થાઇલેન્ડમાં ટ્રેન પર ક્રેન પડી, આગ લાગલાથી 22 લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત

crane falls on train in Thailand : થાઇલેન્ડના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં બુધવારે એક પેસેન્જર ટ્રેન પર ક્રેન ધરાશાયી થતાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 80 લોકો ઇજાગ્રસ્ત થયા છે

crane falls on train in Thailand : થાઇલેન્ડના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં બુધવારે એક પેસેન્જર ટ્રેન પર ક્રેન ધરાશાયી થતાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 80 લોકો ઇજાગ્રસ્ત થયા છે

author-image
Ashish Goyal
New Update
Thailand passenger train derail

થાઇલેન્ડના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં બુધવારે એક પેસેન્જર ટ્રેન પર ક્રેન ધરાશાયી થતાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા Photograph: (સોશિયલ મીડિયા)

crane falls on train in Thailand : થાઇલેન્ડના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં બુધવારે એક પેસેન્જર ટ્રેન પર ક્રેન ધરાશાયી થતાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 80 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નાખોન રત્ચાસિમાના જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર એલિવેટેડ હાઇ-સ્પીડ રેલવે ના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતી ક્રેન બેંગકોકથી ઉબોન રત્ચાથાની પ્રાંત જતી ટ્રેન પર પડી હતી. આ ઘટના બાદ ચાલતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે.

Advertisment

વિભાગે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવકર્મી ટ્રેનની અંદર ફસાયેલા લોકોની શોધ કરી રહ્યા છે. આ અકસ્માત નાખોન રત્ચાસિમામાં થયો હતો. મૃતકોની સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના છે. પરિવહન મંત્રી પિફત રત્ચકિતપ્રકને જણાવ્યું હતું કે તેમણે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

ટ્રેનના ત્રણ ડબ્બા પર ક્રેન પડી

પોલીસે જણાવ્યું હતું કે બુધવારે ઉત્તર-પૂર્વ થાઇલેન્ડમાં ત્રણ ટ્રેન કોચ પર એક નિર્માણ ક્રેન પડ્યા બાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને લગભગ 80 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસે રોઇટર્સને જણાવ્યું હતું કે કાટમાળમાં હજી વધુ મૃતદેહો છે જે હજી બહાર કાઢવામાં આવ્યા નથી. 

પોલીસ કર્નલ થાચાપોન ચિનાવોંગે રોઇટર્સને ફોન પર જણાવ્યું હતું કે 19 મૃતદેહો મળી આવ્યા છે પરંતુ હજી પણ કોચની અંદર કેટલાક મૃતદેહો છે જે બહાર કાઢી શકાતા નથી કારણ કે ક્રેન હલવા લાગી હતી તેથી ટીમને જોખમના ડરથી પીછેહઠ કરવી પડી હતી.

Advertisment

ટ્રેનમાં 195 મુસાફરો સવાર હતા

પરિવહન મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રેનમાં 195 મુસાફરો સવાર હતા. તેમણે આ મામલાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. મંત્રીએ કહ્યું કે મૃતકો ક્રેન સાથે અથડાયેલા ત્રણ ડબ્બામાંથી બે કોચમાં સવાર હતા. 

આ પણ વાંચો - શક્સગામ પર દાવપેચ કરી રહેલા ચીનને ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું - ઘાટી અમારું અભિન્ન અંગ છે

મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં ઝાડીઓ નજીક પલટી ગયેલા ડબ્બા અને ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો, જ્યાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ બુઝાવતા જોવા મળ્યા હતા. થાઇલેન્ડમાં નિર્માણાધીન ઘણી એલિવેટેડ હાઇ-સ્પીડ રેલ્વે લાઇનોમાંની એક, હાલની રેલ લાઇનની ઉપર બનાવવામાં આવી રહી હતી.

ટ્રેન અકસ્માત વિશ્વ