scorecardresearch

છૂટાછેડા પર સુપ્રીમ કોર્ટે આપ્યો નવો ચૂકાદો, જાણો તેની જરૂરિયાત અને મહત્ત્વ

Supreme Court judgment on divorce : સુપ્રીમ કોર્ટે છૂટાછેડા કેસમાં મહત્વનો ચૂકાદો સંભળાવતા કહ્યું કે, જો પતિ પત્ની વચ્ચે સમાધાન શક્ય નથી તો, મામલાને ફેમિલી કોર્ટ (Family Court) માં મોકલવો અને 6 થી 18 મહિનાની રાહ જોવાની અવધિ પણ ફરજિયાત રહેશે નહીં.

Supreme Court important judgment on divorce
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે છૂટાછેડા પર મહત્વનો ચુકાદો આપ્યો

પ્રભાત ઉપાધ્યાય : સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની બંધારણીય બેંચે છૂટાછેડા (Divorce) પર મહત્વનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, જો પતિ-પત્ની વચ્ચે સમાધાન માટે કોઈ અવકાશ નથી, તો તે બંધારણની કલમ 142 હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને છૂટાછેડા આપી શકે છે. આવી સ્થિતિમાં, મામલાને ફેમિલી કોર્ટ (Family Court) માં મોકલવો અને 6 થી 18 મહિનાની રાહ જોવાની અવધિ પણ ફરજિયાત રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે એવા પરિબળો પણ નક્કી કર્યા છે કે, જેના આધારે લગ્નને સમાધાનની બહાર ગણવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, જો સમાધાન માટે કોઈ અવકાશ ન હોય તો કોર્ટ માટે લગ્નને તોડી નાખવું શક્ય છે. આ મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરશે નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ‘શિલ્પા શૈલેષ Vs વરુણ શ્રી નિવાસન’ કેસમાં આપ્યો છે. બંનેએ વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડાની માંગ કરી હતી.

છૂટાછેડા માટે શું જોગવાઈઓ છે?

હિન્દુ મેરેજ એક્ટ, 1955 (hindu marriage act 1955) ની કલમ 13B પરસ્પર સંમતિથી છૂટાછેડાની જોગવાઈ કરે છે. કલમ 13B(1) જણાવે છે કે, પતિ-પત્ની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી શકે છે. તે એ હકીકત પર આધારિત હોવું જોઈએ કે, બંને એક વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે અલગ-અલગ રહેતા હોય અથવા સાથે રહેવું શક્ય ન હોય અથવા બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હોય.

બાદમાં, જો કોર્ટને લાગે છે, તો તે તપાસ કરી શકે છે અને છૂટાછેડાને મંજૂરી આપી શકે છે. જો કે, આ જોગવાઈ ત્યારે જ લાગુ થશે, જો લગ્નને ઓછામાં ઓછું એક વર્ષ પસાર થયું હોય.

આ પણ વાંચોકર્ણાટકમાં ચૂંટણી : ભાજપે સિદ્ધારમૈયાને પછાડવાનું ષડયંત્ર રચ્યું, પુત્ર યતિન્દ્રએ તેમને અંતિમ રેખા પાર લઈ જવાનું બીડુ ઉઠાવ્યું

કયા આધારે છૂટાછેડા લઈ શકાય?

હિંદુ મેરેજ એક્ટ, 1955 મુજબ, પતિ-પત્નીમાંથી કોઈ એક છૂટાછેડા માટે અરજી કરી શકે છે. આના માટેના કારણો વ્યભિચાર, ઘરેલું હિંસા, બળજબરીથી ધર્માંતરણ, ત્યાગ, રક્તપિત્ત, વેનેરીયલ રોગ અને મૃત્યુની શક્યતા હોઈ શકે છે.

Web Title: Supreme court important judgment on divorce know its need and importance

Best of Express