/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/Bharat-Jodo-Yatra-Rahul-gndhi-Congress.jpg)
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને ફાયદો થશે?
Bharat Jodo Yatra : ઉત્તર પ્રદેશમાં પાર્ટી કાર્યકરો સાથે કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra in UP)નો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસના નેતાઓ યુપીમાં 'ભારત જોડો યાત્રા'ને સફળ ગણાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે યાત્રાનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, બાગપતથી ઉઠેલી આ હાકલ અને પડઘો દિલ્હી અને લખનૌના શાસકોની ઊંઘ હરામ કરી દેશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક સરદારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' કેટલી સફળ રહી છે.
સરદારે કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કેટલી સફળ છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ભારત જોડો યાત્રાનો છે. જેમાં એક સરદારે એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ભારત જોડો યાત્રામાં આવેલા અડધા લોકો કોંગ્રેસને વોટ નહીં આપે પરંતુ તેઓ માત્ર રાહુલ ગાંધીને જોવા આવ્યા છે. શરૂઆતમાં લોકો કહે છે કે, અમે તમારી સાથે છીએ, પરંતુ બાદમાં જ્યારે બટન દબાવવાનો વારો આવે છે ત્યારે વ્યક્તિ બીજે ક્યાંક ચાલ્યો જાય છે. હકીકતમાં, પત્રકારે સરદારને પૂછ્યું હતું કે, શું રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાથી ફાયદો થશે કે નહીં?
રિપોર્ટરે પૂછ્યું - શું રાહુલ ગાંધી સાથે આવું થશે?
આ દરમિયાન પત્રકારે સરદારને પૂછ્યું કે, આ તો રાહુલ ગાંધી સાથે છેતરામણી થશે? આના પર સરદારે કહ્યું, “તમે સમાચારના વ્યકિત છો, આનો જવાબ આપો. અમે તો આટલા લાંબા સમયથી આનો ઈલાજ શોધી શક્યા નથી. પોતાની વાતને આગળ વધારતા સરદારે કહ્યું કે, મારા કાકા પણ કોલોનીમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા, બધાએ પહેલા બધાએ કહ્યું કે, અમે કોંગ્રેસને વોટ આપીશું, બાદમાં તેમને 5000માંથી માત્ર 900 વોટ જ મળ્યા. આમાં કોને દોષ આપવો? બીજી તરફ સરદારની બાજુમાં ઉભેલા એક યુવકે કહ્યું, “અમે ભાજપને મત આપીએ છીએ, અહીંયા માત્ર રાહુલ ગાંધીને જોવા આવ્યા છીએ.
વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
@અનુપમ નામના યુઝરે કટાક્ષ કરતા લખ્યું, "સરદારજીએ સમજાવ્યું કે, મતદાન કરવું અને પિકનિક કરવી એ બે અલગ-અલગ બાબતો છે." @AbhinayMani1 નામના યુઝરે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને ટેગ કરતા કોમેન્ટ કરી- દીદી આ પણ જુઓ, તમારી આંખો ખુલી જશે. @Monish_R_Nair નામના યુઝરે લખ્યું કે, સરદારજીએ તો આગ લગાવી દીધી, અદ્ભુત જવાબ આપ્યો છે. કોંગ્રેસના લોકોએ આ વિડીયો જરૂર જોવો. @Crazy_Ajeet નામના યુઝરે હસતા ઇમોજી સાથે કોમેન્ટ કરી – બસ પ્રવાસનો આનંદ લો…
આ પણ વાંચો - Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને જાટલેન્ડમાં મળ્યો RLD નો સાથ, સપા બસપા રહ્યા દૂર
જાણકારી માટે જણાવી દઈએ કે, 'ભારત જોડો યાત્રા' યુપીના બાગપતથી પ્રવેશી હતી. નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે 'ભારત જોડો યાત્રા' સફળ છે અને ભાજપ આ યાત્રાથી ડરી ગઈ છે. હાલમાં જ કોંગ્રેસના નેતા સંદીપ સિંહે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધીના યુપી આવવાથી ડરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us