/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/manmohan-singh-last-press-conference.jpg)
મનમોહન સિંહની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ઘણા મુશ્કેલ અથવા આપણે કહીએ તો વિવાદાસ્પદ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. (તસવીર: Jansatta))
Manmohan Singh Last Press Conference: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નિધન એક યુગનો અંત છે, તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ખરેખરમાં મનમોહન સિંહનું વ્યક્તિત્વ એવું હતું કે તેમને લઈ એવું કહેવાય છે કે તેઓ વધારે વાત કરતા નહોતા અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન રહેતા હતા. પરંતુ આ 2014ની વાત છે જ્યારે મનમોહન સિંહે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
તે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે યાદ કરવામાં આવે છે કારણ કે આજે પણ જ્યારે વડાપ્રધાન મોદીને તેમના વિરોધીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે, ત્યારે કહેવામાં આવે છે કે પૂર્વ પીએમ મનમોહન સિંહ મીડિયા સાથે વાત કરતા હતા પરંતુ પીએમ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન આવું ક્યારેય કર્યું નથી. મનમોહન સિંહની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ઘણા મુશ્કેલ અથવા આપણે કહીએ તો વિવાદાસ્પદ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ એવા પ્રશ્નો હતા જેને સહેલાઈથી ટાળી શકાય અથવા મૌન રહી શકાય. પરંતુ તે મનમોહન સિંહ હતા જે ડર્યા ન હતા, અટક્યા નહોતા અને તેમણે દરેક સવાલનો હિંમતભેર જવાબ પણ આપ્યો હતો.
ભ્રષ્ટાચાર પર સવાલ
મીડિયાએ મનમોહન સિંહને પહેલો પ્રશ્ન ભ્રષ્ટાચાર વિશે પૂછ્યો હતો. તે સમયે મનમોહન સિંહે ભારપૂર્વક કહ્યું હતું કે ભ્રષ્ટાચારના જે પણ આરોપો છે, તેમાંથી મોટાભાગના યુપીએ 1 દરમિયાન થયા હતા. આ ઉપરાંત અમે મતદારો સમક્ષ ગયા અને તેઓએ અમને મોટો જનાદેશ આપ્યો અને ફરીથી સત્તામાં આવવાની તક આપી. તે સમયના મીડિયા, કેગ અને કોર્ટ દ્વારા સમયાંતરે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ દેશની જનતાએ અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મને કે મારા પક્ષને ભ્રષ્ટાચારના આરોપો સાથે જોડ્યા નથી.
આ પણ વાંચો: જ્યારે મનમોહન સિંહે કહ્યું હતું- નરેન્દ્ર મોદીને પીએમ તરીકે જોવું દેશ માટે વિનાશક હશે
મંત્રીઓના ભ્રષ્ટાચાર પર સવાલો
આમ તો પત્રકારોએ ફરી મનમોહન સિંહને બેફામ સવાલ કર્યો હતો કે પહેલી ટર્મમાં પણ જો મામલો પ્રકાશમાં આવ્યો હોય તો શું તમને નથી લાગતું કે તેનાથી તમારી ઈમેજને સીધું નુકસાન થયું છે. તે સવાલ પર મનમોહન સિંહે ત્યારે કહ્યું હતું કે મને આ અંગે દુઃખ થાય છે કારણ કે મેં જ સામેથી કહ્યું હતું કે સ્પેક્ટ્રમ અરજી પારદર્શક અને ન્યાયી રીતે થવી જોઈએ. મેં જ આગ્રહ કર્યો હતો કે કોલસાના બ્લોકની ફાળવણી હરાજી દ્વારા થવી જોઈએ. પરંતુ આ બધી હકીકતો અવગણવામાં આવી હતી અને ભૂલી ગયા હતા. એ પણ સાચું છે કે વિપક્ષના પોતાના સ્વાર્થ હતા અને કેટલાક પ્રસંગોએ કદાચ મીડિયા પણ તેમના હાથનું રમકડું બની ગયું હતું.
મોદી પર સવાલ
આમ તો એ જ પ્રેસ કોન્ફરન્સમાં મનમોહન સિંહને પૂછવામાં આવ્યું કે મોદી તમને નબળા વડાપ્રધાન કહે છે. ત્યારે તેમણે એવો જોરદાર જવાબ આપ્યો કે તેમના વિરોધીઓના મોં સેવાઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તે ઇતિહાસને આનો નિર્ણય લેવા દેશે. ભાજપ અને તેના સાથી પક્ષોને જે જોઈએ તે બોલવા દો. જો તમારા મજબૂત વડા પ્રધાન બનવાનો અર્થ અમદાવાદના રસ્તાઓ પર નિર્દોષ નાગરિકોની હત્યા કરવી, તો હું સ્વીકારતો નથી કે દેશને આવા મજબૂત વડા પ્રધાનની જરૂર પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us