીતી હતી પરંતુ સિંધિયા 2020 માં ભાજપમાં જોડાયા પછી, સત્તા પરિવર્તન થયું અને કોંગ્રેસ સરકારના પતન પછી ભાજપે સરકાર બનાવી હતી. આ દર્શાવે છે કે પાર્ટી બદલાવા છતાં સિંધિયા માટે લોકોનો પ્રેમ અકબંધ છે.

આ પણ વાંચો - શું પ્રથમ ટેસ્ટમાં જ ફેઇલ થયું ઇન્ડિયા ગઠબંધન, એમપી-છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો શું સંકેત આપે છે?

Advertisment

સિંધિયા માર્ચ 2020માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા

જ્યોતિરાદિત્ય સિંધિયા માર્ચ 2020માં કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. બીજેપીમાં જોડાઈને સિંધિયાને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સિંધિયાએ અહીં ભાજપ માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો અને તેની અસર દેખાઈ રહી હતી કારણ કે ભાજપે અહીં કોંગ્રેસને પછાડી દીધી છે.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 વિધાનસભા ચૂંટણી 2023 મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2023 ચૂંટણી 2023 ભાજપ