scorecardresearch

મોદી ગુસ્સે થયા, અદાણી પર એક પણ જવાબ ન આપ્યો: રાહુલ ગાંધી

Modi parliament speech : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચામાં કોંગ્રેસે (Congress) પીએમ મોદી (PM Modi)ને અદાણી (Gautam Adani) વચ્ચેના તેમના સંબંધને લઈ પ્રશ્નો પુછ્યા હતા, જેન પગલે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, કોઈ જવાબ ન આપી શક્યા.

મોદી ગુસ્સે થયા, અદાણી પર એક પણ જવાબ ન આપ્યો: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (એક્સપ્રેસ ફોટો)

બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા પછી તરત જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી “આશ્ચર્ય” થઈ ગયા હતા અને પ્રશ્નોના જવાબ આપ્યા નહી. ગૌતમ અદાણીના નસીબના ઉદયમાં તેમની સરકારની કથિત ભૂમિકા વિશે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલે આરોપ લગાવ્યો કે, પીએમ અદાણીનો “બચાવ” કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

“વડાપ્રધાન ચોંકી ગયા. તે આઘાતમાં હતા અને તેમની પાસે કોઈ જવાબ નહોતો. વડાપ્રધાને એક પણ જવાબ આપ્યો ન હતો. મેં કોઈ મુશ્કેલ પ્રશ્નો પૂછ્યા ન હતા. મેં ફક્ત એટલું જ પૂછ્યું કે તે (ગૌતમ અદાણી) તમારી સાથે કેટલી વાર મુસાફરી કરી છે, તમે તેમને ત્યાં કેટલી વાર મળ્યા છો. આ સરળ પ્રશ્નો હતા પરંતુ કોઈ જવાબ ન હતો.

મંગળવારે લોકસભામાં તેમના 53 મિનિટના ભાષણમાં, રાહુલે મોદી અને તેમની સરકાર પર કથિત રીતે અદાણીની તરફેણમાં તાર ખેંચવાનો અને 2014 થી ઉદ્યોગપતિના ઉછાળાને વેગ આપવા નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો.

પીએમ મોદીના ભાષણનો જવાબ આપતા રાહુલે પત્રકારોને કહ્યું, ‘હું સંતુષ્ટ નથી. તે સત્યને ઉજાગર કરે છે. (PM)નું ભાષણ સત્ય દર્શાવે છે. જે પૂછવામાં આવ્યું તેનો કોઈ ઉલ્લેખ નહોતો. જો તે (અદાણી) તેમના મિત્ર ન હોય તો તેમણે કહેવું જોઈએ કે, તપાસ કરાવી રહ્યા છીએ.

રાહુલે કહ્યું કે આ પણ સંરક્ષણ ઉદ્યોગ સાથે જોડાયેલો મુદ્દો છે. “ત્યાં શેલ કંપનીઓ છે, બેનામી મની સર્ક્યુલેટ કરવામાં આવી રહી છે અને વડા પ્રધાને કશું કહ્યું નહી,” તેમણે કહ્યું, “તે સ્પષ્ટ છે કે PM તેમને (અદાણી) ની રક્ષા કરી રહ્યા છે”.

“આ એક મોટું કૌભાંડ છે. તેમણે એવું પણ કહ્યું ન હતું. તે (પીએમ) ચોક્કસપણે તેને (અદાણી) બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું તે સમજું છું અને તેના કારણો પણ છે.

વડા પ્રધાનના દાવા વિશે પૂછવામાં આવતા કે, દેશના લોકોને તેમનામાં વિશ્વાસ છે. રાહુલે કહ્યું: “તે સારું છે. હું જે કહું છું તે એ છે કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. વડા પ્રધાને કહેવું જોઈતું હતું કે, અમે તપાસ કરાવીશું, અમે તપાસ કરાવીશું, અમે જોઈશું કે શું થયું છે. મોટું કૌભાંડ છે. પણ તેમણે એવું ન કર્યું. તે તેમને (અદાણી) બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું સમજું છું, હું કારણ જાણું છું.

આ પણ વાંચોPM Modi in Parliament: પીએમ મોદીનો વિપક્ષ પર પલટવાર: દેશની જનતાનો વિશ્વાસ જ મારું સુરક્ષા કવચ છે, તમારું જૂઠાણું કંઇ નહીં કરી શકે

આ દરમિયાન, પીએમ મોદીના ભાષણ પર તેમની પ્રતિક્રિયામાં, એઆઈસીસીના સંચાર પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું: “ડિવર્ટ ડિફેમ ડિનિગેટ ઈનકાર. PMની પોતાની શૈલીમાં તે 4D જે સંસદમાં તેમના કહેવાતા જવાબનું વર્ણન કરે છે. PMના પોતાના મનપસંદ ઉદ્યોગપતિ, અદાણી, અથવા તેમના ઘોટાળા સાથેના સંબંધો પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે એક પણ શબ્દ નથી કહ્યો!”

Web Title: Pm modi furious in parliament does not give a single reply on adani rahul gandhi

Best of Express