‘મેં મધ્યસ્થતા નહીં માત્ર મદદ કરી…’, ભારત-પાકિસ્તાન સીઝફાયર વાળા નિવેદનથી ટ્રમ્પે પલટી મારી

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ સીઝફાયરનું ક્રેડિટ લેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હવે બદલાઇ ગયું છે. તેમણે અમેરિકન મિલિટ્રીથી એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન કહ્યું છે કે, હું નથી કહેતો કે મેં મધ્યસ્થતા કરાવી છે, હાં અમે મદદ કરી છે.

Written by Rakesh Parmar
May 15, 2025 19:01 IST
‘મેં મધ્યસ્થતા નહીં માત્ર મદદ કરી…’, ભારત-પાકિસ્તાન સીઝફાયર વાળા નિવેદનથી ટ્રમ્પે પલટી મારી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (તસવીર: X)

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ સીઝફાયરનું ક્રેડિટ લેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હવે બદલાઇ ગયું છે. તેમણે અમેરિકન મિલિટ્રીથી એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન કહ્યું છે કે, હું નથી કહેતો કે મેં મધ્યસ્થતા કરાવી છે, હાં અમે મદદ કરી છે.

તમને જણાવી દઈએ કે અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો, પરંતુ હવે તેઓ પોતે કહી રહ્યા છે કે મેં યુદ્ધવિરામ કરાવ્યું નથી પણ હું કહેવા માંગુ છું કે મેં મદદ કરી છે.

ટ્રમ્પે ઘણી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના ડીજીએમઓએ પોતે ફોન કરીને યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી.

ટ્રમ્પ પોતાના નિવેદનથી પાછળ હટ્યા

કતારના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ હતી. વાતચીત ડ્રોન અને મિસાઇલની ભાષામાં થવાની હતી, તેથી જ મેં બંને દેશો સાથે વાત કરી અને વાતાવરણ શાંત કર્યું. જોકે અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મને આશા છે કે હું અહીંથી ગયા પછી પણ મને સાંભળવા મળશે કે બંને દેશો શાંત છે.

યુદ્ધવિરામ કેવી રીતે થયું?

22 એપ્રિલે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્યારથી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધી મિસાઇલો, ડ્રોન અને ફાઇટર જેટથી ભારત પર સતત હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું – ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી, અમેરિકામાં પ્રોડક્શન વધારો

જોકે ભારતીય સેનાએ હવાઈ સંરક્ષણની મદદથી પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. આ પછી ભારતે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન વાયુસેનાના 11 એરબેઝ, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરો અને રડાર સાઇટ્સ સહિત ઘણા મોટા પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતના ડરથી પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું અને શાંતિ માટે અપીલ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ