ચિનાબ નદીનો નજારો જોઈ સ્થાનિકો આશ્ચર્યચકિત, કહ્યું- આવું પ્રથમવાર જોયું, હવે પાકિસ્તાન પાણી માટે વલખા મારશે

Chenab Water Level Declines: ભારત સરકારે બગલિહાર અને સજલ ડેમ સંપૂર્ણપણે બંધ કર્યા પછી પાકિસ્તાન પર પાણીનો પ્રહાર શરૂ કર્યો છે. ચિનાબ નદીના પાણીના સ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે.

Chenab Water Level Declines: ભારત સરકારે બગલિહાર અને સજલ ડેમ સંપૂર્ણપણે બંધ કર્યા પછી પાકિસ્તાન પર પાણીનો પ્રહાર શરૂ કર્યો છે. ચિનાબ નદીના પાણીના સ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Indus waters treaty, Indus waters treaty provisions,

સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનો અર્થ શું છે? (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

Chenab Water Level Declines: ભારત સરકારે બગલિહાર અને સજલ ડેમ સંપૂર્ણપણે બંધ કર્યા પછી પાકિસ્તાન પર પાણીનો પ્રહાર શરૂ કર્યો છે. ચિનાબ નદીના પાણીના સ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે. અખનૂરના સ્થાનિક રહેવાસી રામસુર શર્માએ કહ્યું કે મારી ઉંમર 75 વર્ષ છે પરંતુ આ પહેલી વાર છે જ્યારે મેં જોયું છે કે ચિનાબ નદીનું પાણી રોકી શકાય છે. હું પીએમ મોદીનો તેમના આ નિર્ણય માટે આભાર માનું છું.

Advertisment

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા રામસુર શર્માએ કહ્યું, 'મેં અખનૂર સેક્ટરમાં જોયું છે કે હું 75 વર્ષનો થઈ ગયો છું અને પહેલી વાર મેં જોયું છે કે ચિનાબ નદીનું પાણી પણ રોકી શકાય છે. હું મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે લીધેલા નિર્ણય માટે અને મને આશ્ચર્ય થયું છે કે ચિનાબ નદીની અંદર પહેલા આટલો ઝડપી પ્રવાહ હતો અને આજે બધું પાણી બંધ થઈ ગયું છે. દોઢ કે બે ફૂટ પાણી છે. મને લાગે છે કે થોડા દિવસો પછી આ પાણી પણ બંધ થઈ જશે.'

પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો - રામસુર શર્મા

એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું, 'પહલગામમાં જ્યાં આતંકવાદીઓ આવ્યા હતા, તેમણે પહેલગામની અંદર આપણા હિન્દુઓને ગોળી મારીને મારી નાખ્યા. આજે મોદીજીએ નિર્ણય લીધો છે કે સૌ પ્રથમ પાકિસ્તાનનું પાણી બંધ કરી દેવું જોઈએ. આજે તેમનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. આજે મને આશા છે કે આવનારા દિવસોમાં પાકિસ્તાનની પરિસ્થિતિ ગમે તે હોય, આપણે તેમની સાથે લડવું જોઈએ. આપણે તેમના પર હુમલો કરવો જોઈએ અને આપણા બધા લોકો સેના સાથે છે. જો આપણે સેના સાથે ખભે ખભો મિલાવીને ચાલીશું તો આપણે પાકિસ્તાનને ભોંયભેગુ કરી નાંખીશું.'

Advertisment

માત્ર દોઢથી બે ફૂટ પાણી બાકી છે - કલ્યાણ સિંહ

સ્થાનિક રહેવાસી કલ્યાણ સિંહે સમાચાર એજન્સી ANI ને જણાવ્યું, 'હું આજે ચિનાબ નદીના કિનારે આવ્યો હતો. મેં અહીં પાણી જોયું. પહેલા ઓછામાં ઓછું 25 થી 30 ફૂટ વહેતું હતું અને આજે તેમાં માત્ર દોઢથી બે ફૂટ પાણી બાકી છે. આ બધું આપણા મોદીજીના કારણે છે. આતંકવાદીઓ દ્વારા આપણા 28 લોકો માર્યા ગયા હોવાને કારણે મોદીજીએ સિંધુ જળ સંધિ રદ કરી છે. અમે તેનાથી ખૂબ ખુશ છીએ. આવનારા સમયમાં પાકિસ્તાન પાણીના એક-એક ટીપા માટે તડપશે. અમે ઇચ્છીએ છીએ કે એક પણ ટીપું પાણી પાકિસ્તાનને ન મળે. આ પાણીનો ઉપયોગ બીજે ક્યાંક થવો જોઈએ. અમારો આખો અખનૂર વિસ્તાર, અમે ભારતીય સેના અને પીએમ મોદીની સાથે છીએ. પીએમ મોદીએ જે પણ નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો છે. આવનારા સમયમાં બીજી સર્જિકલ સ્ટ્રાઈક થવી જોઈએ.

પહલગામ પાકિસ્તાન india દેશ