scorecardresearch

મીડિયા તમારી સરકારથી ખૂબ પરેશાન છે, કારણ કે… અરુણ પુરીએ કેમ પીએમ મોદીને આવો સવાલ પૂછ્યો

India Today Conclave : ઈન્ડિયા ટુડે કોન્ક્લેવના કાર્યક્રમમાં પીએમ મોદી (PM Modi) એ હાજરી આપી હતી. જેમાં સ્વાગત પ્રવચનમાં અરૂણ પુરી (Arun Puri) એ પીએમ મોદીને એક પ્રશ્ન પુછ્યો જેમાં તેમણે મજાકમાં કહ્યું, મીડિયા (Media) તમારી સરકારથી ખૂબ નારાજ છે” માહિતી લીક થતી નથી, જેમ કે અગાઉની સરકારો પાસેથી થતી હતી.

karnataka Election 2023, PM Narendra Modi
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

India Today Conclave : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (18 માર્ચ) ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઈન્ડિયા ટુડે ગ્રુપના ચેરમેન અરુણ પુરીએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અરુણ પુરીએ ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં વડાપ્રધાન મોદીને સંબોધતા કહ્યું કે, તેઓ 7મી વખત અહીં આવવા માટે તેમનું સ્વાગત કરે છે. તેમના સ્વાગત પ્રવચન દરમિયાન અરુણ પુરીએ ઘણી બધી વાતો કહી, પરંતુ આ દરમિયાન તેમણે મીડિયાને લઈને વડાપ્રધાનને કંઈક એવું કહ્યું કે, તમે તેમના આખા ભાષણના પ્રારંભિક ભાગની માત્ર એક જ લાઇન સાંભળીને ચોંકી જશો.

અરુણ પુરીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે, “સર, જો તમને વાંધો ન હોય તો, હું એક વાત કહેવા માંગુ છું, મીડિયા તમારી સરકારથી ખૂબ નારાજ છે” માહિતી લીક થતી નથી, જેમ કે અગાઉની સરકારો પાસેથી થતી હતી, કારણ કે તમારા પીએમ પદના ઉમેદવાર કોણ બનશે અને રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તે કોઈને ખબર નથી હોતી, કોઈ સમાચાર બહાર આવતા નથી.

આ પણ વાંચોરાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ રજૂ કર્યો વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ, જણાવ્યું કારણ

અરુણ પુરીએ આગળ શું કહ્યું?

ઈન્ડિયા ટુડે ગ્રુપના ચેરમેન અરુણ પુરીએ વધુમાં કહ્યું, “નિંદાને માફ કરો, પરંતુ મેં એ પણ વિચાર્યું કે, તમે આનો કેવો પ્રતિસાદ આપશો, તો કદાચ તમે અરુણ ભાઈ કહેશો, હું તમારી દુકાન કેમ ચલાવું?” તેમણે આગળ કહ્યું કે, મજાકથી વધુ મીડિયા અને સરકારે એક-બીજા સાથે વધારે નરમ ન રહેવું જોઈએ.

Web Title: India today conclave arun puri narendra modi question media

Best of Express