ગુજરાતના ખાનગી પોર્ટમાં મોટી સંખ્યામાં ચાઈનીઝની હાજરી, સુબ્રમણ્યમ સ્વામીએ કોને નિશાન બનાવ્યું?

Subramaniam Swamy target mundra port : ભાજપ (BJP) ના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ચાઈના મામલે ગુજરાત (Gujarat) ના ખાનગી મુન્દ્રા પોર્ટ તથા ભાજપ અને મોદી સરકાર (Modi Goverment) પર નિશાન સાધ્યું હતુ.

Written by Kiran Mehta
Updated : April 04, 2023 18:32 IST
ગુજરાતના ખાનગી પોર્ટમાં મોટી સંખ્યામાં ચાઈનીઝની હાજરી, સુબ્રમણ્યમ સ્વામીએ કોને નિશાન બનાવ્યું?
સુબ્રમણ્યમ સ્વામીએ ચાઈના મામલે મુંદ્રા પોર્ટ અને ભાજપ નિશાન સાધ્યું (ફોટો - ટ્વીટર)

Gujarat Mundra Port : ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) પર નિશાન સાધતા ભાજપ (BJP) ના પૂર્વ સાંસદે મોટો પ્રહાર કર્યો છે. એક ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ખાનગી બંદર પર મોટી સંખ્યામાં ચાઈનીઝ લોકો હાજર છે. તેમની સંખ્યા ભારતમાં અન્ય કોઈપણ જગ્યાએ હાજર રહેલા ચીનીઓની સંખ્યા કરતા વધુ છે. વાસ્તવમાં સુબ્રમણ્યમ સ્વામી (subramanian swamy) એ એક યુઝરના ટ્વીટ પર પોતાનો જવાબ આપ્યો હતો. યુઝરે એક સમાચારનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ ટર્મિનલ માટેનો સોદો ભારતની સુરક્ષા એજન્સીઓના સ્કેનર હેઠળ છે. સ્વામીનું કહેવું છે કે, આ બંદર હિંદ મહાસાગરમાં ઘૂસણખોરી કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ થોડા દિવસ પહેલા મોદી સરકારને ચેતવણી આપી હતી કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, અમારા વેઈટર્સ તેમને અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ લઈ જવા માટે કહી રહ્યા છે પરંતુ તે સિવાય બીજે ક્યાંય જોશો નહીં. તેમણે કહ્યું કે ચીન સામે ભારત સરકારની હાર થઈ છે.

ચીનને લઈને પણ સ્વામી પીએમ મોદી પર ખાસ હુમલો કરી રહ્યા છે

સુબ્રમણ્યમ સ્વામીએ પણ ચીનને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર ઘણી વખત પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે, ચીનને લઈને પીએમની નીતિ સમજની બહાર છે. ચીની સેનાએ 2020માં લદ્દાખમાં અને ગયા વર્ષે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેના સાથે બે વાર યુદ્ધ કર્યું છે. પરંતુ પીએમને કંઈ દેખાતું નથી.

સ્વામીએ હાલમાં જ કહ્યું હતું કે, પીએમ મોદીએ તેમને બ્રિક્સ બેન્કના ચેરમેન બનવા માટે કહ્યું હતુ, પરંતુ તેમણે એ કારણથી સ્પષ્ટ ના કહી દીધુ કારણ કે, તેમને દેખાઈ રહ્યું હતુ કે, ચીન સાથે સંબંધો સ્થાપિત કરવા ભારતના હિતમાં નથી. સ્વામીનું કહેવું છે કે, તે જ દરમિયાન એક અલગ મીટિંગમાં તેમણે પીએમ મોદી અને અમિત શાહને ચીન સાથે સંબંધો વધારવા અંગે ચેતવણી પણ આપી હતી. પરંતુ તેઓ માની રહ્યા નથી.

આ પણ વાંચોમાનહાની કેસ : રાહુલ ગાંધી પર શું દોષ છે? સજા બાદ કેવો રહ્યો ઘટનાક્રમ? હવે શું? જોઈએ તમામ માહિતી

અદાણીના પોર્ટની ચાઈનીઝ લિન્ક અંગે એજન્સીઓને એલર્ટ કરવામાં આવી

યુઝરે ધ હિન્દુના સમાચારને ટ્વીટ કર્યું હતું, જેના પર બીજેપી નેતા સ્વામીએ પ્રાઈવેટ પોર્ટ પર મોટી સંખ્યામાં ચાઈનીઝની હાજરી અંગેના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી. આ મુજબ મુંદ્રા પોર્ટના ટર્મિનલની માલિકી ચીનની કંપનીને ટ્રાન્સફર કરવાને લઈને ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. અદાણી ગ્રુપે કહ્યું કે, આ ડીલ સાથે તેનો સીધો સંબંધ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ