કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (Union Minister for Road Transport and Highways) નીતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું કે, હું હંમેશા ‘કન્વર્ઝન ઓફ નલેજ ઈન ટૂ વેલ્થ’ ફોર્મ્યૂલામાં વિશ્વાસ રાખું છું અને તેનો આગ્રહ રાખું છું. વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધન દ્વારા આપણે આનો લાભ કેવી રીતે લઈ શકીએ, હું હંમેશા આ જ વિચારતો રહું છું. હું માનું છું કે કોઈ પણ વસ્તુ નકામી નથી, બસ તેને યોગ્ય રીતે યોગ્ય દિશા આપવાની જરૂર છે, યોગ્ય દ્રષ્ટિની જરૂર છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા અને એક્સપ્રેસ અડ્ડામાં નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા સાથેની વાતચીતમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 7 વર્ષ પહેલાથી મારા શહેર નાગપુરના વેસ્ટ ટોયલેટ પાણી મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) ને વેંચુ છુ. શું તમે કલ્પના કરી શકો છો કે આ પણ શક્ય છે! આમાંથી અમને વર્ષે 300 કરોડ રૂપિયા મળે છે.
નીતિન ગડકરીના કહેવા પ્રમાણે, મહારાષ્ટ્ર સરકાર નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ગંદુ ટોઇલેટનું પાણી ખરીદે છે, તેને સાફ કરે છે અને તેનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે કરે છે. તેની સાથે, તે પાણીમાંથી મિથેન કાઢવામાં આવે છે, તેમાંથી CO2 (CO2) અલગ કરવામાં આવે છે અને બાયો-CNG પણ કાઢવામાં આવે છે.
પરાલીમાંથી બાયો વિટામિન બનાવશે, આવતા મહિને મશીન લોન્ચ કરશે
નીતિન ગડકરીએ કહ્યું કે, હાલમાં ભારત 30 લાખ ટન વિટામિનની આયાત કરે છે. મારું સપનું છે કે આપણે પરાલીમાંથી બાયો વિટામિન્સ બનાવીએ. અમે સીએસઆરની મદદથી આ કરવા જઈ રહ્યા છીએ. આવતા મહિને અમે તેનું મશીન લોન્ચ કરીશું. ટ્રેક્ટર મોલ્ડર યુનિટમાં પરાલી નાખવાથી 70% બાયો-વિટામિન્સ નીકળશે. મને કહેવામાં આવ્યું છે કે, આ વિટામિન પેટ્રોલિયમ વિટામિન કરતાં અનેકગણું સારું છે. દિલ્હી-એનસીઆરમાં પરાલીની ઘણી સમસ્યા છે. તેનાથી પરાલીની સમસ્યા લગભગ દૂર થઈ જશે.
ધૌલા કુઆનના જામને કારણે રીંગ રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું
નીતિન ગડકરીએ કહ્યું કે, અમે એકલા દિલ્હીમાં 7000 કરોડના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. જ્યારે હું દિલ્હી આવતો હતો, ત્યારે હું એરપોર્ટથી બહાર નીકળતાં જ ધૌલા કુઆનમાં ખૂબ જ ખરાબ જામમાં ફસાઈ જતો હતો. ટ્રાફિક અને પ્રદુષણને કારણે ઘણી મુશ્કેલી પડી હતી. મેં તે સમયે નક્કી કર્યું હતું કે, અમે દિલ્હીનો રિંગરોડ બનાવીશું.
આ પણ વાંચો – નીતિન ગડકરીએ કહ્યું- માર્ચ સુધી દિલ્હીથી દેહરાદૂન અને હરિદ્વાર ફક્ત બે કલાકમાં, જે કહું છું તે કરું છું
નીતિન ગડકરી (Nitin Gadkari Interview) એ કહ્યું કે, પેરિફેરલ રોડ માટે ન તો દિલ્હી કે યુપીએ પૈસા આપ્યા. દિલ્હીનો પેરિફેરલ રોડ પોતાના પૈસા લગાવીને પૂરો કર્યો, પરંતુ દિલ્હીમાં હજુ પણ સમસ્યા છે. પરંતુ અત્યારે અમે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ, જે રસ્તાઓ બનાવી રહ્યા છીએ, તે એક વર્ષમાં પૂરા થઈ જશે, તો પ્રદૂષણ આપોઆપ 40 ટકા ઓછું થઈ જશે. આ જ ઈન્ટરવ્યુમાં ગડકરીએ કહ્યું કે, માર્ચ 2023 સુધીમાં દિલ્હીથી માત્ર 2 કલાકમાં દહેરાદૂન અને હરિદ્વાર પહોંચી શકાશે.