કેટલી સાચી થઈ 2022 માટે પીએમ નરેન્દ્ર મોદીએ કરેલી આ વાતો? જાણો શું હતા વાયદા અને કેવી છે વાસ્તવિકતા

PM Narendra Modi Promises and Reality 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં તેમની સરકાર કયા કયા કામ પુરા કરવા માંગે છે, અને શું છે તેમનું વિઝન? તે ભાષણોમાં જણાવ્યું છે, તો ચાલો જાણીએ, વડાપ્રધાનના વચનોની વાસ્તવિક સ્થિતિ શું છે?

PM Narendra Modi Promises and Reality 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં તેમની સરકાર કયા કયા કામ પુરા કરવા માંગે છે, અને શું છે તેમનું વિઝન? તે ભાષણોમાં જણાવ્યું છે, તો ચાલો જાણીએ, વડાપ્રધાનના વચનોની વાસ્તવિક સ્થિતિ શું છે?

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

પ્રધાનમંત્રી મોદી વચનો અને વાસ્તવિકતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘણા વચનોની અંતિમ તારીખ 2022 હતી. વર્ષ પૂરું થતાંની સાથે જ વડાપ્રધાન મોદીના વચનોને સોશિયલ મીડિયા પર યાદ કરવામાં આવી રહ્યા છે. પીએમએ કહ્યું હતું કે, 2022 સુધીમાં તમામ ભારતીયો પાસે પોતાનું ઘર હશે, ખેડૂતોની આવક બમણી થશે, બુલેટ ટ્રેન દોડશે, ભારતના તમામ ઘરોમાં 24x7 વીજળી ઉપલબ્ધ થશે, અર્થવ્યવસ્થા બમણી થશે વગેરે વગેરે. તો ચાલો જાણીએ, વડાપ્રધાનના વચનોની વાસ્તવિક સ્થિતિ શું છે?

Advertisment

2022 સુધીમાં અર્થવ્યવસ્થા બમણી થશે - મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 સપ્ટેમ્બર 2018ના રોજ કહ્યું હતું કે, 2022 સુધીમાં ભારતીય અર્થતંત્રનું કદ બમણું થઈને $5 ટ્રિલિયન થઈ જશે. તેમણે કહ્યું હતું કે, ઉત્પાદન અને કૃષિ ક્ષેત્ર દરેક એક ટ્રિલિયન ડોલરનું યોગદાન આપશે. વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીના દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં બોલતી વખતે આ વચન આપ્યું હતું.

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતની જીડીપી 3.5 ટ્રિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. આ આંકડો 2014ના યુએસ $2.6 ટ્રિલિયન કરતાં ચોક્કસપણે વધારે છે પરંતુ વડા પ્રધાન દ્વારા વચન આપેલા $5 ટ્રિલિયન નથી થયો. મેન્યુફેક્ચરિંગ સેક્ટર હજુ પણ ભારતીય અર્થતંત્રમાં એક ટ્રિલિયન ડૉલરનું યોગદાન નથી આપી રહ્યું. ઈન્ડિયા બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશનનો અંદાજ છે કે 2025 સુધીમાં ભારતનું ઉત્પાદન ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં $1 ટ્રિલિયનનું યોગદાન આપી શકે તેવી સ્થિતિમાં હશે.

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે - મોદી

20 જૂન 2018ના રોજ નવ રાજ્યોના ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સરકારના પ્રયાસોને કારણે ખેડૂતો હવે ચિંતામુક્ત છે. વડાપ્રધાને 2016માં પણ આ વાત કહી હતી.

Advertisment

વડાપ્રધાન મોદી દ્વારા આટલું મોટું વચન આપવા છતાં કેન્દ્ર સરકાર સામે એક વર્ષથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જે કૃષિ કાયદાઓ સામે ખેડૂતોએ આંદોલન ચલાવ્યું હતું કે, સરકારે તે પણ પાછા ખેંચવા પડ્યા હતા. જ્યાં સુધી આવક બમણી કરવાની વાત છે, તો 2018માં જ કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે દેશની પ્રથમ કૃષિ નિકાસ નીતિને પણ મંજૂરી આપી હતી.

જો કે, અત્યાર સુધી મોદી સરકારે એ ડેટા ઉપલબ્ધ કરાવ્યો નથી કે, 2016માં ખેડૂતો કેટલી કમાણી કરતા હતા અને હવે તેમની કમાણી કેટલી થઈ છે. જેના કારણે ખેડૂતોની આવક બમણી થઈ છે કે કેમ તે જાણવું અશક્ય બની ગયું છે. 2019-20માં સરકારે કૃષિ માટે 113,800 કરોડનું બજેટ રાખ્યું હતું. 2022-23માં તે ઘટીને 105,710 કરોડ થઈ હતી.

આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા લોકોમાં પણ ઘટાડો થયો છે. NSO અનુસાર, 2012-13માં 57.8 ટકાથી વધીને 2018-19માં લગભગ 54 ટકા ગ્રામીણ પરિવારો ખેતીમાં રોકાયેલા હતા.

બુલેટ ટ્રેન 2022 સુધી ચાલશે - મોદી

11 ફેબ્રુઆરી 2018 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા કહ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2022 સુધીમાં ભારતમાં વાસ્તવિકતા બની જશે.

ડાયસ્પોરાને સંબોધતા પીએમ મોદીએ ભારતના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે વાત કરી અને કહ્યું કે, બુલેટ ટ્રેન માત્ર રેલવે નેટવર્કને જ નહીં પરંતુ નવીનતા અને ટેક્નોલોજી ક્ષેત્રને પણ વેગ આપશે. "નવા ભારતમાં, અમે હવે વિલંબ કરતા નથી," તેમણે કહ્યું હતુ.

જો કે હજુ સુધી બુલેટ ટ્રેનનું કામ પૂર્ણ થયું નથી. રેલવે મંત્રાલયે પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, માત્ર 22.46% કામ પૂર્ણ થયું છે. ઘણી જગ્યાએ તો જમીન સંપાદનની કામગીરી પણ પૂર્ણ થઈ નથી. ગુજરાતમાં 98.87% અને મહારાષ્ટ્રમાં 95.45% જમીન સંપાદિત કરવામાં આવી છે. દાદરા અને નગર હવેલીમાં જમીન સંપાદનનું 100% કામ પૂર્ણ થઈ ગયું છે.

સપ્ટેમ્બર 2017માં પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે, 15 ઓગસ્ટ, 2022 સુધીમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. બાદમાં સમયમર્યાદા વધારીને 2023 કરવામાં આવી હતી. આ પછી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન આવ્યું કે, બુલેટ ટ્રેન દોડવા માટે 2026 સુધીનો સમય લાગી શકે છે.

2022 સુધીમાં દરેક પાસે ઘર હશે - મોદી

ડિસેમ્બર 2016માં 'પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના'ની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગ્રામાં કહ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં દરેક ભારતીય પાસે પોતાનું ઘર હશે. મહત્વાકાંક્ષી યોજના, સંપૂર્ણ રીતે ગ્રામીણ લોકો માટે રચાયેલ છે, જેનો ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને પોસાય તેવા આવાસ પૂરા પાડવાનો છે. લોકાર્પણ પછી એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે, તેમની સરકાર ગરીબ લોકોને સમર્પિત છે અને તેની તમામ યોજનાઓ તેમના માટે છે.

હાઉસિંગ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, શહેરી આવાસ યોજના હેઠળ માત્ર 67 લાખ મકાનો જ બનાવવામાં આવ્યા છે. આ આંકડો મંજૂર થયેલા 1.22 કરોડ મકાનોમાંથી લગભગ અડધો છે. વર્ષ 2020માં ઇન્ડિયાસ્પેન્ડે તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારતમાં લગભગ 1.77 મિલિયન લોકો હજુ બેઘર છે.

2022 સુધીમાં તમામ ઘરોમાં 24X7 વીજળી - મોદી

2015 માં, શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 2022 માં, જ્યારે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે, ત્યારે દરેક ઘરમાં 24X7 વીજળી હોવી જોઈએ. વડાપ્રધાન મોદીએ આ લક્ષ્ય પોતાના માટે નક્કી કર્યું હતું.

આ પણ વાંચો - નવી શિક્ષણ નીતિ બાળકોમાં વિશ્લેષણ, વિચાર અને સંશોધન ક્ષમતા વિકસાવવામાં મદદ કરશે, દેશને ટોચ પર લઈ જશે: શાહ

ઓગસ્ટ 2021માં લોકસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, હિમાચલના ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 15.50 કલાક વીજળીનો પુરવઠો હતો. તેવી જ રીતે, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં 16.26 કલાક, કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં 19.11 કલાક, ત્રિપુરાના ગ્રામીણ વિસ્તારોમાં 19.33 કલાક અને હરિયાણાના ગ્રામીણ વિસ્તારોમાં 19.57 કલાક વીજ પુરવઠો રજૂ કરવામાં આવ્યો હતો.

ગુડબાય 2022 Express Exclusive દેશ PM Narendra Modi