/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/credit-card-13.jpg)
'સેંગોલ'નું નિર્માણ બે વ્યક્તિઓ - વુમ્મિડી એથિરાજુલુ અને વુમ્મિડી સુધાકરે કર્યુ હતુ, તેઓ બંને હજી પણ જીવંત છે અને તેને યાદ કરી રહ્યા છે. આ રાજદંડની લંબાઈ પાંચ ફૂટ છે અને ટોચ પર 'નંદી' છે, જે ન્યાયનું પ્રતીક છે. (તસવીરઃ સરકારી પ્રેસ રિલિઝ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ દેશની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ગૃહમંત્રી અમિત શાહે 24 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન સંસદની નવી ઇમારતમાં 'સેંગોલ' પણ સ્થાપિત કરશે. આઝાદી સમયે, અંગ્રેજોએ આ સેંગોલ દ્વારા ભારતમાં સત્તા સ્થાનાંતરિત કરી હતી. હવે સંગ્રહાલયમાં રાખવામાં આવેલ છે.
'સેંગોલ'નો વિચાર ક્યાંથી આવ્યો?
જ્યારે ભારતની આઝાદીની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને સત્તાનું ટ્રાન્સફર કેવી રીતે થશે તેની ચિંતા થવા લાગી. પ્રક્રિયા શું હશે અને તેનું પ્રતીક શું હશે? ઘણા દિવસો સુધી વિચાર કર્યા પછી, તેમણે આ પ્રશ્ન પંડિત જવાહરલાલ નેહરુ સમક્ષ મૂક્યો અને સૂચવ્યું કે શું હાથ મિલાવીને સત્તાનું સ્થાનાંતરણ કરી શકાય છે. પંડિત નેહરુએ સમય માંગ્યો અને સીધા સી. રાજગોપાલાચારી પાસે પહોંચ્યા. આ પ્રશ્ન તેમની સમક્ષ મૂકવામાં આવ્યો હતો.
PM Modi will dedicate the newly constructed building of Parliament to the nation on 28th May. A historical event is being revived on this occasion. The historic sceptre, 'Sengol', will be placed in new Parliament building. It was used on August 14, 1947, by PM Nehru when the… pic.twitter.com/NJnsdjNfrN
— ANI (@ANI) May 24, 2023
ચોલ વંશના સાથે જોડાયેલો છે ઇતિહાસ
સી. રાજગોપાલાચારીએ ઘણા દિવસો સુધી અભ્યાસ કર્યો અને આખરે ભારતના ઇતિહાસમાં આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો. ભારતના સૌથી જૂના અને સૌથી લાંબા સમય સુધી ચાલતા રાજવંશો પૈકીના એક ચોલ વંશમાં, 'સેંગોલ' (રાજદંડ) દ્વારા સત્તાનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું. 9મી સદીથી 13મી સદીની વચ્ચે આ હિંદુ સામ્રાજ્યમાં જ્યારે એક રાજા બીજા રાજાને સિંહાસન સોંપે છે ત્યારે સેંગોલને પણ પ્રતીકાત્મક રીતે સોંપી શકાતુ હતું.
ચોલા રાજવંશમાં સત્તા હસ્તાંતરણ દરમિયાન સામ્રાજ્યના મુખ્ય પુજારી ભગવાન શિવની પૂજા આરાધના કર્યા બાદ સેંગોલ સોંપતા હતા. સી. રાજગોપાલચારીએ વિચાર્યું કે, તેનાથી ઉત્તમ પ્રતિક બીજું શું હોઇ શકે છે. તેમણે પંડિત નહેરુને સલાહ આપી કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિના પ્રતિક તરીકે આવા જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે અને સેંગોલ મારફતે સત્તાનું હસ્તાંતરમ થાય. પંડિત નહેરુ એ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.
તિરુવદુટુરાઈ આદિનમ મઠને આ કાર્ય સોંપવામાં આવ્યું હતું
ડીડી ન્યૂઝની ડોક્યુમેન્ટરી અનુસાર, જ્યારે પંડિત નેહરુએ ઓફર સ્વીકારી, ત્યારે રાજાજીએ તમિલનાડુમાં તિરુવદુટુરાઈ આદિનમ મઠનો સંપર્ક કર્યો. આ મઠની સ્થાપના લગભગ 500 વર્ષ પહેલાં કરવામાં આવી હતી, જ્યાં એક સમયે ચોલ વંશનું શાસન હતું. તે સમયે મઠના મુખ્ય ગુરુની તબિયત ખરાબ હતી પરંતુ તેમણે રાજાજીની વિનંતી સ્વીકારી.
'સેંગોલ' કોણે તૈયાર કર્યું?
મઠના મુખ્ય શિક્ષકે સેંગોલ બનાવવાની જવાબદારી મદ્રાસના પ્રખ્યાત ઝવેરી 'વુમ્મીદી બંગારુ'ને સોંપી. આખરે સેંગોલ તૈયાર થયું. તેની ટોચ પર નંદી બિરાજમાન હતા, જે શક્તિ, એકતા અને અખંડિતતાનું પ્રતીક હતું.
આ પણ વાંચોઃ કોંગ્રેસ સહિત 19 પાર્ટીઓ ઉદ્ઘાટનથી દૂર રહેશે, જાણો નવી અને જૂની સંસદ વચ્ચેનો તફાવત
ખાસ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યું
જો કે મઠના મુખ્ય ગુરુ બીમાર હતા, આથી તેમણે પોતાના નાયબને કાર્યક્રમનું આયોજન કરવાનું જવાબદારી સોંપી. તેની સાથે કેટલાક અન્ય લોકો સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હીથી સેંગોલ પહોંચ્યા હતા. 14 ઓગસ્ટ 1947ની રાત્રે ગુરુએ આ સેંગોલ લોર્ડ માઉન્ટબેટનને સોંપ્યુ હતુ. સેંગોલને જોયા પછી, માઉન્ટબેટને તેને ફરીથી ગુરુને સોંપી દીધું. આ પછી સેંગોલને ગંગાના પાણીથી શુદ્ધ કરવામાં આવ્યું અને પંડિત જવાહરલાલ નેહરુ પાસે લઈ જવામાં આવ્યું. ત્યારબાદ આ સેંગોલ મારફતે સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતુ.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us