/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/shivraj-chouhan.jpg)
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ (ફાઇલ ફોટો)
લિઝ મૈથ્યુ : ભાજપ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તેની તૈયારીઓમાં વધારો કરી રહ્યું છે કારણ કે તે 2024ની લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના ગેમ પ્લાન માટે નિર્ણાયક છે. પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં પાર્ટી સત્તામાં છે, રાજસ્થાન અને છત્તીસગઢ પર તેના કટ્ટર હરીફ કોંગ્રેસનું શાસન છે.
જ્યારે ભાજપના નેતૃત્વને આશા છે કે પાર્ટી શિવરાજસિંહ ચૌહાણ સરકાર દ્વારા એમપીમાં સત્તામાં પાછા ફરવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ફાયદો મળશે. ત્યારે તે સમાન આધાર પર રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીની સંભાવનાઓ બંને રાજ્યોમાં કોંગ્રેસ સરકારની કલ્યાણકારી પહેલ પર ચિંતિત હોય તેવું લાગે છે.
એમપીમાં ભાજપ 2003થી શાસન કરી રહી છે. ફક્ત ડિસેમ્બર 2018થી માર્ચ 2020ની વચ્ચેના સમયને બાદ કરતા. આ સમયે કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર હતી. ચૌહાણ સરકારના કલ્યાણકારી કાર્યક્રમોને લોકોમાં ખાસ કરીને તેની લાડલી બહેન યોજના, જે ટ્રેક્શન મળ્યું છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ભગવા પક્ષનું મનોબળ વધારવામાં આવ્યું છે.
જોકે પડોશી રાજ્ય રાજસ્થાનમાં અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારની ચિરંજીવી આરોગ્ય વીમા કાર્યક્રમ જેવી કલ્યાણકારી યોજનાઓની કથિત લોકપ્રિય સ્વીકૃતિથી ભાજપ ચિંતિત હોવાનું જણાય છેનએમ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ એક મજબૂત પાર્ટી સંગઠનની પ્રવૃત્તિઓ-તૈયારીઓ અને સીએમ ચૌહાણ દ્વારા લેવામાં આવેલી કલ્યાણકારી પહેલ દ્વારા એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટરને બાજુએ મૂકીને એમપીમાં આગળ વધી રહ્યું છે.
ભાજપના એક નેતાએ કહ્યું કે ચૌહાણની લાડલી બેહના સ્કીમ ગેમ ચેન્જર બનવા જઈ રહી છે. અમારા મૂલ્યાંકનમાં તેણે પહેલેથી જ લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. ભાજપ સરકારની મુખ્યમંત્રી લાડલી બેહના યોજના હેઠળ દર મહિને 23 થી 60 વર્ષની વયની પરિણીત મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયાની રકમ તેમના આર્થિક સશક્તિકરણ માટે મોકલવામાં આવી રહી છે. જુલાઈના બીજા સપ્તાહમાં ભાજપ સરકારે આ યોજનાના નાણાંનો બીજો હપ્તો 1.25 કરોડ મહિલાઓને ટ્રાન્સફર કર્યા હતા. ભાવવધારાને લઈને મતદારોમાં વધી રહેલા અસંતોષને ધ્યાનમાં રાખીને ચૌહાણ સરકાર કેટલીક નવી સબસિડીની પણ જાહેરાત કરે તેવી શક્યતા છે, જેમાં રાંધણ ગેસ માટેની સબસિડીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો - શરદ પવારને અજિત પવારે આપી મોદી કેબિનેટની ઓફર, પુણેમાં થયેલી સીક્રેટ મીટિંગમાં કહી બીજેપીને સમર્થન આપવાની વાત
ભાજપના કેટલાક નેતાઓએ કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણ એક "માસ્ટર પ્રચારક" છે અને તેમની પાસે ચોકસાઇ અને સહનશીલતા છે જે તેમને તેમના હરીફો માટે એક પ્રચંડ પડકાર બનાવશે. શિવરાજ ચૌહાણના મુખ્ય હરીફ કમલનાથ તેમની સાથે પકડ બનાવી શકશે નહીં. ચૌહાણ સામે કોઈ વધારે ગુસ્સો નથી, લોકપ્રિય યોજનાઓ સાથે તેમની પાસે સદ્ભાવના છે અને તેમનામાં તેના પર નિર્માણ કરવાની ક્ષમતા છે.
એમપીમાં પોતાની ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે વધુ કઠિન બેઠકો પર, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને જ્યાં પરંપરાગત રીતે કોંગ્રેસનો દબદબો છે તેવા મતવિસ્તારોમાં ત્રિકોણીય જંગ જામે. બસપા જેણે પહેલેથી જ પોતાના ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, તે ઉપરાંત નાના પક્ષો પણ મેદાનમાં હશે. જેમ કે જય આદિવાસી યુવા સંગઠન (જેએએસ), એક આદિવાસી સંગઠન છે જેણે રાજ્યની 230 માંથી 80 બેઠકો પર ચૂંટણી લડવાની યોજનાની જાહેરાત કરી છે.
સંગઠનાત્મક સ્તરે ભાજપે કેન્દ્રીય મંત્રીઓ ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવને અનુક્રમે પ્રભારી અને સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. જેથી એમપીમાં ચૂંટણી પ્રચાર પર નજર રાખી શકાય અને તેનું નિરીક્ષણ કરી શકાય. તેમણે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના વતની એવા કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને પણ પક્ષની પ્રચાર વ્યવસ્થાપન સમિતિના સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે.
એમપી ભાજપમાં આંતરિક વિખવાદોને દૂર કરવા માટે પ્રદેશ નેતૃત્વ ઘણા નેતાઓને પાર્ટીના માળખામાં સમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમને વિવિધ જવાબદારીઓ આપી રહ્યું છે. પાર્ટીએ તાજેતરમાં જ જિલ્લાઓમાં પણ ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે.
કર્ણાટકમાં પોતાની હારથી પરેશાન ભાજપ શરૂઆતના તબક્કે શિવરાજ સિંહ ચૌહાણ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર પર કોંગ્રેસના અભિયાનનો સામનો કરવા માંગે છે. રાજ્ય પોલીસે તાજેતરમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, કમલનાથ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ યાદવ સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના સોશિયલ મીડિયા હેન્ડલર્સ સામે તેમની પોસ્ટ્સ અંગે એફઆઈઆર દાખલ કરી હતી. જેમાં ભાજપ શાસન પર ભ્રષ્ટાચારમાં કથિત રીતે સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ ચૌહાણ સરકાર પર આરોપ મૂક્યો હતો કે તેઓ કથિત રીતે 50 ટકા કમિશન લઈ રહી છે. જે મે મહિનાની કર્ણાટક ચૂંટણી માટે પક્ષના સફળ અભિયાન સાબિત થયું છે. જ્યાં તેણે 40 ટકા કમિશન સાથે તત્કાલીન સત્તાધારી બસવરાજ બોમ્મઈની આગેવાની હેઠળની ભાજપ સરકારને નિશાન બનાવી હતી.
પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસે કરેલા આ પ્રચાર માટે ભાજપે કર્ણાટકમાં મોટી કિંમત ચૂકવી હતી. આપણે એમપીમાં આવું ન થવા દેવું જોઈએ. તેમના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાઓ સામે એફઆઈઆર નોંધાવવાનું પગલું એ હતું કે પાર્ટી તેમના ભ્રષ્ટાચારના અભિયાનને એમપીમાં રહેવા દેશે નહીં તેવો મજબૂત સંકેત આપવાનો હતો.
જો કે રાજસ્થાન અને છત્તીસગઢ એક અલગ જ કહાની છે, જ્યાં મુખ્યમંત્રી ગેહલોત અને સીએમ ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારો દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે મોટા દબાણને કારણે ભાજપની છાવણીમાં થોડી ચિંતા ઉભી થઈ છે. ઉદાહરણ તરીકે રાજસ્થાનમાં જ્યાં ભાજપ તેની તકો વિશે આશાવાદી છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી ચિરંજીવી યોજનાની કથિત લોકપ્રિયતાને લઈને ચિંતિત છે. ચિરંજીવીના વ્યાપક કવરેજ અને લોકપ્રિય લોકોના પ્રતિસાદથી રાજસ્થાનમાં કોંગ્રેસનું મનોબળ વધ્યું છે. તેનો સામનો કરવા માટે પાર્ટીએ એક વ્યૂહરચના ઘડવી પડશે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us