‘અમે પોતે હજુ સુધી મહામંડલેશ્વર બની શક્યા નથી’ મમતા કુલકર્ણીના સંન્યાસ પર ધીરેન્દ્ર શાસ્ત્રી લાલઘુમ

Mamta Kulkarni Mahamandaleshwar: બોલિવૂડ અભિનેત્રીથી કિન્નર અખાડાના મહામંડલેશ્વર સુધીની સફર કરનારી કરણ-અર્જુન ફેમ અભિનેત્રી મમતા કુલકર્ણી પ્રત્યે ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Mamta Kulkarni Mahamandaleshwar: બોલિવૂડ અભિનેત્રીથી કિન્નર અખાડાના મહામંડલેશ્વર સુધીની સફર કરનારી કરણ-અર્જુન ફેમ અભિનેત્રી મમતા કુલકર્ણી પ્રત્યે ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Mamta Kulkarni Mahamandaleshwar, Mamta Kulkarni Kinnar Akhada, Dhirendra Shastri criticism,

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા સામે માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રી જ નહીં પરંતુ સ્વામી રામદેવે પણ વાંધો વ્યક્ત કર્યો છે. (તસવીર: Jansatta)

બોલિવૂડ અભિનેત્રીથી કિન્નર અખાડાના મહામંડલેશ્વર સુધીની સફર કરનારી કરણ-અર્જુન ફેમ અભિનેત્રી મમતા કુલકર્ણી પ્રત્યે ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હવે આ યાદીમાં બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ પણ ઉમેરાયું છે. ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું છે. જેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વાંધો વ્યક્ત કર્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે આવા વ્યક્તિને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય.

Advertisment

ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે કે મહામંડલેશ્વરનું બિરુદ એવી વ્યક્તિને આપવું જોઈએ જેને સંત કે સાધ્વી બનવાની ઈચ્છા હોય. તેમણે કહ્યું કે અમે પોતે હજુ સુધી મહામંડલેશ્વર બની શક્યા નથી. તેમણે કહ્યું કે તે એટલું સરળ નથી. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા સામે માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રી જ નહીં પરંતુ સ્વામી રામદેવે પણ વાંધો વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: ઘઉં કરતા વધું શક્તિશાળી છે આ અનાજનો લોટ, શરીરને થશે 5 ફાયદા

રામદેવે કહ્યું કે કોઈના નામ પહેલાં બાબા ઉમેરવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે કોઈ એક દિવસમાં મહામંડલેશ્વર નથી બનતું, તેના માટે વર્ષોની સાધના કરવી પડે છે. અમે 50-50 વર્ષ સુધી તપસ્યા કરી અને પછી સંતત્વ પ્રાપ્ત કર્યું. તેમણે વધુમાં કહ્યું કે આજકાલ કોઈ પણ વ્યક્તિનું માથું પકડીને તેને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે છે.

ગત શુક્રવારે ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચી હતી અને પવિત્ર ડૂબકી લગાવી હતી. આ સાથે અભિનેત્રીએ પોતાનું ગૃહસ્થ જીવન છોડી દીધું અને સંન્યાસની જાહેરાત કરી અને આ પછી તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવી હતી.

Advertisment
મહાકુંભ bageshwar dham sarkar india દેશ