/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/sambhal-found-mrityu-well.jpg)
સંભલમાં મળેલા આ કૂપને મૃત્યુ કૂપ તરીકે ઓળખવામાં આવે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
Sambhal News: ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ વીજળી ચોરીને લઈ સર્ચ ઓપરેશન દરમિયા મળેલ 46 વર્ષ જૂના શિવ મંદિર બાદથી તેની આસપાસના વિસ્તારોથી ઘણા ધાર્મિક સ્થળોનો ખુલાસો થયો છે. પ્રશાસનને મંદિર બાદ બિલારીની રાણીની વાવ પણ મળી હતી, જેનું ખોદકામ હાલમાં પણ ચાલુ છે. આ દરમિયાન જ સંભલની સરથલ ચોકી પાસે એક જૂનો કૂપ મળ્યો છે, જેને મૃત્યુ કૂપ જણાવવામાં આવી રહ્યો છે.
આ વિસ્તારમાં કૂવો મળ્યાને લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ કૂપને મૃત્યુ કૂપ તરીકે ઓળખવામાં આવે છે. તેને લઈ દાવો કરવામાં આવે છે કે, આ કૂવામાંથી પાણી લઈને સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની સંભાવના છે. પ્રશાસનને મળેલો આ મૃત્યુ કૂપ શાહી જામા મસ્જીદથી 150 મીટરના અંતર પર છે. જેના કારણે પ્રશાસને ખોદકામ શરૂ કરી દીધુ છે.
પાણીથી સ્નાન પર મોક્ષ પ્રાપ્તિનો દાવો
સંભલમાં મળેલા આ મૃત્યુ કૂપને લઈ આસપાસના લોકોનું કહેવું છે કે, આ કૂવાનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ છે. સ્થાનિક લોકોએ કહ્યું કે, પ્રાચીન કૂપની આસપાસ જ મહામૃત્યુંજય તીર્થ પણ સ્થિત છે.
તેમનું કહેવું છે કે બીજા સમુદાયના લોકો આ તીર્થની જમીન પર માલિકાના હક જતાવતા આવ્યા છે. સ્થાનિક લોકોએ આ કૂપનું પ્રાચીન મહત્ત્વ જણાવતા કહ્યું કે, આ કૂપના પાણીથી સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થવાની માન્યતા હતી.
સ્કંદપુરાણમાં મૃત્યુ કૂપનો ઉલ્લેખ
સંભલમાં 68 તીર્થો અને 19 કૂપોની શોધ કરી રહેલી સંભલની ટીમને આજે સંભલમાં19 કૂપોમાંથી એક મૃત્યુ કૂપ મળ્યો છે. આ કૂપ ઘણા વર્ષો પહેલા વિલુપ્ત થઈ ગયો હતો. જેને ઢાંકીને તેના પર કચરો ફેંકવામાં આવી રહ્યો હતો. કૂપનું વર્ણન સ્કંદ પુરાણમાં હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આ છે પ્રયાગરાજના ફેમસ સ્ટ્રીટ ફૂડ, મહાકુંભમાં જાવ તો તેને ચાખવાનું ભૂલતા નહીં
તમને જણાવી દઈએ કે, સંભલમાં શોધખોળનો આ સિલસિલો સૌથી પહેલા પ્રાચીન શિવ મંદિરની શોધથી શરૂ થયો હતો. આ મંદિરમાં લાંબા સમયથી પૂજાપાઠ બંધ હતો. મંદિર મળ્યા બાદ તેની સાફ-સફાઈ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. બાદમાં આ મંદિરનું નામ સંભલેશ્વર મંદિર રાખવામાં આવ્યું હતું.
તેના પછી જ મંદિરની નજીકમાં બે કૂવાઓ પણ મળ્યા, જેમાં ઘણી ખંડિત મૂર્તિઓ પણ મળી હતી. જેના પછી મુસ્લિમ વિસ્તારથી રાધા-કૃષ્ણનું મંદિર મળ્યું, જેમાં હવે હિંદુ સમદાય પૂજા અર્ચના કરે છે. સંભલમાં કૂલ 19 કૂપો વિશે ઉલ્લેખ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us