/indian-express-gujarati/media/media_files/2025/12/27/digvijaya-singh-rahul-gandhi-2025-12-27-15-45-20.jpg)
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને રાહુલ ગાંધી Photograph: (ANI)
Digvijaya Singh News: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે 1990ના દાયકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને ભાજપ અને તેના વૈચારિક જનક આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની પ્રશંસા કરી હતી. જે વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસના નિશાન રહ્યું છે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે Quora નો એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતમાં એક કાર્યક્રમમાં ભાગ લેતા જોવા મળી રહ્યા છે. સ્ક્રીનશોટમાં નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણી પાસે જમીન પર બેઠેલા જોવા મળી રહ્યા છે. દિગ્વિજય સિંહે અડવાણીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીની પ્રશંસા કરી હતી કે કેવી રીતે જમીની સ્તરનો કાર્યકર્તા, જે એક સમયે જમીન પર બેસતો હતો, આરએસએસ-ભાજપના માળખામાં આગળ આવીને મુખ્યમંત્રી અને વડા પ્રધાન બની શકે છે.
દિગ્વિજય સિંહે કહ્યું - આ સંગઠનની તાકાત છે
દિગ્વિજય સિંહે X પર લખ્યું કે મને આ તસવીર Quora સાઇટ પર મળી. ખૂબ પ્રભાવશાળી છે. કેવી રીતે આરએસએસનો જમીની સ્તરનો સ્વયંસેવક અને જનસંઘ/ભાજપનો કાર્યકર્તા નેતાઓના ચરણોમાં જમીન પર બેસીને રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન બન્યા. આ સંગઠનની તાકાત છે. જય સિયા રામ.
દિગ્વિજય સિંહે શેર કરેલી આ તસવીર 1990ના દાયકાની ઐતિહાસિક તસવીર છે, જે ગુજરાતના રાજકારણમાં વડા પ્રધાન મોદીના ઉદયને દર્શાવે છે. આ ફોટોગ્રાફ 1996માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જેમાં તે સમયના ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ પાર્ટીમાં માળખાગત ફેરફારની જરૂર છે: દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે અન્ય એક પોસ્ટમાં કોંગ્રેસમાં સંગઠનાત્મક સુધારાની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે રાહુલ ગાંધીને ટેગ કરીને કહ્યું કે રાહુલ ગાંધીની સામાજિક અને આર્થિક મુદ્દાઓ વિશેની સમજ એકદમ સચોટ છે અને તેમને આ માટે સંપૂર્ણ ગુણ મળે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન ઉપર પણ તેટલું જ ધ્યાન આપે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં લખ્યું હતું કે જેમ ચૂંટણી પંચમાં સુધારાની જરૂર છે, તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટીમાં પણ માળખાકીય ફેરફારો જરૂરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ચોક્કસપણે 'સંગઠન નિર્માણ' શરૂ કર્યું છે, પરંતુ પાર્ટીને વધુ વ્યવહારિક અને વિકેન્દ્રિત રીતે ચલાવવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાહુલ ગાંધી આ કરી શકે છે, જોકે તેમને મનાવવા સરળ નથી.
ભાજપે કહ્યું - સચ્ચાઇનો બોમ્બ
ભાજપે દિગ્વિજય સિંહની પોસ્ટ પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. પાર્ટીના પ્રવક્તા સીઆર કેશવને કહ્યું કે દિગ્વિજય સિંહની ટિપ્પણીએ કોંગ્રેસના "સરમુખત્યારશાહી અને બિનલોકતાંત્રિક" નેતૃત્વનો પર્દાફાશ થયો છે.
તેમણે એક પોસ્ટમાં કહ્યું કે શું રાહુલ ગાંધી સાહસ બતાવશે અને દિગ્વિજય સિંહની પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ચોંકાવનારા સત્ય બોમ્બ પર પ્રતિક્રિયા આપશે, જેમણે પર્દાફાશ કર્યો છે કે કોંગ્રેસનો પહેલો પરિવાર કેવી રીતે નિર્દયતાથી સરમુખત્યારશાહી રીતે પાર્ટી ચલાવે છે અને કોંગ્રેસનું નેતૃત્વ કેટલું નિરંકુશ અને અલોકશાહી છે?
આ પણ વાંચો - દિલ્હી બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો : અમિત શાહ
દિગ્વિજય સિંહની આ પોસ્ટમાં કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ્સ, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને ટેગ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, દિગ્વિજય સિંહની આ પોસ્ટ રાજ્યના રાજકારણમાં ચાલી રહેલા પડકારો વચ્ચે આવી છે. રાજ્યસભામાં તેમનો બીજો કાર્યકાળ આવતા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થાય છે અને ત્રીજી ટર્મ સંભવિત નથી. કમલનાથ અને મીનાક્ષી નટરાજન બંને રાજ્યસભાની રેસમાં છે અને તેમની બેઠકો માટે મજબૂત દાવેદાર બની શકે છે. આ સિવાય મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી અને ધારાસભ્ય દળના નેતા ઉમંગ સિંગારને પણ દિગ્વિજય વિરોધી નેતાઓ માનવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us