લદ્દાખ LAC ગ્રીષ્મકાલિન યોજનામાં સેનાની તાકતમાં વધારો કરવા હવાઇ નિરીક્ષણ, પેટ્રોલિંગ સામેલ, શું છે રણનીતિ?

India china News: આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LACની સ્થિતિ લશ્કરી મૂલ્યાંકનની દ્રષ્ટિએ ખુબ જ નાજુક અને ખત્તરનાક જણાઇ રહી છે.

India china News: આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LACની સ્થિતિ લશ્કરી મૂલ્યાંકનની દ્રષ્ટિએ ખુબ જ નાજુક અને ખત્તરનાક જણાઇ રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
india-china

જાણો ભારતીય સેનાની LAC માટે શું છે ગ્રીષ્મકાલિન વ્યૂહરચના?

 Amrita Nayak Dutta: વરિષ્ઠ અધિકારીઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે,એક સંતુલિત રક્ષણાત્મક મુદ્રા જાળવી રાખવા, ઉંડાણપૂર્વક પર્યાપ્ત અનામત રાખવું દૈનિક હવાઇ દેખરેખ અને સતત પેટ્રોલિંગ સહિત વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચકાસણી કવાયત પૂર્વ લદ્દાખમાં સેનાની ગ્રીષ્મકાલિન વ્યૂહરચનાનું માર્ગદર્શન કરશે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખમાં આ ઉનાળામાં ભારત અને ચીનની સેના વચ્ચે એક વર્ષમાં સતત ત્રીજી વખત સંઘર્ષ જોવા મળશે. જ્યારે ગલવાન ઘાટી, પૈંગોંગ ત્સોના ઉત્તર અને દક્ષિણ કિનારે તથા ગોગરા હોટ સ્પ્રિંગ્સ ક્ષેત્રમાં ઘર્ષણ બિંદુઓએ છેલ્લા ત્રણ વર્ષમાં બફર ઝોનની રચના સાથે અમુક સમાધાન પણ જોયા છે, પરંતુ વિરાસત જેવા મુદ્દાઓ પર હજુ સુધી કોઇ પ્રગતિ જોવા મળી નથી.

આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LACની સ્થિતિ લશ્કરી મૂલ્યાંકનની દ્રષ્ટિએ ખુબ જ નાજુક અને ખત્તરનાક જણાઇ રહી છે. જો કે આ પહેલા સેનાએ LACની સ્થિતિ અસ્થિર અને અસમાન્ય જણાવી હતી.

વધુમાં વરિષ્ઠ અધિકારીઓેએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, સેનાની ગ્રીષ્મકાલિન રણનીતિ LAC પર વ્યૂહાત્મ વર્ચસ્વમાં સુધારો કરવો, રણનીતિક તાકતનું પ્રદર્શન તથા આ ક્ષેત્રમાં તૈનાત હજારો સૈનિકોની સુવિધામાં સુધારો કરવાના હેતુથી આ પગલું ભરવમાં આવ્યું છે. મહત્વનું છે કે, વર્ષ 2020માં ભારત-ચીનની સેના વચ્ચે ઘર્ષણ શરૂ થયા બાદ બંનેએ આ વિસ્તારમાં 50,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા હતા.

Advertisment

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દળની ઉનાળાની વ્યૂહરચનાનો વિચાર એલએસી પર વ્યૂહાત્મક વર્ચસ્વમાં સુધારો કરવાનો છે, વ્યૂહાત્મક પરાક્રમનો પ્રોજેક્ટ છે અને પ્રદેશમાં તૈનાત હજારો સૈનિકોની સુવિધામાં સુધારો કરવા પગલાં લેવાનો છે. 2020 માં મડાગાંઠ શરૂ થયા પછી ભારત અને ચીને લદ્દાખ ક્ષેત્રમાં 50,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા હતા.

આ સાથે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, LACની નિયમિત તપાસ માનવ રહિત હવાઇ સાધનો અને હેલીકોપ્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. આ સાથે જે વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ સંભવ નથી ત્યાં સ્ટેન્ડઅલોન કેમેરા કાર્યરત કરવામાં આવશે. આમ ભારત-ચીન વચ્ચે અથડામણને રોકવા અને હાલના પ્રોટોકોલનું પાલન કરવાનો પૂરો પ્રયાસ ચાલુ રહેશે. આગામી થોડા મહિનાઓમાં ભારત સંખ્યાબંધ ચકાસણી કવાયત હાથ ધરશે, જેમાં સંગ્રહ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે.

આ સાથે LACનું વર્ચસ્વ મુખ્ય ધરીની નજીકના કંપની વિસ્તારો અને LAC (અથવા જ્યાં બફર ઝોન જ્યાં લાગુ હોય) ના 1 કિલોમીટરની અંદર પોઝિશન્સ સ્થાપવા સાથે LACનું પ્રભુત્વ યથાવત રહેશે.

“બ્રિગેડ અને બટાલિયન સ્તરે પર્યાપ્ત અનામત છે.અન્ય એક અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તર પર પહેલાથી જ અનામત અમલમાં છે અને સ્ટ્રાઈક કોર્પ્સમાંથી રોટેશન પર સમયાંતરે બ્રિગેડને તૈનાત કરાશે.
તેમજ પ્રત્યેક વિભાગની બ્રિગેડને અનુકૂલન, પ્રશિક્ષિત અને નિયમિત અંતરાલ પર ફેરવવામાં આવશે. આ બ્રિગેડને વહેલી તકે સામેલ કરવાની શરૂઆત કરવામાં આવશે.

જો રાષ્ટ્રીય રાઈફલ્સને છ કંપનીઓમાંથી ઘટાડીને ચાર કંપનીઓ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવે છે, તો જમ્મુ અને કાશ્મીરમાંથી વધારાની આરઆર બટાલિયનોને લદ્દાખમાં સામેલ કરવામાં આવશે. જેથી આ ખામીને પૂરી કરી શકાય. વર્ષ 2021માં લગભગ છ બટાલિયન સાથે આરઆરની એકસમાન દળ લદ્દાખમાં તૈનાત કરવામાં આવી હતી.

સમગ્ર મામલે વધુમાં એક અધિકારીએ કહ્યું હતું કે, જો લદ્દાખમાં બટાલિયનોને વ્યાપક સંખ્યામાં અહીંયા તૈનાત કરવામાં આવે તો વધારાના આરઆર મુખ્યાલય પણ તેની દેખરેખ હેઠળ આવરી શકાય.

અધિકારીઓના જણાવ્યા મુજબ, બખ્તરબંધ વાહનોના ઘસારાને પહોંચી વળવા વધારાના સમારકામ અને પુનઃપ્રાપ્તિ તત્વોને કામે લગાડવામાં આવશે. તેમજ આ વર્ષે સારા માર્ગોને ધ્યાને રાખીને લોજિસ્ટિક્સ સોપાને સામેલ કરવા અને ફોરવર્ડ લોજિસ્ટિક્સ બેઝ તથા રિયર ડેપો બંનેમાથી ફરી ભરપાઈ પ્રક્રિયાઓની ચકાસણી વધુ સારી કાર્યક્ષમતા સાથે કરવામાં આવશે.

આટલી છે ભારતના સૌથી ધનવાન સંતો-બાબાઓની કુલ સંપત્તિ

ભારતે છેલ્લાં ત્રણ વર્ષમાં રસ્તાઓ, પુલ, ટનલ, હેલિપેડ અને સૈનિકોના આવાસ અને આશ્રયસ્થાનોના નિર્માણ સાથે LAC પર માળખાગત વિકાસને વેગ આપ્યો છે. આર્મીએ વિસ્તારના સંચાર માળખામાં નોંધપાત્ર વધારો કર્યો છે, LAC ની સાથે ફોરવર્ડ પોસ્ટ્સ સુધી, અને વૉઇસ અને ડેટા લિંક્સને અપગ્રેડ કરી રહી છે. ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત સમગ્ર LAC પર સમાન પ્રદર્શન અને પ્રવૃત્તિઓની અપેક્ષા છે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Today Weather Updates: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી

પરસ્પર સંમત તારીખે ચીન સાથે સૈન્ય વાટાઘાટોના આગામી રાઉન્ડમાં ભારતીય પક્ષનું નેતૃત્વ XIV કોર્પ્સના નવા કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલી કરશે. એલએસી પર બાકી રહેલા ઘર્ષણના મુદ્દાઓને ઉકેલવા પર ચર્ચા થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મીટિંગના પરિણામના આધારે ઉનાળાની વ્યૂહરચના વધુ શુદ્ધ કરવામાં આવશે.

Indian army એક્સપ્રેસ એક્સપ્લેન ભારત ચીન સંઘર્ષ india Express Exclusive દેશ