Modi Documentary Controversy: ‘ગરીબ, નિરાધાર’ બની કોણે BBC પર 10,000 કરોડનો દાવો ઠોક્યો?

BBC Modi Documentary Controversy : ગુજરાતની એક એનજીઓ (gujarat NGO) એ દિલ્હી હાઈકોર્ટ (delhi high court) સમક્ષ બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયા ધ મોદી ક્વેશ્ચન' (india the modi question) વિરુદ્ધ 10000 કરોડનો દાવો ઠોક્યો છે. ગુજરાત સ્થિત એનજીઓ 'જસ્ટિસ ઓન ટ્રાયલ'એ 'ઈન્ડિજેન્ટ પર્સન' (indigent person) તરીકે દાવો દાખલ કરવાની પરવાનગી માંગી છે.

Updated : May 23, 2023 17:25 IST
Modi Documentary Controversy: ‘ગરીબ, નિરાધાર’ બની કોણે BBC પર 10,000 કરોડનો દાવો ઠોક્યો?
બીબીસી મોદી ડોક્યુમેન્ટ્રી વિવાદ (Photo: Delhi High Court Website)

પ્રભાત ઉપાધ્યાય : દિલ્હી હાઈકોર્ટે ગુજરાતની એક NGO દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી દરમિયાન BBCને નોટિસ જાહેર કરી છે. એનજીઓએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, બીબીસી ડોક્યુમેન્ટ્રીના કારણે ભારતની ગરિમા, દેશના ન્યાયતંત્ર અને દેશના વડાપ્રધાનને ઠેસ પહોંચી છે. બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા ધ મોદી ક્વેશ્ચન’ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી.

કોણે કર્યો કેસ?

ગુજરાત સ્થિત એનજીઓ ‘જસ્ટિસ ઓન ટ્રાયલ’એ બીબીસી પાસેથી રૂ. 10,000 કરોડની નુકસાની માંગી છે. તેમની અરજીમાં, સંસ્થાએ ‘ઈન્ડિજેન્ટ પર્સન’ (નિર્ધન વ્યક્તિ) તરીકે દાવો દાખલ કરવાની પરવાનગી માંગી છે. ‘જસ્ટિસ ઓન ટ્રાયલ’ એ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલ સોસાયટી છે. તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 હેઠળ પણ નોંધાયેલ છે. તેની અરજીમાં, સંસ્થાએ સિવિલ પ્રોસિજર કોડ (CPC) ના ઓર્ડર નંબર 33 ને ટાંકીને ‘ઈન્ડિજેન્ટ પર્સન’ તરીકે દાવો દાખલ કરવાની પરવાનગી માંગી છે.

‘ઇન્ડિજન્ટ પર્સન’ કોણ છે?

બ્લેક લો ડિક્શનરી અનુસાર, ‘ઈન્ડી જેન્ટીલ પર્સન’, એવી વ્યક્તિ છે, જે જરૂરિયાતમંદ અથવા ગરીબ છે, તેની પાસે નિર્વાહનું કોઈ સાધન નથી અને તેની સંભાળ રાખનાર કોઈ નથી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ આદર્શ તિવારી Jansatta.com ને કહે છે કે, ‘ઈન્ડિજન્ટ પર્સન’ એક રીતે ગરીબોની સૌથી નીચી શ્રેણી છે. ‘આદિવાસી વ્યક્તિ’ અથવા ગરીબ વ્યક્તિ, જેની પાસે કેસ દાખલ કરવા અથવા રહેવા માટે કોઈ સંસાધનો નથી.

એડવોકેટ આદર્શ કહે છે કે, જિલ્લા ન્યાયાલયથી લઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં લીડલ એડ સર્વિસિસ છે. જ્યાં નિમ્ન તથા મધ્યમ આવક જૂથો માટે સેવાઓ ઉપલબ્ધ છે. આ લોકોને કોર્ટ ફી ચૂકવવી પડે છે. પરંતુ ગરીબ વ્યક્તિએ કોર્ટ ફી પણ ચૂકવવી પડતી નથી. આ કિસ્સામાં, જ્યારે તમે પિટિશન ફાઇલ કરો છો, ત્યારે માત્ર એ વાતનો ઉલ્લેખ કરવો પડશે કે તમે એક ‘ઈન્ડિજેન્ટ પર્સન’ તરીકે પિટિશન ફાઇલ કરી રહ્યાં છો.

નિયમો શું છે?

સિવિલ પ્રોસિજર કોડ, 1908ના ઓર્ડર નંબર 33માં ‘ઈન્ડિજેન્ટ પર્સન’ તરીકે પિટિશન ફાઇલ કરવાનો ઉલ્લેખ છે. તેનો નિયમ નંબર 1 જણાવે છે કે, ગરીબ વ્યક્તિ એવી વ્યક્તિ છે જેની પાસે ફી ભરવાનું કોઈ સાધન નથી. આવી વ્યક્તિ મુકદ્દમો દાખલ કરવાની પરવાનગી સાથે અરજી ભરે છે. ચકાસણી બાદ, આવી અરજી નિયમ નંબર 5 મુજબ સ્વીકારવામાં આવે છે. જ્યારે નિયમ નંબર 18 હેઠળ રાજ્ય સરકાર ગરીબ વ્યક્તિને મફત કાનૂની સેવા પૂરી પાડી શકે છે.

જો ‘ઈન્ડિજેન્ટ પર્સન’ તરીકે પરવાનગી ન અપાય તો?

  • ઓર્ડર નંબર 33 ના નિયમ નંબર 5 માં આવા આધાર આપવામાં આવ્યા છે, જેના આધારે ‘ઈન્ડિજેન્ટ પર્સન’ તરીકે દાખલ કરાયેલ કેસને બરતરફ કરી શકાય છે.
  • ઓર્ડર નંબર 33 ના નિયમ નંબર 2 અને 3 ના ફોર્મેટ મુજબ દાવો દાખલ કરવામાં આવ્યો નથી.
  • અરજદાર ખરેખર ગરીબ વ્યક્તિ નથી.
  • અરજીનો કોઈ નક્કર આધાર નથી.
  • પિટિશન ફાઇલ કર્યાના 2 મહિના પહેલાં કોઈ મિલકતનો છેતરપિંડીથી નિકાલ કર્યો હોય
  • અરજદારે પૈસા લીધા હોય અથવા અન્ય સાથે કોઈ નાણાકીય કરાર કર્યો હોય.

આ પણ વાંચોલોકસભા ચૂંટણી 2024: નીતિશનું મિશન 2024, આજે રાહુલ અને ખડગેને મળશે, વિપક્ષની એકતા અંગે કરશે વાત?

કોણ ઉઠાવે છે મુકદમાનો ખર્ચ

નિયમ નંબર 10 જણાવે છે કે, જો અરજદારની અરજી ‘ઈન્ડિજેન્ટ પર્સન’ તરીકે સ્વીકારવામાં આવે તો, રાજ્ય સરકારે કોર્ટ ફી ચૂકવવાની રહેશે. તેવી જ રીતે, નિયમ નંબર 11 જણાવે છે કે, જો અરજદારને ગરીબ વ્યક્તિ તરીકે પરવાનગી આપવામાં ન આવે અથવા પરવાનગી પાછી ખેંચવામાં આવે તો તેણે પોતે કોર્ટ ફી ચૂકવવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ