મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને વિદેશમાં પીએમ મોદીની ટિપ્પણીની યાદ અપાવી, વિપક્ષમાં કેટલાક રાહુલ પર મૌન રહ્યા

વિપક્ષની નારાજગી એ હતી કે સરકાર રાહુલના મુદ્દાનો ઉપયોગ ગૃહને વિક્ષેપિત કરવા અને વિપક્ષ જે મુદ્દા ઉઠાવવા માંગે છે તેના પર ચર્ચા ટાળવા માટે કરી રહી છે

વિપક્ષની નારાજગી એ હતી કે સરકાર રાહુલના મુદ્દાનો ઉપયોગ ગૃહને વિક્ષેપિત કરવા અને વિપક્ષ જે મુદ્દા ઉઠાવવા માંગે છે તેના પર ચર્ચા ટાળવા માટે કરી રહી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (File)

મનોજ સી જી: ભારતની લોકશાહી પર લંડનમાં રાહુલ ગાંધીની ટિપ્પણી પર સરકારે સોમવારે સંસદમાં કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદેશ પ્રવાસ દરમિયાન કરેલી કેટલીક ટિપ્પણીઓની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે તે વિચિત્ર છે કે લોકશાહીને નષ્ટ કરનારા હવે તેનો બચાવ કરવાની વાત કરી રહ્યા છે.

Advertisment

જ્યારે વિપક્ષ કેન્દ્રીય એજન્સીઓ અને અદાણી ગ્રૂપની બાબતોના તેમના કથિત દુરુપયોગ પર સરકાર પર હુમલો કરવા માટે એકજૂટ રહ્યો હતો. વિપક્ષ સંસદમાં બંને મુદ્દાઓ પર ચર્ચા ઇચ્છતો હતો. કેટલાક પક્ષો રાહુલ ગાંધી અને તેમની ટિપ્પણીના સમર્થનમાં બોલ્યા પરંતુ કેટલાક મૌન રહ્યા હતા.

વિપક્ષની નારાજગી એ હતી કે સરકાર રાહુલના મુદ્દાનો ઉપયોગ ગૃહને વિક્ષેપિત કરવા અને વિપક્ષ જે મુદ્દા ઉઠાવવા માંગે છે તેના પર ચર્ચા ટાળવા માટે કરી રહી છે. ઘણા વિપક્ષી નેતાઓએ એકસાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ ભારતમાં લોકશાહીને કચડી રહી છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી અને ભાજપના રાજમાં બંધારણ અને લોકશાહીને કોઈ સ્થાન નથી. તેઓ દરેક સ્વાયત્ત સંસ્થા અને એજન્સીનો દુરુપયોગ કરી રહ્યા છે. કોઈ નોટિસ, કોઈ નિયમ નથી. તેઓ દેશને સરમુખત્યારની જેમ ચલાવી રહ્યા છે. તેઓ લોકશાહી, દેશભક્તિ અને દેશના ગૌરવ વિશે વાત કરી રહ્યા છે.

Advertisment

ત્યારબાદ ખડગેએ વિદેશની ધરતી પર પીએમ મોદીએ કરેલી કેટલીક ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો. ચીનમાં મોદીએ કહ્યું હતું કે પહેલાં તમને ભારતમાં જન્મતા શરમ આવતી હતી, પણ હવે તમે દેશનું પ્રતિનિધિત્વ કરતાં ગર્વ અનુભવો છો. આવું કોણે કહ્યું? વડા પ્રધાને કહ્યું હતું.

આ પણ વાંચો - શું રાહુલ ગાંધીએ ફક્ત લોકોને સમજવા માટે 4000 કિમીની પગપાળા યાત્રા કરી? ઘણા સવાલો હજુ વણ ઉકેલ્યા

દક્ષિણ કોરિયામાં PMએ કહ્યું હતું કે પહેલાના લોકો વિલાપ કરતા, તેઓ પૂછશે કે તેઓ ભારતમાં જન્મ્યા છે તે માટે તેઓએ શું પાપ કર્યું છે. ઉદ્યોગપતિઓ વિદેશમાં સારી તકો માટે દેશ છોડવા માંગતા હતા. પરંતુ આ લોકો હવે કહી રહ્યા છે કે તેમની આવક અન્ય સ્થળો કરતા ઓછી હશે તો પણ તેઓ પાછા આવશે. શું આ ભારત અને ભારતીયોનું અપમાન નથી? તમારા મંત્રીઓને તેની યાદો તાજી કરવા કહો.

ખડગેએ આગળ પ્રહાર કરતા કહ્યું કે કેનેડામાં વડા પ્રધાને યુપીએ સરકારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જેઓ કૌભાંડો અને ગંદકી બનાવતા હતા તેઓ હવે ચાલ્યા ગયા છે અને તે હવે ગંદકી સાફ કરશે. અરે ગંદગી તો તમે કરી રહ્યા છો, તમે લોકશાહીનો નાશ કરી રહ્યા છો. એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષના અવાજને કચડી રહ્યા છો. આ લોકો લોકશાહી, રાષ્ટ્રવાદ અને દેશના ગૌરવની વાત કરે છે. પહેલા સત્યનો અરીસો જુઓ.

વિપક્ષના કેટલાક નેતાઓએ ખડગે સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કેટલાકે રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું તો કેટલાક મૌન રહ્યા હતા અને અદાણી મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. સીપીએમના એલામારામ કરીમે આક્ષેપ કર્યો હતો કે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ ઈરાદાપૂર્વક હતો અને અદાણી અને વિપક્ષ શાસિત રાજ્યોમાં કેન્દ્ર સરકારની દખલગીરી પર ચર્ચા ટાળવા માટે કરવામાં આવ્યું હતું.

આરજેડી નેતા મનોજ કુમાર ઝાએ કહ્યું કે રાહુલ ગાંધીએ સરકારને અરીસો બતાવ્યો છે. તેમણે કહ્યું કે બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન અદાણી મુદ્દે ખૂબ જ ગરમાવો જોવા મળ્યો હતો. તો સાહેબ ચિંતિત હતા, ધ્યાન કેવી રીતે વાળવું, હેડલાઈન કેવી રીતે મેનેજ કરવી. તેમણે બે રસ્તા અપનાવ્યા છે. પહેલું રાહુલનું ભાષણ હતું જેમાં તેમણે અરીસો બતાવ્યો હતો. બીજી રીત છે IT, CBI, EDના દરોડા.

AAP નેતા સંજય સિંહે રાહુલ મુદ્દાનો ઉલ્લેખ કર્યો ન હતો અને તેના બદલે અદાણી મુદ્દે વડાપ્રધાન પર પ્રહાર કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાહુલ ગાંધીના નિવેદન પર ટીએમસી પણ મૌન હતી.

રાજ્યસભામાં ટીએમસીના ફ્લોર લીડર ડેરેક ઓબ્રાયને કહ્યું કે અમે સાત મુદ્દાઓ ઓળખી કાઢ્યા છે જેની સંસદમાં ચર્ચા થવી જોઈએ. એસબીઆઈ અને એલઆઈસીના એક્સપોઝરથી લઈને કેન્દ્ર-રાજ્ય સંબંધો, ગેસના ભાવ, સરકાર આમાંથી કોઈ પર ચર્ચા કરવા માંગતી નથી. તેથી જ ભાજપ ગૃહને વિક્ષેપિત કરી રહ્યું છે.

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે રાજ્યસભામાં ગૃહના નેતા પિયુષ ગોયલે ગૃહના સભ્ય ન હતા તેવા રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની મંજૂરી આપવાના નિર્ણયે સાબિત કર્યું કે ગાંધી કહે છે તે સાચું છે કે બંધારણ અને લોકશાહીને બાયપાસ કરવામાં આવી રહી છે.

રાજ્યસભા લોકસભા મલ્લિકાર્જુન ખડગે દેશ congress ભાજપ