/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Vummidi-Ethiraj-Sengol-9.jpg)
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી. (@bageshwardham)
KRK post video of Bageshwar dham baba dheerendra shastri: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દિવ્ય દરબાર અને નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેઓ, શીખ અંગે આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. તેમણે કહ્યું કે શીખ સનાતન ધર્મની સેનાનો હિસ્સો છે, જેના કારણે શીખ ધર્મના લોકો ખૂબ નારાજ થયા છે. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને ક્રિટિક કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચોથું ધોરણ નાપાસ ગણાવ્યા છે.
KRK એ એક વીડિયો શેર કર્યો છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એક અગ્રણી ન્યૂઝ ચેનલના પત્રકાર સાથે વાતચીત કરી રહ્યા છે. અંતમાં એન્કર તેમને કહે છે, "થેક્યું, યુ આર એ ગુડ સ્પીકર (thank you you are a good speaker/ આભાર, તમે સારા વક્તા છો." ધીરેન્દ્ર શાસ્ત્રીને લાગે છે કે ઈન્ટરવ્યુ પૂરો થઈ ગયો છે, ત્યારે તેમણે તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિને પૂછ્યું, 'thank you you are a good speaker' નો શું અર્થ થાય છે?" આ વીડિયો સાથે કેઆરકેએ કેપ્શન લખ્યું છે, "આ રહ્યો ચોથું ધોરણ નાપાસનો પુરાવો."
ये रहा चौथी फेल का सबूत!! pic.twitter.com/EIQzU5uFMw
— KRK (@kamaalrkhan) July 10, 2023
KRKની આ પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. વિનોદ મિશ્રા નામના એક યુઝરે લખ્યું, 'તુમ કોન સે ત્રીસ માર ખાન હો, યૂ ટૂ સ્પીઝ પીપલ', તો અમુક લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના એવા વીડિયો કમેન્ટમાં પોસ્ટ કર્યા છે, જેઓ તેમની પોલ ખોલવા માંગે છે.
તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં સત્સંગ માટે ગયા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ કમિટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરવામાં આવ્યું છે.
आवश्यक सूचना-
परम पूज्य बागेश्वर धाम सरकार का पूरे भारत वर्ष में कार्यक्रम आयोजित हो रहे है…अनजाने हज़ारो कमिटी और मण्डल धन उपार्जन के लिए आम लोगो को बरगला रहे है…बागेश्वर धाम जन सेवा समिति ये घोषणा करती है ना उनकी कोई शाखा है ना कोई मण्डल ना ऑफिस…किसी के झाँसे में या बहकावे… pic.twitter.com/V4fr74w64e— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 10, 2023
આ પણ વાંચોઃ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારમાં કોણ છે? કેવી રીતે બાબા બન્યા? ઉંમર કેટલી? જાણીએ બધુ જ
'જય હો, પરમ પૂજ્ય બાગેશ્વર ધામ સરકારના સમગ્ર ભારતભરમાં કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. ઘણી બધી અજાણી કમિટીઓ અને મંડળો નાણાં એકઠાં કરવા માટે સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. બાગેશ્વર ધામ જનસેવા સમિતિ ઘોષણા કરે છે કે તેમની કોઇ શાખા, કોઇ મંડળ કે ઓફિસ નથી. કોઇના કહેવામાં આવવું નહીં. જો કોઇ વ્યક્તિને બાગેશ્વર ધામ ખાતે ચાલી રહેલી સેવામાં સહાયતા કરવી હોય તો સીધા ઓફિસનો સંપર્ક કરવો. ગુરુદેવને મળવા માટે, અરજી કરવા માટે કોઇ પણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી. જો કોઇ વ્યક્તિ તમારી પાસેથી નાણાં માંગે તો સીધા ધામ ખાતે કે કાર્યક્રમ સ્થળની નજીકની ઓફિસનો સંપર્ક કરવો.'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us