આ મંદિરમાં 140 કરોડ રૂપિયાનું સોનું અર્પણ કરશે ભક્ત, મુખ્યમંત્રીએ પોતે કરી જાહેરાત

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના એક ભક્તે તેમના બિઝનેસમાં સફળતા બદલ આભાર માનવા માટે 121 કિલો સોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.

Written by Rakesh Parmar
August 19, 2025 17:15 IST
આ મંદિરમાં 140 કરોડ રૂપિયાનું સોનું અર્પણ કરશે ભક્ત, મુખ્યમંત્રીએ પોતે કરી જાહેરાત
ભગવાન વેંકટેશ્વર સ્વામીના એક ભક્તે તેમના બિઝનેસમાં સફળતા બદલ આભાર માનવા માટે 121 કિલો સોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના એક ભક્તે તેમના બિઝનેસમાં સફળતા બદલ આભાર માનવા માટે 121 કિલો સોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ભક્ત જે સોનું અર્પણ કરવા માંગે છે તેની કિંમત લગભગ 140 કરોડ રૂપિયા છે. આ ભક્ત પોતાની ઓળખ ગુપ્ત રાખવા માંગે છે. મુખ્યમંત્રીએ મંગલગિરીમાં ‘ગરીબી નાબૂદી’ (P4) કાર્યક્રમમાં આ વાત કહી.

ભક્તે કંપની શરૂ કરવાનું સપનું જોયું હતું

નાયડુએ કહ્યું કે આ ભક્તે કંપની શરૂ કરવાનું સપનું જોયું હતું. તેમણે કહ્યું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની કૃપાથી તેમની કંપની માત્ર બની જ નહીં પરંતુ તેને મોટી સફળતા પણ મળી. નાયડુએ કહ્યું, ‘આ ભક્તે નક્કી કર્યું કે તે પોતાની પ્રગતિનો શ્રેય ભગવાનને આપશે. તેથી હવે તે વેંકટેશ્વર સ્વામીને 121 કિલો સોનું અર્પણ કરી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું કે આ ભક્તે તેમની કંપનીના 60 ટકા શેર વેચીને 1.5 અબજ યુએસ ડોલર કમાયા છે.

શું મૂર્તિ 120 કિલો સોનાના આભૂષણોથી શણગારેલી છે?

નાયડુએ કહ્યું કે ભક્ત તેમની સંપત્તિનો એક ભાગ ભગવાનને સમર્પિત કરવા માંગે છે, કારણ કે તેમને લાગે છે કે આ બધું ભગવાન વેંકટેશ્વરની કૃપાથી થયું છે. નાયડુએ એમ પણ કહ્યું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ દરરોજ લગભગ 120 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. જ્યારે આ ભક્તને આ વાતની ખબર પડી ત્યારે તેમણે 121 કિલો સોનું દાન કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: 22 વર્ષની મણિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 બની, જુઓ તેની અદ્ભુત તસવીરો

દર વર્ષે લાખો ભક્તો તિરુપતિની મુલાકાત લે છે

ભગવાન વેંકટેશ્વર સ્વામીનું મંદિર આંધ્રપ્રદેશના તિરુપતિમાં આવેલું છે અને તેને વિશ્વના સૌથી પ્રખ્યાત અને ધનિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. આ મંદિર તેની ભવ્યતા, આધ્યાત્મિક મહત્વ અને દાનની પરંપરા માટે જાણીતું છે. દર વર્ષે ભક્તો આ મંદિરમાં અબજો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ અર્પણ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ