scorecardresearch

શરદ પવારના ઉત્તરાધિકારી પર સામનાની ટિપ્પણી તેમને પસંદ ના આવી, કહ્યું – પાર્ટીમાં સક્ષમ નેતાઓની કોઈ ખોટ નથી

Maharashtra Politics : શરદ પવારે કહ્યું – અમારા દરેક સાથી પક્ષો સારી રીતે જાણે છે કે અમારી પાર્ટી કેવી રીતે આગળ વધશે. અમે નવી પેઢી કેવી રીતે બનાવી રહ્યા છીએ તેના વિશે અમારા સહયોગીઓને વિશ્વાસ છે

sharad pawar
એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Express Photo by Ganesh Shirsekar)

મનોજ દત્તાત્રેય મોરે : શિવસેનાના મુખપત્ર સામનામાં શરદ પવાર તેમના ઉત્તરાધિકારીને તૈયાર કરવામાં અસફળ રહ્યાના પ્રકાશિત થયેલા અહેવાલના એક દિવસ બાદ મંગળવારે એનસીપીના વડા શરદ પવારે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે અન્ય લોકો તેમના વિશે શું લખે છે તેની તેમને પરવા નથી અને તેમણે બનાવેલા લોકોએ તેમની પ્રતિભા સાબિત કરી દીધી છે. સોમવારે સામનાના એક સંપાદકીય પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે સતારામાં કહ્યું કે અમે ઉત્તરાધિકારી તૈયાર કર્યો છે કે નહીં તેના પર લોકો શું લખે છે તેની અમને બહુ પરવા નથી. અમે તેની અવગણના કરીએ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ તે બધું જ આપણે જાણીએ છીએ. અમે તેનાથી સંતુષ્ટ છીએ.

તેમણે કહ્યું કે અમારા પક્ષના સાથીઓ તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ અમે તેમના વિચારોને જાહેર કરતા નથી. આ એક એવો મુદ્દો છે જે અમારા પરિવારની બાબત છે. અમારા દરેક સાથી પક્ષો સારી રીતે જાણે છે કે અમારી પાર્ટી કેવી રીતે આગળ વધશે. અમે નવી પેઢી કેવી રીતે બનાવી રહ્યા છીએ તેના વિશે અમારા સહયોગીઓને વિશ્વાસ છે.

એનસીપી પ્રમુખે કહ્યું – પાર્ટીના દરેક નેતાએ પોતાની ક્ષમતા સાબિત કરી છે

1999માં પોતાની પાર્ટીની સ્થાપના થઈ પછી કેવી રીતે તેમણે નેતૃત્વની નવી પેઢી બનાવી તેનું ઉદાહરણ આપતાં પવારે કહ્યું હતું કે 1999માં જ્યારે અમે કોંગ્રેસ સાથે સત્તા પર આવ્યા ત્યારે અમે એક મંત્રાલય બનાવવા માગતા હતા. જે લોકોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા તેમાં જયંત પાટિલ, અજિત પવાર, આર.આર.પાટીલ, દિલીપ વાલસે-પાટીલ, અનિલ દેશમુખનો સમાવેશ થાય છે. આ જ રીતે એવા પણ ઘણા નામો હતા જેઓ પ્રથમ વાર સત્તાની ખુરશીનો સ્વાદ ચાખી રહ્યા હતા. તેમાં સામેલ ઘણાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રએ જોયું છે કે તેમાથી દરેકે પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેથી જ લોકો જ્યારે લખે છે કે અમે ઉત્તરાધિકારી તૈયાર કર્યો છે કે નહીં તેની પરવા કરતા નથી.

આ પણ વાંચો – MVA ગઠબંધનમાં બધુ બરાબર નથી! કોંગ્રેસ પક્ષપલટાથી ખુશ નથી, એનસીપી ઇચ્છે છે બેઠકોની વહેંચણીની નવી ફોર્મ્યુલા

સોમવારે સામનાના એક્ઝિક્યુટિવ એડિટર સંજય રાઉતે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સંપાદકીયમાં પોતાની વાત રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સંપાદકીયમાં એનસીપીના પ્રમુખની કોઈ ટીકા કરવામાં આવી નથી. તે માત્ર એક દૃષ્ટિકોણ છે. પવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણને પણ છોડ્યા ન હતા. જેમણે એનસીપીના વ્યવહાર અને ભાજપ સાથેના તેના કથિત સંબંધો અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું કે કોંગ્રેસમાં પૃથ્વીરાજ ચવ્હાણની સ્થિતિ શું છે? મારા સાથીઓ તમને પૃથ્વીરાજ ચવ્હાણ વિશે અંગત રીતે જણાવશે.

એનસીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની તેમની ઓફર પર ટિપ્પણી કરતા પવારે કહ્યું કે ઘણા લોકોએ મને આમ કરવાની વિનંતી કર્યા પછી મેં મારું રાજીનામું પાછું લઈ લીધું. લોકશાહીમાં તમે એક મર્યાદા પછી લોકોની ઇચ્છાને અવગણી શકતા નથી.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Maharashtra politics sharad pawar hits back at saamana says those he groomed are shining bright

Best of Express