scorecardresearch

ત્રિપુરામાં પરાજય પર વામપંથી નેતાએ સમજાવ્યું ગણિત, કહ્યું- ટિપરા મોથાથી તાલમેલ ના થતા ભાજપને થયો ફાયદો

Tripura Election 2023 : લેફ્ટ નેતાએ કહ્યું કે કોંગ્રેસ, માકપા અને ટિપરા મોથા ત્રણેય ભાજપની વિરુદ્ધ મેદાનમાં હતા. જોકે અમારા મુદ્દા અને નારા અલગ-અલગ હતા

ત્રિપુરામાં પરાજય પર વામપંથી નેતાએ સમજાવ્યું ગણિત, કહ્યું- ટિપરા મોથાથી તાલમેલ ના થતા ભાજપને થયો ફાયદો
ત્રિપુરામાં માકપાના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી

દેબરાજ દેબ : ત્રિપુરામાં ફરી એક વખત ભાજપની સરકાર બની રહી છે. કોંગ્રેસ અને વામ દળોએ એકસાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો અને જાહેરાત કરી હતી કે આ વખતે રાજ્યમાં સત્તા પરિવર્તન થશે. જોકે આમ બન્યું ન હતું. ત્રિપુરાની રાજનીતિ અને અહીં ફરી ભાજપની સત્તામાં વાપસીને લઇને, લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધનના ખરાબ પ્રદર્શન અને ટિપરા મોથાના ઉદય માટે શું મહત્વના કારણો રહ્યા છે. આ બધા સવાલો પર માકપાના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી છે.

લેફ્ટ ગઠબંધનના નબળા પ્રદર્શનનું શું કારણ છે?

માકપાના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું કે ચૂંટણી અભિયાન દરમિયાન જ્યારે અમે એ દાવો કરી રહ્યા હતા કે ભાજપ આ ચૂંટણીમાં હારશે તો અમે ખોટા ન હતા. તમે વોટની ટકાવારીના આંકડા ઉઠાવીને જુવો, ભાજપા આ રીતે હારી ગઇ છે. ભાજપની વોટની ટકાવારી 2018ના મુકાબલો ઓછી છે. પોતાના પરાજયના કારણ પર કહ્યું કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું પણ આવું ટિપરા મોથા સાથે કરી શક્યા નહીં. જોકે અમે આ માટે પ્રયત્ન કર્યો હતો. ટિપરા મોથાએ ભાજપનો રસ્તો આસાન કરી દીધો અને વોટોનું વિભાજન થયું હતું.

ટિપરા મોથા સાથે લડ્યા હોત તો પરિણામ અલગ હોત

જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ, માકપા અને ટિપરા મોથા ત્રણેય ભાજપની વિરુદ્ધ મેદાનમાં હતા. જોકે અમારા મુદ્દા અને નારા અલગ-અલગ હતા. લેફ્ટ-કોંગ્રેસે લોકતંત્ર અને કાનૂન શાસનને બહાલ કરવાના વાયદા પર મતદાન કર્યું. જ્યારે મોથાનો મુદ્દો આદિવાસી સ્વાયત્તતાની માંગને લઇને એક સંવૈધાનિક સમાધાન હતું. અમે આ મુદ્દાને સાથ લઇને લડ્યા હોત તો પરિણામ અલગ હોત.

કોંગ્રેસ સાથેના ગઠબંધને નુકસાન કર્યું?

માકપા સચિવે કહ્યું કે આ સાચું નથી. દરેક સ્થાને, દરેક સ્તરે કોંગ્રેસ સમર્થકોએ ઘણી મહેનત કરી છે. જોકે 2018 પછી કોંગ્રેસનો એક મોટો વોટ શેર ઘટી ગયો છે. જેમાં એક મોટો હિસ્સો ભાજપમાં ફેરવાઇ ગયો છે. આ સિવાય કોંગ્રેસ ફક્ત કેટલાક વિસ્તારમાં સક્રિય હતી. તે પણ ચૂંટણી પહેલા જ. અમારી પાર્ટીથી ઉલટ કોંગ્રેસ નેતા આધારિત પાર્ટી છે. અમારા મામલામાં નેતા હોય કે ના હોય કેડર સક્રિય રહે છે.

આ પણ વાંચો – મેઘાલય : 7 માર્ચે શપથ લઇ શકે છે કોનરાડ સંગમા, બીજેપીએ પણ કેબિનેટ માટે મોકલાવ્યા પોતાના બે ધારાસભ્યોના નામ

હિંસક ઘટનાઓ વિશે શું કહ્યું

તાજેતરમાં ત્રિપુરાના વિવિધ ભાગોમાં શ્રેણીબદ્ધ હિંસક ઘટનાઓ બની છે. સીએમ ડો. માણિક સાહાએ આ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા છે અને કહ્યું છે કે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. તમારું શું કહેવું છે? જેના વિશે તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી તરફથી આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસાની આ બધી ઘટનાઓમાં તેમના (ભાજપ) સમર્થકો ઉશ્કેરણી કરનાર છે. 500થી વધુ ડાબેરી સમર્થકો પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો, 600થી વધુ ઘરોને નુકસાન થયું હતું અને ઘણા બળી ગયા હતા. દુકાનો અને રબરના વાવેતરને નુકસાન થયું છે અને ભાજપના સમર્થકો છૂટથી ફરી રહ્યા છે. પરંતુ સાચા આરોપીઓ પકડાયા ન હતા. જેઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા તેઓને થોડીવાર બાદ છોડી દેવામાં આવ્યા હતા. ભાજપ મુખ્ય ગુનેગાર છે. મુખ્યમંત્રીએ નિષ્પક્ષપણે પરિસ્થિતિને સંભાળવી જોઈએ. અમે ટૂંક સમયમાં રાજ્યપાલને મળીને તેમને પરિસ્થિતિથી વાકેફ કરીશું. ભાજપના સ્થાનિક નેતાઓ આ ઘટનાઓને ઉશ્કેરી રહ્યા છે.

ત્રિપુરામાં સામ્યવાદી રાજકારણનું ભવિષ્ય શું છે?

ભાજપે સતત બે જીત મેળવી છે ત્રિપુરામાં સામ્યવાદી રાજકારણનું ભવિષ્ય શું છે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે લોકતાંત્રિક સંસ્થાઓ પરના તેમના ફાસીવાદી હુમલાઓએ તેમને છેલ્લા પાંચ વર્ષમાં ઘણો વોટ શેર ગુમાવવો પડ્યો છે. જો તેઓ આ રીતે ચાલુ રહેશે તો તેઓ ઘટીને 30 ટકાથી ઓછા થઈ જશે. લોકો પોતાનો સમય લેશે. હવે લોકો વિરોધ કરવા માટે એકઠા થઈ રહ્યા છે. તે દિવસો નજીક છે જ્યારે ત્રિપુરા લોકો જોશે કે વહીવટીતંત્ર તેમની સલામતી અને સલામતીનું રક્ષણ ન કરે તો પણ પોતાની સુરક્ષા માટે પગલાં લે છે.

Web Title: Tripura cpm leader on bjp victory our failure to ally with tipra motha paved the way

Best of Express