scorecardresearch

રાહુલ ગાંધીનું સાંસદપદ રદ કરવા ભાજપના નિશિકાંત દુબેની માંગ, સુબ્રમણ્યમ સ્વામીની 1976ની ઘટનાનું ઉદાહરણ આપ્યું

Rahul gandhi : ભાજપના સાસંદ નિશિકાંત દુબે એ કોંગ્રેસના રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી છે. આ માટે તેમણે વર્ષ 1976માં સુબ્રમણ્યમ સ્વામીનું રાજ્યસભાનું પદ રદ કરવાની ઘટનાનું ઉદાહરણ આપ્યું.

rahul gandhi
ભાજપના સાંસદ નિશિકાંત દુબે એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી.

ભાજપના નેતા અને સમર્થકો રાહુલ ગાંધી પર સતત હુમલો કરતા રહે છે. હવે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ શુક્રવારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ભાજપના સાંસદ નિશિકાંત દુબે શુક્રવારે લોકસભાની વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થયા હતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સંસદપદ રદ કરવાની માંગ કરી હતી.

સાંસદ નિશિકાંત દુબેએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન “ભ્રામક, અપમાનજનક, બદનક્ષીપૂર્ણ, અસંસદીય અને વાંધાજનક” નિવેદનો કરવા બદલ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર પ્રસ્તાવની માંગ કરી હતી.

ગૌતમ અદાણી મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો

લોકસભાના સાંસદ સુનિલ સિંહે નિશિકાંત દુબેને સાક્ષી તરીકે સમિતિ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. સમિતિના વડા સુનિલ સિંહ ઉપરાંત આજે હાજર રહેલા સમિતિના અન્ય સભ્યોમાં TMC સાંસદ કલ્યાણ બેનર્જી, કોંગ્રેસના કે.કે. સુરેશ, સીપી જોશી, દિલીપ ઘોષ, રાજુ બિસ્તા અને ભાજપના ગણેશ સિંહનો સમાવેશ થાય છે. કે. સુરેશ અને અને કલ્યાણ બેનર્જી જેવા સાંસદોએ દલીલ કરી હતી કે આવા ઉલ્લંઘન માટે કોઈ આધાર નથી કારણ કે વાયનાડના સાંસદનું ભાષણ પહેલેથી જ હટાવી દેવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડીએમકે સાંસદ ટી.આર. બાલુ આજે સમિતિ સમક્ષ હાજર નહોતા પરંતુ તેમણે સમિતિને લખ્યું છે કે, એવો કોઇ વિશેષાધિકાર નથી, જે રાહુલ વિરુદ્ધ દલીલ આપી નથી. આ મુદ્દે તેમની દલીલમાં નિશિકાંત દુબેએ કહ્યું કે ભલે ચર્ચા રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવમાં હતી, પરંતુ રાહુલ ગાંધીનો જવાબ મોટાભાગે ગૌતમ અદાણી વિશે હતો અને હકીકતમાં અદાણીનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં ઓછામાં ઓછા 75 વખત કર્યો હતો.

તે ઉપરાંત ઝારખંડના સાંસદે પોતાનો કેસ રજૂ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી સામે ત્રણ વિશેષાધિકાર નોટિસ લાવવાની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું હતું કે પ્રથમ નિયમ 352(2) હેઠળ, સાંસદ ફક્ત પૂર્વ સૂચના સાથે અને સ્પીકરની મંજૂરી વગર સાથી સાંસદ પર ટિપ્પણી કરી શકે છે. રાહુલે પીએમ નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરીને તેનું ઉલ્લંઘન કર્યું.

બીજું, નિશિકાંત દુબેએ 1976ની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે સુબ્રમણ્યમ સ્વામીને રાજ્યસભામાંથી બરતરફ કરવાની માંગ કરી હતી – તે સમયે તેમણે સંસદ અને પીએમ પર આરોપો લગાવ્યા હતા. નિશિકાંત દુબેએ કહ્યું કે અત્યારે પણ સ્થિતિ એવી જ છે – વડાપ્રધાનના વર્તનની ટીકા કરવી એ લોકશાહીને નબળી પાડી રહી છે.

ત્રીજું, સૂત્રોએ જણાવ્યું હતું કે નિશિકાંત દુબેએ પ્રમાણિત કર્યું હતું કે રાહુલ ગાંધીનું ભાષણ કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેણે સોશિયલ મીડિયા પર તપાસ કરી, ત્યારે ટ્વિટર અને યુટ્યુબ ચેનલો પર ગાંધીના હેન્ડલ્સ પર હજી પણ કાઢી નાંખવામાં આવેલા ભાષણ અને ટ્વીટ્સ હતા. તે પોતે સ્પીકરની સત્તા અને વિવેકને નબળું પાડે છે.

દુબેએ કહ્યું હતું કે, “કોઈપણ નેતા અથવા રાજ્યના વડાની સત્તા અને સ્થિતિને નબળી પાડવી એ રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કરવા સમાન છે.”

આ પણ વાંચોઃ લંડનમાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર મોટો પ્રહાર, કહ્યું- લોકતંત્ર પર ગંભીર સંકટ

સૂત્રોએ જણાવ્યું કે, નિશિકાંત દુબેએ વધુ એક દલીલ કરી હતી કે ઇઝરાયેલ અને બાંગ્લાદેશમાં રહેલા અદાણી પ્રોજેક્ટ્સ પર રાહુલ ગાંધીના આક્ષેપો ભારતના હિતની વિરુદ્ધ છે. નિશિકાંત દુબેએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2011માં ભારતના વડાપ્રધાન ડો.મનમોહન સિંહ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વચ્ચે થયેલા પાવર પ્લાન્ટ કરારને પણ સાબિત કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા મોદીના શાસનમાં બાંગ્લાદેશમાં અદાણી જૂથને પાવર પ્લાન્ટ મળ્યો હોવાની જે દલીલ કરવામાં આવી રહી છે તે જુઠ્ઠાણું છે. સૂત્રોએ જણાવ્યું કે, “તેથી નિશિકાંત દુબેએ તેમના વિશેષાધિકાર પ્રસ્તાવ દ્વારા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સમાપ્ત કરવાની માંગ કરી હતી.” આગામી દિવસોમાં સમિતિ દ્વારા રાહુલ ગાંધીને વિશેષાધિકાર પ્રસ્તાવના સંબંધમાં સમિતિ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવી શકે છે. (ANI)

Web Title: Rahul gandhi lok sabha membership termination bjp mp nishikant dubey

Best of Express