ટ્રમ્પ-પુતિનની મુલાકાત પહેલા ઝેલેન્સકીએ PM મોદી સાથે કરી વાત, રશિયા-યુક્રેન યુદ્ધ પર સ્પષ્ટ કર્યું ભારતનું વલણ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Zelenskyy Speaks to PM Modi

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી (તસવીર: X)

PM Modi Zelensky News: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ દરેક શક્ય યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. ત્યાં જ ઝેલેન્સકીએ કહ્યું કે હું વડા પ્રધાન મોદીનું અમારા લોકોના પ્રત્યે ઉષ્માભર્યા સમર્થન બદલ આભારી છું.

Advertisment

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, "રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરીને અને તાજેતરના ઘટનાક્રમ પર તેમના મંતવ્યો જાણીને મને આનંદ થયો. મેં તેમને સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભારતની મક્કમ સ્થિતિ જણાવી છે. ભારત આ સંદર્ભમાં દરેક શક્ય યોગદાન આપવા તેમજ યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે."

પ્રધાનમંત્રી મોદીના સમર્થન માટે હું આભારી છું - ઝેલેન્સ્કી

ઝેલેન્સ્કીએ એક્સ પર વાતચીત વિશે માહિતી આપતા લખ્યું, "ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મારી લાંબી વાતચીત થઈ. અમે બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. અમારા દ્વિપક્ષીય સહયોગ અને રાજદ્વારી પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ. અમારા લોકોને ઉષ્માભર્યા સમર્થન માટે હું પ્રધાનમંત્રી મોદીનો આભારી છું. મેં તેમને અમારા શહેરો અને ગામડાઓ પર રશિયન હુમલાઓ અને બસ સ્ટેશન પરના હુમલા વિશે જણાવ્યું, જ્યાં રશિયા દ્વારા શહેરી વિસ્તાર પર ઇરાદાપૂર્વક બોમ્બમારા કરવામાં આવતા ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. આ એવા સમયે છે જ્યારે યુદ્ધ સમાપ્ત થવાની રાજદ્વારી શક્યતા છે. યુદ્ધવિરામ માટે તૈયારી બતાવવાને બદલે, રશિયા ફક્ત કબજો અને હત્યાઓ ચાલુ રાખવાની ઇચ્છા બતાવી રહ્યું છે."

Advertisment

આ પણ વાંચો: ભારતમાં રમાનાર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025નું કાઉન્ટડાઉન શરૂ, ટીમ ઈન્ડિયાની નજર એક મિથક તોડવા પર રહેશે

ઝેલેન્સકીએ કહ્યું, "એ મહત્વનું છે કે ભારત અમારા શાંતિ પ્રયાસોને સમર્થન આપી રહ્યું છે અને યુક્રેન સંબંધિત દરેક નિર્ણય યુક્રેનની ભાગીદારીથી લેવો જોઈએ તે દૃષ્ટિકોણ સાથે સંમત છે. અન્ય રીતે પરિણામ નહીં આવે. અમે રશિયા પર પ્રતિબંધોની પણ વિગતવાર ચર્ચા કરી. મેં કહ્યું કે આ યુદ્ધ ચાલુ રાખવા માટે તેની ક્ષમતા અને ધિરાણ ઘટાડવા માટે રશિયન ઊર્જા, ખાસ કરીને તેલની નિકાસ મર્યાદિત કરવી જરૂરી છે. તે મહત્વપૂર્ણ છે કે રશિયા પર નક્કર પ્રભાવ ધરાવતા દરેક નેતા રશિયાને સમાન સંકેતો મોકલે. અમે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન વ્યક્તિગત બેઠકનું આયોજન કરવા અને સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ."

રશિયા યુક્રેન વિશ્વ PM Narendra Modi