/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/MP-CM-Mohan-Yadav-1.jpg)
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ (તસવીર - મોહન યાદવ ટ્વિટર)
Anand Mohan J : જ્યારથી મોહન યાદવ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેઓ રાજ્યનો આકાર બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાં ઘણા આઈએએસ અધિકારીઓના ટ્રાન્સફરથી લઇને નવી જગ્યાઓ પર તેમની પોસ્ટિંગ, ઘણા વરિષ્ઠ મંત્રીઓ સાથે બે દિવસીય શિખર સંમેલનનો સમાવેશ થાય છે. તાજેતરમાં 15 આઈએએસ અધિકારીઓની બદલી આ મુદ્દાને મજબૂત બનાવે છે, જે બતાવવા માટે પૂરતું છે કે મોહન યાદવ તેમની સ્વાભાવિક શૈલીથી આગળ વધીને રાજ્યને એક નવા ફેબ્રિકમાં વણી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોહન યાદવે સીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના બે મહિના બાદ તેમણે 15 આઈએએસ અધિકારીઓની ફેરબદલી કરી હતી, જેમાંથી પાંચને સીએમ સચિવાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. સરકારે 18 આઈએએસ અધિકારીઓની બદલી કર્યાના એક અઠવાડિયા પછી આ નિયુક્તિ થઇ છે.
2 ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશમાં 2008ની બેચના અધિકારી ભરત યાદવને સીએમના સચિવ બનાવવામાં આવ્યા હતા અને 2009ની બેચના આઈએએસ અધિકારી અને એમપી રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ લાવનિયાને તેમના એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. 2010ની બેચના અધિકારી ચંદ્રશેખર વાલીમ્બેને પણ સીએમના અન્ય એડિશનલ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી હતી. 2015ની બેચના અધિકારી અદિતિ ગર્ગ અને 2016ની બેચના અધિકારી અંશુલ ગુપ્તાને સીએમ સચિવાલયમાં ડેપ્યુટી સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
રાઘવેન્દ્રકુમાર સિંહને તેમના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે તે મોહન યાદવ છે જે પોતાના લોકોની પસંદગી કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ રાઘવેન્દ્રકુમાર સિંહને તેમના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે અને હવે તેમણે તેમની ટીમ બનાવવાનું શરૂ કર્યું છે. શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં 17 વર્ષ સુધી રાજ કર્યું છે અને તે પ્રશાસનની અંદર અને બહાર જાણે છે. યાદવ તેમનાથી અલગ થવા માંગે છે અને એ સુનિશ્ચિત કરવા માટે એક નવા પ્રશાસક ઉપલબ્ધ છે. જરૂરી નિમણૂકો કરવામાં સમય લાગ્યો હતો.
શનિવારે ભોપાલમાં બે દિવસીય નેતૃત્વ સંમેલન યોજાયું હતું, જ્યાં મધ્ય પ્રદેશમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પહેલા ભાજપ શાસિત સરકારના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. આ દરમિયાન ગવર્નન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પર ઊંડું મંથન થયું હતું.
આ પણ વાંચો - અરવિંદ કેજરીવાલે કહ્યું – મને ભાજપમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું, મારી સામે ષડયંત્ર થઇ રહ્યું છે
એક અધિકારીએ જણાવ્યું હતું કે સમિટનો ઉદ્દેશ વહીવટ, બજેટિંગ, આંતરવિભાગીય સંકલન માટેની વ્યૂહરચના અને સુશાસન માટે શ્રેષ્ઠ પદ્ધતિઓને શીખવાનો હતો. પરંતુ અહીં ચર્ચાનો મુદ્દો એ છે કે તેને રાજ્ય સ્તરે આગળ વધારવામાં આવ્યો હતો. મોહન યાદવને નવી ટીમ એકસાથે કામ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે સમિટ યોજવામાં રસ છે. શિવરાજસિંહ ચૌહાણના કાર્યકાળમાં આવું થયું ન હતું. યાદવ માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તેઓ તેમના નવા મંત્રીમંડળને મજબૂત કરવા માટે નિષ્ણાંતો પર આધાર રાખી રહ્યા છે. આ સમિટ એક બંધ બારણે યોજાયેલો કાર્યક્રમ હતો, જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને નીતિ આયોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીપરિષદના સભ્યોની સમયાંતરે તાલીમ અને વાતચીત જરૂરી છે - મોહન યાદવ
કાર્યક્રમ પછી મોહન યાદવે કહ્યું કે રાજ્ય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો રાજ્યની સંપૂર્ણ વસ્તીને અસર કરે છે. તેથી મંત્રીપરિષદના સભ્યોની સમયાંતરે તાલીમ અને વાતચીત જરૂરી છે. આ તાલીમથી શાસનની બારીકાઈઓ શીખવાની તક મળશે, જેનાથી વહીવટ કડક બનશે અને તેનો સીધો લાભ મંત્રીપરિષદના નિર્ણયો દ્વારા રાજ્યના લોકો સુધી પહોંચશે.
કાર્યક્રમમાં વક્તાઓમાંથી એક એવા ડો.વિક્રાંતસિંહ તોમરે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે મેં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને લીડરશીપ પર એક સત્ર લીધું હતું. મેં જાહેર જીવનના આવનારા તણાવ વિશે વાત કરી હતી. મેં મંત્રીઓને તેમના તણાવને શેર કરવા, પ્રેરણાદાયી પુસ્તકો વાંચવા, યોગ્ય વિચારસરણી ધરાવતા લોકોની સંગતમાં રહેવા અને છેવટે પોતાનું અંતરાત્માનું સાંભળે.
આ સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમર, પંચાયત અને ગ્રામીણ વિકાસ અને શ્રમ પ્રધાન પ્રહલાદસિંહ પટેલ અને શહેરી આવાસ અને વિકાસ પ્રધાન કૈલાશ વિજયવર્ગીય ભાગ લેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે વિજયવર્ગીય ઇન્દોર મોડેલ, તેમનું શહેર ભારતનું સૌથી સ્વચ્છ કેવી રીતે બન્યું અને તે અનુભવથી શું શીખી શકાય છે તે અંગે પણ ચર્ચા કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us