રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, તમામ 6 દોષિતોને જેલ મુક્ત કરવાનો આદેશ

Rajiv Gandhi murder case : રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વનો નિર્ણય સંભળાવી 6 દોષિતોને જેલ મુક્ત (convicts jail release) કરવાનો આદેશ આપ્યો છે. નલિની, રવિચંદ્રન અને રોબર્ટ પોયેસ સાથે મુરુગન, સંથન, જયકુમારને મુક્ત કરાશે.

Rajiv Gandhi murder case : રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વનો નિર્ણય સંભળાવી 6 દોષિતોને જેલ મુક્ત (convicts jail release) કરવાનો આદેશ આપ્યો છે. નલિની, રવિચંદ્રન અને રોબર્ટ પોયેસ સાથે મુરુગન, સંથન, જયકુમારને મુક્ત કરાશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

રાજીવ ગાંધી હત્યા કેસના દોષિતોને જેલ મુક્ત કરવા આદેશ (ફાઈલ ફોટો)

Rajiv Gandhi murder case : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આપને જણાવી દઈએ કે શુક્રવારે (11 નવેમ્બર) દેશની સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

Advertisment

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

તમામ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો આ તમામ દોષિતો સામે અન્ય કોઈ કેસ નથી તો તેમને મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, રાજ્યપાલે લાંબા સમયથી આ મામલે કોઈ પગલું ભર્યું નથી, તેથી અમે પગલાં લઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા મે મહિનામાં મુક્ત થયેલા અન્ય દોષિત એજી પેરારીવલનના કેસને ધ્યાનમાં લઈને આ આદેશ આપ્યો હતો.

કોને મુક્ત કરવામાં આવશે

રાજીવ ગાંધી હત્યા કેસમાં નલિની, રવિચંદ્રન અને રોબર્ટ પોયેસ સાથે મુરુગન, સંથન, જયકુમારને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં પેરારીવલનને પહેલા જ છોડી દેવામાં આવ્યો છે.

Advertisment

હત્યા 21 મે 1991 ના રોજ થઈ હતી

નલિની હાલ પેરોલ પર બહાર હોવાનું જાણવા મળે છે. મદ્રાસ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધા બાદ તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. તમને જણાવી દઈએ કે, 21 મે 1991ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી સભામાં એલટીટીઈના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પેરારીવલન સહિત સાત લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - જેએનયૂ કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથ ઝઘડ્યા, પોલીસે મોરચો સંભાળ્યો

પેરારીવલનને ટાડા કોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે દયા અરજીના નિકાલમાં વિલંબના આધારે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.

congress દેશ સુપ્રીમ કોર્ટ