/indian-express-gujarati/media/media_files/2026/01/30/ajit-pawar-wife-sunetra-pawar-2026-01-30-20-31-54.jpg)
અજિત પવારના વાઇફ સુનેત્રા પવાર Photograph: (Express photo)
Ajit Pawar Succession : વિમાન દુર્ઘટનામાં અજિત પવારના આકસ્મિક નિધન પછી સવાલ એ છે કે એનસીપી કયા નેતાને ડેપ્યુટી સીએમ બનાવશે. પાર્ટીએ અજિત પવારના ઉત્તરાધિકારીની પસંદગી માટે પરામર્શ શરૂ કર્યો છે. એનસીપીના નેતાઓના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરી હતી.
સૂત્રો કહે છે કે એનસીપી ધારાસભ્ય દળની બેઠક આગામી એકથી બે દિવસમાં મળે તેવી શક્યતા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી પદ માટે પાર્ટીના નેતા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સૂત્રોને એ પણ જાણવા મળ્યું છે કે નાયબ મુખ્યમંત્રી પદ માટે અજિત પવારના પત્ની સુનેત્રા પવારનું નામ પ્રસ્તાવિત થઈ શકે છે, જોકે પવાર પરિવારે હજી સુધી આ અંગે કંઇ કહ્યું નથી.
પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કર્યા પછી જ નક્કી કરીશું
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે તેમને (મુખ્યમંત્રીને) કહ્યું છે કે શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવો જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કર્યા પછી જ અમારું વલણ નક્કી કરીશું. આજની બેઠકમાં સુનેત્રા પવારના નામ પર કોઈ ચર્ચા થઈ નથી. નાયબ મુખ્યમંત્રી કોને બનાવવામાં આવશે તે અંગેનો નિર્ણય ધારાસભ્યોની સલાહ લીધા પછી લેવામાં આવશે. અમે દરેકનો અભિપ્રાય મેળવ્યા પછી જ નિર્ણય લઈશું.
સુનેત્રા પવાર સાથે વાત કરીશ - પ્રફુલ પટેલ
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સુનેત્રા પવાર મહારાષ્ટ્રના આગામી ડેપ્યુટી સીએમ બની શકે છે તો પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે સુનેત્રાના નામ પર ચર્ચા કરી નથી, તે અમારી આંતરિક ચર્ચા હતી. જનતા અને અમારા ધારાસભ્યોનું માનવું છે કે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. હાલ રાજકીય શોકનો સમય છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી સુનેત્રા પવાર સાથે આ વિશે વાત કરશે. પટેલે કહ્યું કે આ પદ પર ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો - અજિત પવારના નિધન પછી એનસીપીના આગામી પ્રમુખ કોણ, જાણો કોની દાવેદારી છે મજબૂત
એનસીપીના ચીફ વ્હીપ અનિલ ભાઈદાસ પાટિલે કહ્યું કે પાર્ટી નેતૃત્વ સાથે વાત કર્યા બાદ જ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. સુનેત્રા પવારના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પાટિલે કહ્યું કે પાર્ટીના કાર્યકરો આ પદ માટે પવાર પરિવારના કોઇ સભ્યને પ્રાથમિકતા આપી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us