મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરી, પણ હાલ નામ જાહેર નહીં કરે, જાણો કારણ

Madhya Pradesh Assembly Election : પાર્ટીના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું- મધ્ય પ્રદેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નામ અને કામનો ઉલ્લેખ કરતા નથી

Madhya Pradesh Assembly Election : પાર્ટીના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું- મધ્ય પ્રદેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નામ અને કામનો ઉલ્લેખ કરતા નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
madhya pradesh | madhya pradesh assembly election 2023

દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી) ની બેઠકમાં મળી હતી. (તસવીર - સ્ક્રિનગ્રેબ)

Madhya Pradesh Assembly Election 2023 : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ શનિવારે રાત્રે દિલ્હીમાં ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)ની બેઠકમાં કુલ 103 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જોકે સંભવિત ઉમેદવારો અને તેમના સમર્થકોએ તેમના નામ જાણવા માટે થોડા દિવસો રાહ જોવી પડશે.

Advertisment

પાર્ટીએ કહ્યું - વિધાનસભા ચૂંટણીમાં જાતિગત વસ્તી ગણતરી મુખ્ય એજન્ડા રહેશે

મીડિયા સૂત્રોનું કહેવું છે કે પિતૃ પક્ષના કારણે પાર્ટી નામ સાર્વજનિક કરી રહી નથી. પિતૃ પક્ષ પૂરો થતાં જ તેમના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવશે. પાર્ટીએ એ પણ નક્કી કર્યું છે કે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જાતિગત વસ્તી ગણતરી તેમનો મુખ્ય એજન્ડા હશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સીઈસીની બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, સીઈસીના અન્ય સભ્યો, પાર્ટીના મહાસચિવ અને મધ્ય પ્રદેશના પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલનાથ અને અન્ય ઘણા નેતાઓએ ભાગ લીધો હતો.

રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે રાજ્યમાં પરિવર્તનની લહેર

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સુરજેવાલાએ કહ્યું કે સીઈસીની બેઠકમાં મધ્ય પ્રદેશની ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધ પર ચર્ચા થઈ હતી. મધ્ય પ્રદેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નામ અને કામનો ઉલ્લેખ કરતા નથી.

Advertisment

આ પણ વાંચો - મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષે કહ્યું – ભાજપના કાર્યકરો ઇચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બને

સુરજેવાલાએ એક સવાલના જવાબમાં કહ્યું કે જાતિગત વસ્તી ગણતરી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો મહત્વનો એજન્ડા છે. અમારો મુખ્ય એજન્ડા ઓબીસી, એસસી, એસટી ભાઈ-બહેનોને ન્યાય અપાવવાનો છે. આ બેઠકમાં કમલનાથ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના અન્ય સાથીઓએ જણાવ્યું હતું કે જાતિગત વસ્તી ગણતરી એ કોંગ્રેસનો પ્રાથમિક એજન્ડા રહેશે.

તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં 230 બેઠકો છે. એક વખત દરેક બેઠકની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થાય છે. લગભગ તમામ બેઠકો અંગે ચર્ચા થઈ હતી. અમે ટૂંક સમયમાં મળીશું અને પછી નામોને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કરીશું.

મુખ્યમંત્રી પદના ચહેરા વિશે શું કહ્યું

મુખ્યમંત્રી પદના ચહેરા વિશે પૂછવામાં આવતા સુરજેવાલાએ કહ્યું કે કમલનાથજી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે. જે પણ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હોય છે તે સ્વાભાવિક રીતે જ કોંગ્રેસનો ચહેરો હોય છે. કમલનાથ પોતાની પરંપરાગત બેઠક છિંદવાડાથી ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 વિધાનસભા ચૂંટણી 2023 મધ્ય પ્રદેશ ચૂંટણી 2023 congress