વિધાનસભા ચૂંટણી: રાહુલ ગાંધીએ અડવાણીનો ઉલ્લેખ કરતા કહ્યું - ગુજરાત નહીં મધ્ય પ્રદેશ છે આરએસએસની પ્રયોગશાળા

Assembly Elections 2023 : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભ્રષ્ટાચાર, બળાત્કાર અને આદિવાસીઓ પર અત્યાચાર ભાજપની પ્રયોગશાળામાં થાય છે. વ્યાપમમાં 1 કરોડ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે

Assembly Elections 2023 : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભ્રષ્ટાચાર, બળાત્કાર અને આદિવાસીઓ પર અત્યાચાર ભાજપની પ્રયોગશાળામાં થાય છે. વ્યાપમમાં 1 કરોડ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rahul gandhi | congress | caste census

ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફોટો સ્ત્રોત: @INCIndia)

Madhya Pradesh Assembly Elections 2023 :  ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના શહડોલ પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે શિક્ષણ, આરોગ્ય અને નોકરીના ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર કર્યો છે. મધ્ય પ્રદેશમાં એક આદિવાસી યુવક પર પેશાબ કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે લાલકૃષ્ણ અડવાણીએ એક પુસ્તક લખ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ-આરએસએસની મૂળ પ્રયોગશાળા ગુજરાતમાં નહીં પરંતુ મધ્ય પ્રદેશમાં છે.

Advertisment

રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભ્રષ્ટાચાર, બળાત્કાર અને આદિવાસીઓ પર અત્યાચાર ભાજપની પ્રયોગશાળામાં થાય છે. તેમણે કહ્યું કે વ્યાપમમાં 1 કરોડ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. આ ભ્રષ્ટાચાર માટે ભાજપ જવાબદાર છે, ભાજપની પ્રયોગશાળામાં 18 વર્ષમાં 18 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આદિવાસીઓને અધિકારો આપવા જોઈએ. ઓબીસી અને એસટી કેટેગરીને શું હિસ્સો આપવો જોઈએ, આ દેશમાં તેમની સામે આ સવાલ છે અને તેથી જ અમે જાતિ ગણતરીની વાત કરી રહ્યા છીએ.

'ભાજપ મૃત લોકોની સારવાર કરે છે'

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં ભાજપની પ્રયોગશાળામાં દરરોજ ત્રણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પ્રયોગશાળામાં મૃતકોની સારવાર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં 50 ટકાથી વધુ ઓબીસી લોકો છે તો દિલ્હી સરકારમાં 90 માંથી માત્ર 3 OBC અધિકારીઓ કેમ છે.

Advertisment

આ પણ વાંચો - મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી: BJP કોઈપણ ભોગે જીતવા માંગે છે, જાણો MPમાં ભગવા પાર્ટીની તાકાત અને નબળાઈ

આ રેલીમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ, પાર્ટીના નેતા રણદીપ સિંહ સુરજેવાલા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા હતા.ચૂં ટણી પંચે પાંચ વિધાનસભા રાજ્યોની ચૂંટણીની ઘોષણા કર્યા બાદ રાહુલ ગાંધી દ્વારા સંબોધિત કરવામાં આવેલી આ પહેલી રેલી છે.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 વિધાનસભા ચૂંટણી 2023 મધ્ય પ્રદેશ ચૂંટણી 2023 રાહુલ ગાંધી congress