scorecardresearch

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપ માટે રાહત – કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજકારણ માટે ટોચના 5 મેસેજ

Assembly Elections Result 2023: ત્રિપુરા, (Tripura) મેઘાલય (Meghalaya) અને નાગાલેન્ડ (Nagaland) માં ચૂંટણી પરિણામ આવી ગયા છે. આ પરિણામ લોકસભા ચૂંટણી 2024 (lok sabha election 2024) ના એક વર્ષ પહેલા આવ્યા છે. જે રાજકીય પાર્ટીને કેટલાક મેસેજ આપે છે. આજ વર્ષે રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢ (chhattisgarh) તેમજ દક્ષિણમાં કર્ણાટક (Karnataka) અને તેલંગાણા (telangana) માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, વિરોધ પક્ષો માટે તેમની રણનીતિ પર પુનર્વિચાર કરવાનો અને ખામીઓને દૂર કરવાનો સમય આવી ગયો છે

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપ માટે રાહત – કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજકારણ માટે ટોચના 5 મેસેજ
પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ રાજકીય પક્ષોને આ 5 મેસેજ આપી રહ્યા

Assembly Elections Result 2023: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ના એક વર્ષ પહેલા એટલે કે 2023 ની શરૂઆતમાં, ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય પક્ષો સિવાય દેશને ઘણા મેસેજ આપી જાય છે. 2 માર્ચે, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ત્રણ પૂર્વોત્તર રાજ્યોના ચૂંટણી પરિણામોની ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. તો, વિરોધ પક્ષો માટે તેમની રણનીતિ પર પુનર્વિચાર કરવાનો અને ખામીઓને દૂર કરવાનો સમય આવી ગયો છે.

આ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે

વર્ષ 2023માં ઉત્તર ભારતના ત્રણ મુખ્ય હિન્દીભાષી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તેમજ દક્ષિણમાં કર્ણાટક અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા આ રાજ્યોની ચૂંટણી પર પૂર્વોત્તરમાંથી મળેલા રાજકીય મેસેજને પણ પ્રભાવિત કરી શકાય છે. ચાલો જાણીએ કે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીથી આ વર્ષે ચૂંટણીનો સામનો કરી રહેલા રાજ્યો અને દેશની રાજનીતિ માટે શું પાંચ મુખ્ય સંદેશ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘જાદુ’ વધી રહ્યો છે

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે ઉજવણીનો પ્રસંગ લઈને આવ્યા છે. લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધવા ઉપરાંત પરિણામનો સૌથી મોટો સંદેશ એ છે કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ વધી રહ્યો છે. કારણ કે ઉત્તર-પૂર્વના પહાડી વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યોગ્ય હસ્તક્ષેપ છતાં રાજકીય રીતે ભાજપ ચૂંટણી બોર્ડમાં ખૂબ પાછળ રહેતી હતી. પીએમ મોદીના આગમન બાદ બીજેપીને પૂર્વોત્તરમાં પોતાના મૂળ સ્થાપિત કરવા અને પ્રભાવ વધારવાની મોટી તક મળી છે.

છેલ્લા લગભગ નવ વર્ષમાં પીએમ મોદીએ 50થી વધુ વખત પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લીધી છે. તેમની લૂક ઈસ્ટ પોલિસી હેઠળ કરવામાં આવેલા કામથી પણ આ રાજ્યોમાં તેમના ચાહકોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. પીએમ મોદીએ કેન્દ્રમાં પૂર્વોત્તરના વિકાસ માટે સ્વતંત્ર મંત્રાલયની રચના કરી હતી. પહેલા આસામમાં બહુમતી સરકાર, પછી ત્રિપુરામાં 25 વર્ષ જૂના ડાબેરી શાસનને ઉથલાવી નાખવું અને બાદમાં ફરીથી સત્તામાં આવવું અને બીજેપીનું અન્ય રાજ્યોમાં ગઠબંધન દ્વારા સત્તામાં આવવું તેનું ઉત્તમ ઉદાહરણ છે.

કોંગ્રેસ પર સત્તાથી દૂર થવાની સ્પષ્ટ અસર, ઓછો થઈ રહ્યો જનાધાર

કેન્દ્ર અને ઉત્તર-પૂર્વના અન્ય રાજ્યોની જેમ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ કૉંગ્રેસનો ઘટતો જતો જનાધાર જોવા મળ્યો. પ્રાદેશિક પક્ષ ટીપ્રા મોથાએ ત્રિપુરામાં કોંગ્રેસની વોટબેંક કબજે કરી લીધી. ડાબેરીઓ સાથેનું ગઠબંધન પણ તેમના માટે કામ કરી શક્યું નહી. તો, મેઘાલયમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી તૃણમૂલ કોંગ્રેસે તેના મતદારોને જીતાડ્યા છે. નાગાલેન્ડમાં પણ કોંગ્રેસને એક પણ બેઠક મળી શકી નથી. ત્રણ રાજ્યોની કુલ 180 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસને માત્ર 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. એક સમયે કોંગ્રેસનો મુખ્ય મતદાર રહેતો આદિવાસી સમાજ તેનાથી મોં ફેરવી ગયો છે. ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસના ટોચના નેતાઓના નિવેદનોમાં ‘નાના રાજ્યો’ અથવા ‘સત્તાની નજીક’ જેવા નિવેદનો આપી સંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. આ પરિણામો કોંગ્રેસ માટે મોટો રાજકીય મેસેજ છે. કારણ કે આગામી ચૂંટણીમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.

દેશના રાજકારણમાં ડાબેરી પક્ષો અપ્રસ્તુત બની રહ્યા છે

આઝાદી બાદ દેશમાં સત્તાધારી કોંગ્રેસ સામે વિરોધની રાજનીતિ માટે પ્રખ્યાત ડાબેરી પક્ષો અનેક વખત વિભાજીત થયા બાદ હવે દેશના રાજકારણમાં અપ્રસ્તુત બની રહ્યા છે. CPI(M), જેણે પશ્ચિમ બંગાળના ઉત્તર-પૂર્વમાં ત્રિપુરાનો પોતાનો ગઢ ગુમાવ્યો, તે તમામ પ્રયાસો છતાં સત્તામાં પરત ફરી શક્યું નથી. ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચેની ગઠબંધન સમજૂતી પણ કામ ન કરી શકી. કેરળને બાદ કરતાં દેશના તમામ રાજ્યોમાં ડાબેરી પક્ષોની હાલત સુધરતી જણાતી નથી. તેમના માટે, પૂર્વોત્તરના પરિણામો રાજકીય સિદ્ધાંતો અને ચૂંટણી વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની તક છે.

સ્થાનિક મુદ્દાઓ અને આદિવાસી મતો ભાજપની મુશ્કેલીમાં વધારો કરે છે

ઉત્સાહ અને ઉજવણીની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે પણ પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામોએ ચિંતા વધારી છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સ્થાનિક મુદ્દાઓ અને આદિવાસી સમાજના મતને લઈને ચિંતિત છે. ત્રિપુરામાં સીટો ઘટી છે. આદિવાસી મતબેંકને આકર્ષવાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને ટીપરા મોથાનો સિક્કો ચમક્યો. મેઘાલયમાં એકલા લડવાથી બેઠકો વધી ન શકી અને નાગાલેન્ડમાં ગઠબંધન હોવા છતાં હાલ એવા ને એવા જ રહ્યા. કેન્દ્રની મોદી સરકાર દ્વારા આદિવાસી સમુદાય માટે કરવામાં આવેલી યોજનાઓ, પહેલો અને કામોની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અપીલની પણ ખાસ અસર જોવા મળી નથી. લોકસભાની ચૂંટણી અને તે પહેલાંની તમામ વિધાનસભાની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ અને આદિવાસી વોટબેંકને લઈને ભાજપ સામેના મોટા પડકારને પાર કરવાનો સંદેશો મળ્યો છે.

આ પણ વાંચોલોકસભા ચૂંટણી 2024 પહેલા ઉત્તર પૂર્વ રાજ્યોમાં પણ વધ્યો ભાજપનો પ્રભાવ

પેટાચૂંટણીમાં પરિણામનો મેસેજ ‘એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ’ હતો

પૂર્વોત્તરમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો માટે 2 માર્ચે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ બહાર આવ્યા હતા. આ પરિણામો મોટાભાગના રાજ્યોમાં સત્તાધારી પક્ષની વિરુદ્ધ હતા. અપેક્ષાઓથી વિપરીત સત્તાધારી પક્ષે તેની બેઠક ગુમાવી હતી. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ, મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે શિવસેના ગઠબંધન અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે તેમની બેઠકો ગુમાવી છે. તો, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસની જીતથી તેની આશા વધી ગઈ છે.

Web Title: Tripura meghalaya nagaland assembly election result relief bjp congress trouble top 5 messages politics

Best of Express