બલૂચ લિબરેશન આર્મીનો પાકિસ્તાનમાં 12 સ્થળો પર હુમલો, સુરક્ષાદળના 10 અધિકારીઓ માર્યા ગયા

Pakistan News : બલૂચ અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના પાંચ જિલ્લાઓમાં હુમલા કર્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

Pakistan News : બલૂચ અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના પાંચ જિલ્લાઓમાં હુમલા કર્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

author-image
Ashish Goyal
New Update
Balochistan attacks

બલૂચ લિબરેશન આર્મીનો પાકિસ્તાનમાં 12 સ્થળો પર હુમલો. Photograph: (સોશિયલ મીડિયા)

Pakistan News : બલૂચ અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના પાંચ જિલ્લાઓમાં હુમલા કર્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષા કર્મચારીઓ અને 37 બળવાખોરો માર્યા ગયા હતા.

Advertisment

સ્થાનિક સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલા ગોળીબાર અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું કે પ્રાંતીય રાજધાની ક્વેટામાં તૈનાત એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ સવારે 12 થી વધુ સ્થળોએ એક સાથે હુમલા કર્યા હતા. આ હુમલા મુખ્યત્વે ક્વેટા, પસની, મસ્તંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લામાં થયા હતા.

બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી

મૃતકોની સંખ્યા વિશે વાત કરતા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 37 બળવાખોરો માર્યા ગયા છે. આ હુમલામાં દસ સુરક્ષાકર્મીઓનો મોત થયા છે. જ્યારે કેટલાક અન્ય ઘાયલ થયા છે. તેમણે નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી કારણ કે તેમને મીડિયા સાથે વાત કરવાની સત્તા ન હતી. એકલા ક્વેટામાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓના મોત થયા છે. બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે.

બળવાખોર જૂથે કહ્યું કે તેમનો હેતુ સૈન્ય પ્રતિષ્ઠાનો અને પોલીસ અને નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓને નિશાન બનાવવાનો હતો. આ હુમલા સાથે, જૂથે "ઓપરેશન હીરોફ" ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી એએનઆઈએ બલૂચિસ્તાન પોસ્ટ (ટીબીપી)ના હવાલાથી આ જાણકારી આપી છે.

Advertisment

આ પણ વાંચો - 11,000 ફૂટની ઉંચાઇ પર ફસાયા સેનાના 20 જવાન, ગામના લોકોએ જીવ જોખમમાં મુકી મદદ કરી

આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી

બીએલએ અગાઉ "માતૃભૂમિની રક્ષા" માટે નવો તબક્કો શરૂ કરવાની તેમની યોજનાઓ જણાવી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘણા શહેરોમાં ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ નાગરિક જાનહાનિના અહેવાલ નથી.

હુમલાની પુષ્ટિ કરતા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હુમલો સારી રીતે આયોજિત હતો પરંતુ યોગ્ય રીતે કરવામાં આવ્યો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહીને કારણે બળવાખોરો કોઈ નુકસાન પહોંચાડી શક્યા નથી. . જોકે હજુ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી નથી.

બલૂચિસ્તાન ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે

પાકિસ્તાન ઘણા દાયકાઓથી બલૂચિસ્તાનમાં અલગતાવાદી વિદ્રોહનો સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાન દેશનો દક્ષિણ-પશ્ચિમ પ્રાંત છે, જે અફઘાનિસ્તાન અને ઇરાનની સરહદે છે અને ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે. અહીં બળવાખોરોએ સુરક્ષા દળો, વિદેશી નાગરિકો અને પ્રાંતની બહારના લોકો પર વારંવાર હુમલો કર્યો છે.

વિશ્વ પાકિસ્તાન