નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ જુના સંસદ ભવનનું થશે? અહીં જાણો તમારા તમામ પ્રશ્નોના જવાબ

New parliament inauguration : પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓએ બહિષ્કાર કર્યો.

New parliament inauguration : પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓએ બહિષ્કાર કર્યો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
new parliament vs old parliament

નવું સંસદ ભવન અને જુનું સંસદ ભવન

લોકશાહીનું મંદિર ગણાતું સંદન ભવન હવે વધુ આધુનિક, ભવ્ય અને 'સલામત' બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે એટલે કે રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ સંસદ ભવનને લઈને એક તરફ દેશમાં ઉત્સુકતા છે તો બીજી તરફ રાજકારણ ચરમસીમાએ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. હવે રાજનીતિ પોતાની જગ્યાએ છે, પરંતુ આ સમયે સોશિયલ મીડિયા પર ઘણા સવાલો વાયરલ થઈ રહ્યા છે, આ સવાલો જૂની સંસદ વિશે છે અને નવી સંસદ વિશે.

Advertisment

જૂના સંસદ ભવનનું શું થશે?

આ સમયે લોકોના મનમાં પહેલો સવાલ એ આવે છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થયા બાદ જૂના સંસદ ભવનનું શું થશે. તમને જણાવી દઈએ કે સરકારે આ માટે પહેલાથી જ વ્યવસ્થા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જૂના સંસદ ભવનનો ઉપયોગ સંસદીય કાર્યક્રમો માટે કરવામાં આવશે. આ ઉપરાંત આ જૂના સંસદ ભવનનો ઉપયોગ મ્યુઝિયમ તરીકે પણ કરવામાં આવશે.

શું સેન્ટ્રલ વિસ્ટા નવા સંસદ ભવનથી અલગ છે?

ના, વાસ્તવમાં સેન્ટ્રલ વિસ્ટા એક મોટો પ્રોજેક્ટ છે અને આ નવી સંસદ ભવન તે પ્રોજેક્ટનો એક ભાગ છે. એટલે કે નવી સંસદ ભવન એ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું માત્ર એક પાસું છે. સમગ્ર સેન્ટ્રલ વિસ્ટા પાછળ લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ જો આપણે ફક્ત નવા સંસદ ભવનની વાત કરીએ તો તે 12 હજાર કરોડ રૂપિયામાં તૈયાર થયું છે. સેન્ટ્રલ વિસ્ટાની અંદર રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, ઉપરાષ્ટ્રપતિનું ઘર પણ સામેલ છે.

નવા સંસદ ભવનની જરૂર કેમ પડી?

આ સવાલ સરકાર સામે અનેક વખત પૂછવામાં આવ્યો છે, વિપક્ષના ઘણા નેતાઓએ પણ કહ્યું છે કે નવી સંસદ ભવન પૈસા વેડફીને બનાવવામાં આવ્યું હતું. પરંતુ કેન્દ્રની સીધી દલીલ છે કે વર્તમાન સંસદ ભવનમાં જગ્યા ઓછી છે, વધુ સાંસદો બેસી શકતા નથી. નિષ્ણાતોના દૃષ્ટિકોણથી, જૂની સંસદ હવે સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ અનુકૂળ નથી. બ્રિટિશ કાળમાં બનેલી જૂની સંસદ લગભગ 100 વર્ષ જૂની છે, તેથી તેમાં મોટા ભૂકંપનો સામનો કરવાની તાકાત નથી.જેના કારણે નવી ઇમારત બનાવવામાં આવી છે.

Advertisment

નવા સંસદ ભવનમાં શું ખાસ છે?

સરકારની દૃષ્ટિએ આ નવા સંસદભવનમાં ઘણી બધી ખાસિયતો છે. સ્થળની દ્રષ્ટિએ એક મોટો ફેરફાર થવાનો છે. નવા સંસદ ભવનમાં, લોકસભામાં હવે 888 સભ્યોની બેઠક ક્ષમતા હશે જે પહેલા માત્ર 552 હતી. આવી જ રીતે, રાજ્યસભામાં નવી સંસદમાં 384 સભ્યોની બેઠક ક્ષમતા હશે, જે અગાઉ માત્ર 250 હતી. સંયુક્ત બેઠક દરમિયાન હવે એક સાથે 1272 સભ્યો બેસી શકશે. આ વખતે આકર્ષણનું કેન્દ્ર લોકસભા અને રાજ્યસભાની ડિઝાઇન પણ છે. વાસ્તવમાં નવી લોકસભાની રચના રાષ્ટ્રીય પક્ષી મોરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યારે રાજ્યસભા કમળના ફૂલથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

New Parliament Inauguration
પીએમ નરેન્દ્ર મોદીએ નવી સંસદનો વીડિયો શેર કર્યો (Photo: centralvista.gov.in)

નવા સંસદ ભવન અને 75 રૂપિયાના સિક્કા વચ્ચે શું સંબંધ છે?

કનેક્શન ખૂબ જ સરળ છે, સરકાર કહે છે કે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, તેથી જ્યારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગની યાદગીરીમાં સિક્કો પણ લોન્ચ કરવો જોઈએ. આવી સ્થિતિમાં સરકાર 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે. આ સિક્કો ઘણો ખાસ હશે કારણ કે તેની એક તરફ નવા સંસદ ભવનનું ચિત્ર હશે તો બીજી તરફ અશોક સ્તંભ પણ હશે. આ સિક્કો 35 ગ્રામનો હશે.

અત્યંત આલિશાન, વધારે સુવિધાઓ છતાં વિરોધ કેમ?

નવા સંસદ ભવનના ઉદ્ધાટનની આમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે, તેમાં લખ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. હવે આ બાબતને લઇને સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. ઘણા વિપક્ષોનું માનવુ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઇએ. અહીંયા સુધી પણ કહ્યુ કે, આ કાર્યક્રમ મારફતે પીએમ પોતાનું વ્યક્તિગત માર્કેટિંગ કરી રહ્યા છે. ભાજપ પર કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આકરાં પ્રહારો કર્યા છે. હાલના સમયે કુલ 21 પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે જ્યારે 16 પાર્ટીઓ સમર્થનમાં છે.

આ પણ વાંચોઃ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અવસરે સરકાર બહાર પાડશે ₹ 75 નો સિક્કો, જાણો શું હશે ખાસ

ઉદ્ઘાટન દિવસે શું વિશેષ રહેશે?

તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં મંત્રોચ્ચાર સાથે પૂજા થશે. ત્યારબાદ નેતાઓ દ્વારા જ બંને ગૃહોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત સવારે વિધિ-વિધાન સાથે લોકસભામાં સેંગોલનું સ્થાપન કરવામાં આવશે. 75 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડવામાં આવશે અને લોકસભા સ્પીકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેનું સંબોધન પણ સાંભળવામાં આવશે.

સંસદ કેન્દ્ર સરકાર ટ્રેન્ડિંગ ન્યૂઝ politics congress ભાજપ PM Narendra Modi