સરબત ખાલસા શું છે? કેમ અમૃતપાલ બૈસાખી પર તેનું આયોજન કરવાની કરી રહ્યો માંગ?

Sarabat Khalsa : અમૃતપાલ સિંહ (Amritpal singh) કેમ બૈસાખી પર સરબત ખાલસા બોલાવવાની માંગ કરી રહ્યો, શું છે સરબત ખાલસા? શું છે તેનો ઈતિહાસ? સરબત ખાલસાનો ઉદ્ભવ મુઘલો સામે શીખોના સંઘર્ષની વચ્ચે થયો હતો.

Written by Kiran Mehta
Updated : March 31, 2023 13:54 IST
સરબત ખાલસા શું છે? કેમ અમૃતપાલ બૈસાખી પર તેનું આયોજન કરવાની કરી રહ્યો માંગ?
શું છે સરબત ખાલસા? તેનો ઉદ્ભવ કેવી રીતે થયો? (Express photo by Rana Simranjit Singh)

Sarbat Khalsa Meaning: ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસની પકડથી બહાર છે. જો કે, આ દરમિયાન, બે વીડિયો અને એક ઓડિયો જાહેર કરીને, અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ પાસેથી આગામી બૈસાખી પર ‘સરબત ખાલસા’ બોલાવવાની માંગ કરવામાં આવી છે. અમૃતપાલ સિંહે પોતાના વીડિયોમાં કહ્યું છે કે, આવનારી બૈસાખી પર તલવંડી સાબોના તખ્ત શ્રી દમદમા સાહિબમાં સરબત ખાલસા બોલાવવામાં આવે. તો તમને જણાવીએ કે ‘સરબત ખાલસા’ શું છે અને શા માટે અમૃતપાલ તેને બોલાવવાની માંગ કરી રહ્યા છે.

સરબત ખાલસા શું છે?

સરબત શબ્દનો અર્થ ‘બધા’ થાય છે જ્યારે ખાલસાનો અર્થ ‘શીખ’ થાય છે એટલે કે, તમામ શીખોના તમામ જૂથોની એક સભા. શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંઘના મૃત્યુ પછી, શીખ મિસલ (લશ્કરી એકમો) એ સમુદાય માટે ખૂબ મહત્વ ધરાવતા રાજકીય, સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરબત ખાલસા બોલાવવાનું શરૂ કર્યું. સરબત ખાલસાનો ઉદ્ભવ મુઘલો સામે શીખોના સંઘર્ષની વચ્ચે થયો હતો.

વર્ષમાં બે વાર સરબત ખાલસાનું આયોજન કરવામાં આવે છે – બૈસાખી અને દિવાળીના પ્રસંગે. સરબત ખાલસા એ શીખોની પ્રથમ સંસ્થા હતી, જેણે માનવ સ્વરૂપમાં ગુરુની પરંપરાના અંત પછી આકાર લીધો અને મિસ્લો વચ્ચેના આંતરિક સંઘર્ષો વચ્ચે તે ખૂબ જ અસરકારક સાબિત થઈ. ઇતિહાસકાર હેનરી પ્રિન્સેપ, જેમણે શીખોનો પ્રારંભિક ઇતિહાસ લખ્યો હતો, તેમણે 19મી સદીના પૂર્વાર્ધમાં નોંધ્યું છે કે, તેમની સ્વતંત્રતાની ઉગ્ર ભાવના હોવા છતાં, તમામ શીખ મિસલો સંઘર્ષ વિના સરબત ખાલસામાં સાથે બેઠા હતા.

રણજીત સિંહના કાળમાં ખતમ થયું આયોજન

1799માં મહારાજા રણજીત સિંહ દ્વારા શીખ રાજ્યની સ્થાપનાએ શીખ મિસ્લોના યુગને સમાપ્ત કરી દીધો અને તેની સાથે ખતમ થઈ ગઈ સરબત ખાલસાની જરૂરિયાત. આ સમયની શરૂઆત પણ હતી, જેમાં શીખોએ પ્રથમ વખત આઝાદીનો અનુભવ કર્યો, જેણે તેમની મોટાભાગની સમસ્યાઓનું સમાધાન કર્યું. 20મી સદીમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) ની રચનાએ સરબત ખાલસા જેવી સંસ્થાની જરૂરિયાતને વધુ ઘટાડી.

આ પણ વાંચોઅમૃતપાલે રજૂ કર્યો વધુ એક વીડિયો, ઝડપથી પબ્લિકમાં આવીશ, સરબત ખાલસા બોલાવો

1920માં સરબત ખાલસાએ ગુરુદ્વારાઓ પર નિયંત્રણ લાવવા માટે હાકલ કરી, બાદમાં એસજીપીસીનો જન્મ થયો. 1984માં પણ સુવર્ણ મંદિર પર સેનાના ક્રેકડાઉન પછી કેટલાક આયોજકોએ સરબત ખાલસા બોલાવી હતી, પરંતુ SGPC સહિતની મુખ્ય શીખ સંસ્થાઓ તેનો ભાગ બની ન હતી. જ્યારે કટ્ટરપંથી શીખોએ અકાલ તખ્ત ખાતે કાર સેવા અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી, જે ઓપરેશન બ્લુસ્ટારમાં નુકસાન પામી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ