'મેં મધ્યસ્થતા નહીં માત્ર મદદ કરી…', ભારત-પાકિસ્તાન સીઝફાયર વાળા નિવેદનથી ટ્રમ્પે પલટી મારી

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ સીઝફાયરનું ક્રેડિટ લેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હવે બદલાઇ ગયું છે. તેમણે અમેરિકન મિલિટ્રીથી એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન કહ્યું છે કે, હું નથી કહેતો કે મેં મધ્યસ્થતા કરાવી છે, હાં અમે મદદ કરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ સીઝફાયરનું ક્રેડિટ લેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હવે બદલાઇ ગયું છે. તેમણે અમેરિકન મિલિટ્રીથી એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન કહ્યું છે કે, હું નથી કહેતો કે મેં મધ્યસ્થતા કરાવી છે, હાં અમે મદદ કરી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Donald trump, India pakistan ceasefire, I did not mediate,

ટ્રમ્પે ઘણી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. (તસવીર: X)

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ સીઝફાયરનું ક્રેડિટ લેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હવે બદલાઇ ગયું છે. તેમણે અમેરિકન મિલિટ્રીથી એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન કહ્યું છે કે, હું નથી કહેતો કે મેં મધ્યસ્થતા કરાવી છે, હાં અમે મદદ કરી છે.

Advertisment

તમને જણાવી દઈએ કે અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો, પરંતુ હવે તેઓ પોતે કહી રહ્યા છે કે મેં યુદ્ધવિરામ કરાવ્યું નથી પણ હું કહેવા માંગુ છું કે મેં મદદ કરી છે.

ટ્રમ્પે ઘણી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના ડીજીએમઓએ પોતે ફોન કરીને યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી.

ટ્રમ્પ પોતાના નિવેદનથી પાછળ હટ્યા

કતારના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ હતી. વાતચીત ડ્રોન અને મિસાઇલની ભાષામાં થવાની હતી, તેથી જ મેં બંને દેશો સાથે વાત કરી અને વાતાવરણ શાંત કર્યું. જોકે અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મને આશા છે કે હું અહીંથી ગયા પછી પણ મને સાંભળવા મળશે કે બંને દેશો શાંત છે.

Advertisment

યુદ્ધવિરામ કેવી રીતે થયું?

22 એપ્રિલે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્યારથી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધી મિસાઇલો, ડ્રોન અને ફાઇટર જેટથી ભારત પર સતત હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું – ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી, અમેરિકામાં પ્રોડક્શન વધારો

જોકે ભારતીય સેનાએ હવાઈ સંરક્ષણની મદદથી પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. આ પછી ભારતે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન વાયુસેનાના 11 એરબેઝ, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરો અને રડાર સાઇટ્સ સહિત ઘણા મોટા પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતના ડરથી પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું અને શાંતિ માટે અપીલ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયું.

અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાકિસ્તાન સંઘર્ષ વિશ્વ