/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/india-unemployment-rate.jpg)
છેલ્લા 6 વર્ષમાં બેરોજગારી દર ઘટ્યો. (તસવીર: Jansatta)
દેશમાં છેલ્લા 6 વર્ષમાં બેરોજગારીમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર ધરાવતા લોકોની સંખ્યા 47.5 કરોડ હતી, જે હવે 2023-24માં વધીને 64.33 કરોડ થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંકના KLEMS ડેટાબેઝના ડેટા અનુસાર, કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ ગુરુવારે લોકસભામાં આ માહિતી આપી હતી. એક લેખિત જવાબમાં મંત્રી શોભા કરંદલાજેએ કાર્યફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં સતત વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મહિલાઓને રોજગાર મળી રહ્યો છે
Periodic Labour Force Survey (PLFS) ના ડેટા અનુસાર, 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) 2019-20 માં 28.7% થી વધીને 2023-24 માં 40.3% થયો છે. શ્રમ મંત્રાલયે ભારતના બેરોજગારીના આંકડાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતા મીડિયા રિપોર્ટને રદિયો આપ્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે.
મંત્રાલયે PLFS ને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) જેવા આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત ગણાવીને બચાવ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે PLFS એ જાન્યુઆરી 2025 થી માસિક અંદાજ તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેનાથી શ્રમ બજારના વલણો પર વધુ વારંવાર અને સમયસર અપડેટ્સ મેળવવાનું શક્ય બન્યું છે.
આ પણ વાંચો: શું છે શિવ મંદિરનો વિવાદ? જેના પર બે બૌદ્ધ બહુમતી ધરાવતા દેશોમાં શરૂ થયો લોહિયાળ સંઘર્ષ
મુખ્ય હાઇલાઇટ્સ
- શ્રમ દળ ભાગીદારી દર 49.8% (2017-18) થી વધીને 60.1% (2023-24) થયો.
- કામદારોની વસ્તીનો ગુણોત્તર 46.8% થી વધીને 58.2% થયો.
- બેરોજગારી દર 6% થી ઘટીને 3.2% થયો.
- યુવા બેરોજગારી દર 17.8% થી ઘટીને 10.2% થયો, જે વૈશ્વિક સરેરાશ 13.3% કરતા ઓછો છે.
મંત્રાલયે કહ્યું, "આ સુધારાઓ ઉત્પાદક રોજગારમાં કાર્યકારી વયની વસ્તીની વધુ ભાગીદારીનો સંકેત દર્શાવે છે." મંત્રાલયે ખાસ કરીને ભારતના યુવાનોમાં બેરોજગારી વધવાના દાવાઓને ફગાવી દીધા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us