સિહોરમાં RSSની ઓફિસ પર પથ્થરમારો, વીજળી બંધ કરી દેવાઈ અને મધરાતે હુમલો કરાયો

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા અધ્યક્ષ જગદીશ કુશવાહાએ કહ્યું કે કેટલાક લોકોએ RSS કાર્યાલયની વીજળી બંધ કરી દીધી અને પછી પથ્થરમારો કર્યો. તેમણે કહ્યું કે તે સમયે કાર્યાલયમાં કેટલાક આરએસએસ કાર્યકર્તા હાજર હતા.

Written by Ankit Patel
December 30, 2023 13:56 IST
સિહોરમાં RSSની ઓફિસ પર પથ્થરમારો, વીજળી બંધ કરી દેવાઈ અને મધરાતે હુમલો કરાયો
પ્રતીકાત્મક ચિત્ર. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).

મધ્યપ્રદેશના સિહોર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર શુક્રવારે મધ્યરાત્રિએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી વિકાસ ખીચીએ જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદાકીય પગલાં લેવામાં આવશે.

પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસને શુક્રવારે મધરાતે આરએસએસ ઓફિસ પર પથ્થરમારો થવાની માહિતી મળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા અધ્યક્ષ જગદીશ કુશવાહાએ કહ્યું કે કેટલાક લોકોએ RSS કાર્યાલયની વીજળી બંધ કરી દીધી અને પછી પથ્થરમારો કર્યો. તેમણે કહ્યું કે તે સમયે કાર્યાલયમાં કેટલાક આરએસએસ કાર્યકર્તા હાજર હતા.

પોલીસે તપાસ હાથ ધરી છે

કુશવાહાએ કહ્યું કે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ અધિક્ષક (SP) મયંક અવસ્થી અને અન્ય પોલીસ અધિકારીઓ RSS ઓફિસ પહોંચ્યા. કુશવાહાએ કહ્યું કે જે લોકો પથ્થરમારો કરે છે તેઓ શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ