જયપુર વિસ્ફોટ 2008 : આતંકી હુમલામાં અગાઉ મૃત્યુદંડની સજા પામેલા 4 માણસોને કર્યા હતા નિર્દોષ જાહેર

jaipur bomb blast 2008 : જયપુર બૉમ્બ બ્લાસ્ટ 2008 (jaipur bomb blast 2008) સાથે સંકળાયેલ લોકોને, ડિસેમ્બર 2008 અને ડિસેમ્બર 2010 ની વચ્ચે જેમાં મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, મોહમ્મદ સલમાન અને સૈફુરહેમાનની ધરપકડ કરવામાં આવી હતી. 2019 માં, ચારેયને બોમ્બ વિસ્ફોટોમાં તેમની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ચારેય ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે.

jaipur bomb blast 2008 : જયપુર બૉમ્બ બ્લાસ્ટ 2008 (jaipur bomb blast 2008) સાથે સંકળાયેલ લોકોને, ડિસેમ્બર 2008 અને ડિસેમ્બર 2010 ની વચ્ચે જેમાં મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, મોહમ્મદ સલમાન અને સૈફુરહેમાનની ધરપકડ કરવામાં આવી હતી. 2019 માં, ચારેયને બોમ્બ વિસ્ફોટોમાં તેમની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ચારેય ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Policemen outside the SMS Hospital mortuary after the blasts. (Photo by Anil Sharma/Express Archive) Listen to this article

વિસ્ફોટો બાદ એસએમએસ હોસ્પિટલના શબઘરની બહાર પોલીસકર્મીઓ. (તસવીર અનિલ શર્મા/એક્સપ્રેસ આર્કાઇવ દ્વારા) આ લેખ સાંભળો

રાજસ્થાન હાઈકોર્ટે બુધવારે (29 માર્ચ), 2008ના જયપુર બોમ્બ વિસ્ફોટો કેસમાં 2019 માં મૃત્યુદંડની સજા સંભળાવી અને ચાર લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા જેમાં 71 લોકો માર્યા ગયા હતા અને 185 અન્ય ઘાયલ થયા હતા.

Advertisment

ચાર નિર્દોષ લોકોના વકીલોમાં સામેલ એડવોકેટ સૈયદ સઆદત અલીએ મીડિયાને જણાવ્યું હતું કે કોર્ટે રાજ્ય પોલીસને 'અસક્ષમ' તપાસ અધિકારીઓ સામે પગલાં લેવા જણાવ્યું છે.

2019 માં, જયપુરની એક વિશેષ અદાલતે વિસ્ફોટો માટે ચાર માણસોને દોષિત ઠેરવ્યા હતા, શાહબાઝ હુસૈન નામના પાંચમાને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઈકોર્ટમાં શાહબાઝનો નિર્દોષ છૂટકારો યથાવત રાખવામાં આવ્યો છે. 15 વર્ષ પહેલા 13 મેના રોજ ઘણા વિસ્ફોટોથી જૂના કોટવાળા શહેર જયપુર હચમચી ગયું હતું.

વિસ્ફોટ

RDX નો ઉપયોગ કરીને નવ બોમ્બ, જયપુરના ભીડભાડવાળા જૂના શહેરમાં 7.15 થી 7.45 વાગ્યાની આસપાસ આઠ સ્થળોએ વિસ્ફોટ થયા, વિસ્ફોટોનો ક્રમ એટલો આયોજિત હતો કે એક વિસ્ફોટના સ્થળેથી ભાગી રહેલા લોકો અન્ય સ્થળોએ ગયા તો ત્યાં પણ વિસ્ફોટો થતા હતા, કેટલાક વિસ્ફોટકો સાયકલ સાથે બાંધેલા હતા.

Advertisment

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

પહેલો બોમ્બ ધમાકેદાર જોહરી બજારમાં સાંજે 7.15 વાગ્યાની આસપાસ થયો હતો. ગભરાટ ફેલાઈ જતાં, હનુમાન મંદિર, હવા મહેલ, મોટી ચૌપડ, ત્રિપોલિયા બજાર અને ચાંદપોલ ખાતે વધુ બોમ્બ વિસ્ફોટ થયા હતા.

પોલીસે વધુ બોમ્બ શોધીને ડિફ્યુઝ પણ કર્યા હતા. આ પહેલીવાર પર્યટક સ્થળ પર જયપુરમાં તેની ધરતી પર આતંકી હુમલો થયો હતો.

ઈન્ડિયન મુજાહિદ્દીન જવાબદારી લીધી હતી

વિસ્ફોટોના એક દિવસ પછી, ઇન્ડિયન મુજાહિદ્દીને, જે તે સમયના ઓછા જાણીતા સંગઠને, એક મીડિયા હાઉસને એક ઇમેઇલ મોકલ્યો હતો, જેમાં હુમલાની જવાબદારી લીધી હતી. ઈમેલમાં, તેઓએ વિસ્ફોટકોથી ભરેલી સાઈકલનો વીડિયો જોડ્યો હતો. પોલીસે પુષ્ટિ કરી છે કે સાયકલનો સીરીયલ નંબર વિસ્ફોટમાં વપરાયેલ એક સાથે મેળ ખાતો હતો.

સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે ઈમેલ અસલી છે, પરંતુ આશંકા છે કે તે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોઈ શકે છે.

ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જયપુરને તેના પ્રવાસન ઉદ્યોગને તેના ટ્રેકથી ઉતારવાના લક્ષ્યને ધ્યાનમાં રકહિ હુમલો કરવામાં આવ્યો હતો. અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર યુનાઈટેડ સ્ટેટ્સનું સમર્થન કરવા સામે ભારતને ચેતવણી આપવામાં આવી હતી. વિસ્ફોટોના પરિણામે, જયપુરમાં અસ્થાયી રૂપે પ્રવાસનને ફટકો પડ્યો હતો અને તત્કાલીન નવજાત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓ પર પણ વાદળો છવાઈ ગયા હતા.

આ પણ વાંચો: હેટ સ્પીચ પર ચિંતિત સુપ્રીમ કોર્ટે કહ્યું ‘રાજ્ય નપુંસક અને શક્તિહીન થઇ ગયું છે, ધર્મને રાજનીતિથી અલગ રાખવું જરૂરી’

ધરપકડ

ઓગસ્ટ 2008માં ધરપકડ કરાયેલ પ્રથમ વ્યક્તિ શાહબાઝ હુસૈન હતો. તેના પર હુમલાની જવાબદારી સ્વીકારતો ઈમેલ મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પુરાવાના અભાવે તેને 2019માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2008 અને ડિસેમ્બર 2010 ની વચ્ચે મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, મોહમ્મદ સલમાન અને સૈફુરહેમાનની ધરપકડ કરવામાં આવી હતી. 2019 માં, ચારેયને બોમ્બ વિસ્ફોટોમાં તેમની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ચારેય ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે.

એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ Express Exclusive દેશ