‘ભારતને કોઈ ફરક નથી પડતો યુક્રેનમાં કેટલા લોકો માર્યા જાય…’ ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત માત્ર રશિયા પાસેથી તેલ જ ખરીદી રહ્યું નથી, પરંતુ તેને બજારમાં વેચીને મોટો નફો પણ કમાઈ રહ્યું છે.

Written by Rakesh Parmar
Updated : August 04, 2025 22:28 IST
‘ભારતને કોઈ ફરક નથી પડતો યુક્રેનમાં કેટલા લોકો માર્યા જાય…’ ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (તસવીર:X)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત માત્ર રશિયા પાસેથી તેલ જ ખરીદી રહ્યું નથી, પરંતુ તેને બજારમાં વેચીને મોટો નફો પણ કમાઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ભારતને તેની પરવા નથી કે યુક્રેનમાં કેટલા લોકો માર્યા જાય છે અને હું ટેરિફમાં વધુ વધારો કરીશ. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે હાલમાં ભારત પર 25 ટકા ટેરિફ લાદી દીધો છે.

ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, “ભારત માત્ર મોટી માત્રામાં રશિયન તેલ જ ખરીદી રહ્યું નથી, પરંતુ ખરીદેલા તેલનો મોટો ભાગ ખુલ્લા બજારમાં મોટા નફામાં વેચી રહ્યું છે. તેમને કોઈ પરવા નથી કે રશિયન યુદ્ધ મશીન દ્વારા યુક્રેનમાં કેટલા લોકો માર્યા જાય છે. આ કારણે હું ભારત દ્વારા અમેરિકાને ચૂકવવામાં આવતા ટેરિફમાં નોંધપાત્ર વધારો કરીશ.”

ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે

તમને જણાવી દઈએ કે 30 જુલાઈના રોજ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “યાદ રાખો, ભારત અમારો મિત્ર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, વિશ્વમાં સૌથી વધુ છે અને તેમની પર કોઈપણ દેશ કરતાં સૌથી કડક નાણાકીય અને બિન-નાણાકીય વેપાર પ્રતિબંધો છે. વધુમાં, તેઓએ હંમેશા તેમના મોટાભાગના લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદ્યા છે. ચીનની સાથે તેઓ રશિયાના સૌથી મોટા ઉર્જા ખરીદનાર છે. આ એવા સમયે છે જ્યારે દરેક ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યા બંધ કરે. બધું બરાબર નથી. તેથી ભારતે 1 ઓગસ્ટથી 25% ટેરિફ અને તે પછી દંડ ચૂકવવો પડશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.”

આ પણ વાંચો: ‘ખાલી ચેન નથી લૂંટી, કપડા પણ ફાડ્યા’, મહિલા સાંસદ સાથે દિલ્હીમાં થયેલ લૂંટફાટની કહાની

આ પછી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ સમગ્ર ઘટના પર લોકસભામાં નિવેદન આપ્યું હતું. પીયૂષ ગોયલે કહ્યું હતું કે અમારી નિકાસ સતત વધી રહી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે ચાર રાઉન્ડની બેઠકો યોજાઈ હતી. ગોયલે કહ્યું હતું કે કરાર પર પહોંચવા માટે બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી. પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ, ભારત અને અમેરિકા વચ્ચે વર્ચ્યુઅલ બેઠક પણ યોજાઈ હતી અને વાતચીત ચાલુ છે.

પિયુષ ગોયલે ભારતની તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે વૈશ્વિક વિકાસમાં ભારતનું યોગદાન 16 ટકા છે અને આપણી નિકાસ સતત વધી રહી છે. તેમણે કહ્યું કે યુએઈ સાથે એક ફાયદાકારક વેપાર કરાર પણ થયો છે અને આપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છીએ. પિયુષ ગોયલે કહ્યું કે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે અને આપણે રાષ્ટ્રીય હિતો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ