શુભાજીત રોયઃ અત્યારે આખા વિશ્વને હચમચાવનારું રશિયા અને યુક્રેન દેશો વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય મહિનાઓથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. થોડા સમયમાંથી યુદ્ધ શાંત જેવી સ્થિતિમાં આવ્યું હતું જોકે, થોડા દિવસોથી રશિયાએ ફરીથી યુક્રેનના શહેરો ઉપર મિસાઇલો છોડવાનું ચાલું કર્યું છે. જેથી ફરીથી આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે દેશની વિદેશ નિતિ સ્પષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં રશિયામાં થનારા વાર્ષીક શિખર સમ્મેલનમાં નહીં જાય. બંને નેતાઓએ શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં યુક્રેન અને ભારત- રશિયા દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી. યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ આ વર્ષમાં તેમની પાંચમી વાતચીત છે.
જ્યારે ભારત સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મોદી વાતચીત અને કૂટનીતિને આગળ વધારવાનો એકમાત્ર રીત માટે પોતાના આહ્વાનને પુર્નાવર્તન કર્યું હતું. ક્રેમલિનના નિવેદનને આનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં અને આ ઉપરાંત કહ્યું કે ‘નરેન્દ્ર મોદીના અનુરોધ પર વ્લાદિમીર પુતિને યુક્રેનની દિશામાં રશિયાના વલણ અંગે મૌલિક આકલન કર્યું હતું’. સમરકંદમાં પુતિન માટે મોદીના અત્યારના પ્રસિદ્ધ નિવેદનનો કોઈ ઉલ્લખન નથી કરાયો કે આ યુદ્ધનો યુગ નથી.
જ્યારે ભારતે કહ્યું કે બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોના અનેક પહેલુંઓની સમીક્ષા કરી, જેમાં ઉર્જા સહયોગ, વ્યાપાર અને રોકાણ, રક્ષા અને સુરક્ષા સહયોગ અને અન્ય પ્રમુખ ક્ષેત્રોનો સમાવેશ છે. રશિયન નિવેદનમાં રક્ષા અને સુરક્ષાનો ઉલ્લેખ ન્હોતો. તેમની ચર્ચાની પારસ્પરિક રોકાણ, ઉર્જા, કૃષિ, પરિવહન અને રસદ અંગે વ્યાવહારિક વાતચીતની સંભાવનાઓ છે.
મોદી અને પુતિનની છેલ્લી મુલાકાત આ વર્ષની 16 ડિસેમ્બરે ઉજ્વેકિસ્તાનના સમરકંદમાં એસસીઓ શિખર સમ્મેલન દરમિયાન થઈ હતી. એ સમયે મોદીએ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી- આ જી 20ના બાલી ઘોષણાપત્રમાં પરિલક્ષિત થયું હતું.
રશિયા પક્ષ દ્વારા શુક્રવારે શરુ કરવામાં આવેલી ફોનકોલ બાદ દિલ્હીમાં વડપ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે “એસસીઓ શિખર સમ્મેલનના અવસર પર સમરકંદમાં પોતાની બેઠક બાદ બંને નેતાઓએ ઉર્જા સહયોગ સહિત દ્વિપક્ષીય સંબંધોના અનેક પહેલુઓની સમીક્ષા કરી, વ્યાપાર અને રોકાણ, રક્ષા અને સુરક્ષા સહોયગ સહિત અન્ય પ્રમુખ ક્ષેત્ર… યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ આગળ વધવાની એકમાત્ર રીતના રૂપમાં વાતચીત અને કૂટનિતિના પોતાના આહ્વાનનું પુર્નાવર્તન કર્યું હતું.”
આ પણ વાંચોઃ- પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા ઉપસ્થિત રહ્યા
જેમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન અને પુતિન જે જી 20માં ભારતની અત્યારની અધ્યક્ષતા અંગે જાણકારી આપી હતી અને આની પ્રમુખ પ્રથામિક્તાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શંઘાઇ સહયોગ સંગઠનની ભારતની અધ્યક્ષતા દરમિયાન બંને દેશોના એક સાથે કામ કરવાની આશા છે. આમાં કહેવામાં આવ્યું છે કે એક-બીજાની સાથે નિયમિત સંપર્કમાં રહેવા માટે સહમત થયા છે.
ક્રેમલિનના નિવેદનમાં કહેવાયું હતું કે “રશિયા-ભારતીય વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિ ભાગીદારીના સિદ્ધાંતો ઉપર વિકસિત થઈ રહેલા દ્વિપક્ષીય સહયોગના ઉચ્ચ સ્તર પર સંતોષ વય્ક્ત કરે છે. નેતાઓએ પોતાના આંતરીક રોકાણ, ઉર્જા, કૃષી જેવા વિસ્તારોમાં વ્યવહારિક વાતચીતની સંભાવનાઓ ઉપર વિસ્તારથી ચર્ચા કરી.” જેમાં કહેવામં આવ્યું હતું કે જેમણે જી 20 અને શંઘાઈ સહયોગ સંગઠનમાં ભારતીય રાષ્ટ્રપતિ પદના સંદર્ભ સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોના ઢાંચા અંતર્ગત ઘનિષ્ય સમન્વયને ચાલુ રાખવાના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું.
આમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના અનુરોધ પર વ્લાદિમીર પુતિને યુક્રેનની દિશામાં રશિયાના વલણ અંગે મૌલિક આકલન કર્યું હતું. વ્યક્તિગ સંપર્ક ચાલુ રાખવા માટે સહમતિ બની હતી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 17 ડિસેમ્બર ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન
ગત સપ્તાહે સૂત્રોએ કહ્યું હતું કે મોદી આ વર્ષે પુતિન સાથે થનારી વાર્ષિક શિખર વાર્તા માટે રશિયા નહીં જઈ રહ્યા. કારણ કે શેડ્યૂલિંગ સંબંધી મુદ્દા છે. આ રશિયા-યુક્રેન સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં આવે છે. જેમાં ભારતે બંને પક્ષો માટે એક રાજનીતિક સંતુલન અધિનિયમ બનાવ્યા રાખવાની માંગ છે.
ભારતના વડાપ્રધાન અને રશિયન સંઘના રાષ્ટ્રપતિ વચ્ચે વાર્ષીક શિખર સંમ્મેલન બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીમાં સર્વોચ્ચ સંસ્થાગત સંવાદ તંત્ર છે. અત્યાર સુધી ભારત અને રશિયામાં વારાફરથી 21 વાર્ષીક શિખર સંમ્મેલન થઈ ચુકી છે. ગત શિખર સમ્મેલન 6 ડિસેમ્બર 2021એ નવી દિલ્હીમાં યોજાઈ હતી.