30 વર્ષ પહેલા દાદાએ કર્યું રોકાણ, હવે પૌત્ર થયો માલામાલ; 500 રૂપિયાના શેરનો ભાવ જાણી ચોંકી જશો

Chandigarh Doctor Tanmay Motiwala Grandfather Investment in SBI Share Price : ચંદીગઢના રહેવાસી ડૉક્ટર તન્મય મોતીવાલાએ જણાવ્યું છે કે 1994માં તેમના દાદાએ 500 રૂપિયાના શેર ખરીદયા હતા, જેના દસ્તાવેજો તેને તાજેતરમાં મળ્યા છે

Chandigarh Doctor Tanmay Motiwala Grandfather Investment in SBI Share Price : ચંદીગઢના રહેવાસી ડૉક્ટર તન્મય મોતીવાલાએ જણાવ્યું છે કે 1994માં તેમના દાદાએ 500 રૂપિયાના શેર ખરીદયા હતા, જેના દસ્તાવેજો તેને તાજેતરમાં મળ્યા છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Tanmay Motiwala | Tanmay Motiwala Grandfather Invest in SBI Share | Tanmay Motiwala SBI Share Price | SBI Share Price

તન્મય મોતીવાલાને તેમના દાદાએ એસબીઆઈ શેરમાં કરેલા રોકાણના ડોમ્યુમેન્ટ મળ્યા છે. (Photo - @Least_ordinary)

Chandigarh Doctor Tanmay Motiwala Grandfather Investment in SBI Share Price : શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. ટીવી પરની જાહેરાતમાં એવી પણ માહિતી આપવામાં આવી છે કે શેરબજારમાં તમારા પોતાના જોખમે રોકાણ કરો, પરંતુ અહીં રોકાણ કરવું કેટલું ફાયદાકારક રહે છે તે વાત ચંદીગઢના ડોક્ટર તન્મય મોતીવાલાથી વધુ સારી રીતે કોઈ કહી શકે નહીં. વાસ્તવમાં તન્મય મોતીવાલે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે 1994માં તેના દાદાએ 500 રૂપિયાના શેર ખરીદયા હતા અને તેના પેપર હવે તેને 30 વર્ષ બાદ મળ્યા છે.

Advertisment

500 રૂપિયાના શેર 750 ગણા વધી ગયા

ત્રીસ વર્ષ પછી તેના દાદાએ ખરીદેલા શેરના ભાવ હાલ 750 ગણા વધી ગયા છે. તન્મય મોતીવાલે ટ્વિટ કરીને લખ્યું, "મારા દાદા-દાદીએ 1994માં 500 રૂપિયાના શેર ખરીદયા હતા. આ શેર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હતા. મને ખબર નહોતી કે તેના દાદાએ 500 રૂપિયાનું રોકાણ કર્યું છે. મને ખબર નથી કે તેમણે આ શેર શા માટે ખરીદ્યા હતા, પરંતુ જ્યારે હું 30 વર્ષથી મારા પરિવારની સંપત્તિ એકત્રિત કરી રહ્યો હતો, ત્યારે મને તે રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજો મળી ગયા."

નાણાં મળવામાં મુશ્કેલી પડે - તન્મય મોતીવાલ

તન્મય મોતીવાલે વધુમાં જણાવ્યું હતું કે મને મળેલા દસ્તાવેજો મુજબ તે શેરની કિંમતમાં 750 ગણો વધારો થયો છે. તન્મયના તે શેરની આજની કિંમત ૩.૭૫ લાખ રૂપિયા છે. તેમણે પોતાના ટ્વિટમાં આગળ કહ્યું કે, મેં ઘણા લોકોને પૂછ્યું કે તેની હાલની કિંમત શું છે, ઘણા લોકોએ સાચી માહિતી આપી ન હતી, પરંતુ હા 30 વર્ષમાં તેનો નફો 750 ગણો વધી ગયો છે. હકીકતમાં, તે એક મોટી રકમ છે. જો કે, તે રકમ મેળવવી ખૂબ જ મુશ્કેલ હશે કારણ કે તેની પ્રક્રિયા માટે ઘણા બધા દસ્તાવેજો રજૂ કરવા પડશે.

Advertisment

વાયરલ સ્ટોરી પર લોકોના રિએક્શન

તન્મય મોતીવાલની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. તેમની પોસ્ટ આવા લોકોને શેર બજારમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહી છે, જે જોખમને કારણે અથવા લાંબી રાહ જોવાના કારણે ખચકાટ અનુભવે છે. લોકો તેની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું છે કે આ એક રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે આપણા વડીલો પાસેથી શીખવું જોઈએ.

આ પણ વાંચો | વીમા પોલિસીના નવા નિયમ લાગુ, જાણો ક્યા વર્ષે ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરવાથી કેટલા પૈસા મળશે?

એક યુઝરે લખ્યું કે, મારી સાથે પણ એવું થયું જ્યારે મારા દાદા પાસે એસબીઆઈના 500 શેર હતા અને તેઓ એક કર્મચારી હતા, મારા પિતાના મૃત્યુ પછી કોઈક રીતે મને આ બોન્ડ્સ મળ્યા, હું 17 વર્ષનો હતો, બાદમાં નજીકના સ્ટોક બ્રોકર પાસે ગયો અને અમુક પ્રક્રિયા પછી અમે વેચી શક્યા, આ રીતે મેં ઇક્વિટીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.

ટ્રેન્ડિંગ ન્યૂઝ Investment શેર બજાર