‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ સેનાને બદનામ કરવી નથી…’, અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી

Allahabad High Court News: અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય સેના વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે કડક ટિપ્પણી કરી હતી.

Allahabad High Court News: અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય સેના વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે કડક ટિપ્પણી કરી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
rahul gandhi, AICC Session Ahmedabad Gujarat

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (તસવીર - સ્ક્રિનગ્રેબ)

Allahabad High Court News: અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય સેના વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ વિદ્યાર્થીની સિંગલ બેન્ચે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં કોઈપણ વ્યક્તિ અથવા ભારતીય સેના પ્રત્યે અપમાનજનક નિવેદનો કરવાની સ્વતંત્રતા શામેલ નથી.

Advertisment

લાઈવ લોના અહેવાલ મુજબ, જસ્ટિસ વિદ્યાર્થીની બેન્ચે કહ્યું હતું કે, 'એમાં કોઈ શંકા નથી કે ભારતના બંધારણની કલમ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપે છે, આ સ્વતંત્રતા ચોક્કસ પ્રતિબંધોને આધીન છે અને તેમાં કોઈપણ વ્યક્તિ અથવા ભારતીય સેના પ્રત્યે અપમાનજનક નિવેદનો કરવાની સ્વતંત્રતા શામેલ નથી.' ગુરુવારે સુનાવણી દરમિયાન, અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી.

શું છે આખો મામલો?

બીઆઓના ભૂતપૂર્વ ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને લખનૌની એક કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે 9 ડિસેમ્બર, 2022ના રોજ ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ અંગે 16 ડિસેમ્બર, 2022ના રોજ રાહુલ ગાંધીની ટિપ્પણી ભારતીય સેના માટે અપમાનજનક હતી. ગાંધીએ કહ્યું હતું કે 'ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના સૈનિકોને માર મારી રહ્યા છે અને ભારતના મીડિયા આ સંદર્ભમાં કોઈ પ્રશ્ન પૂછશે નહીં.'

આ પણ વાંચો: આરસીબીના સ્વાગત માટે બેંગ્લોરમાં ચાહકોની ભીડ, અનુષ્કાએ શેર કર્યો વિરાટનો વીડિયો

Advertisment

રાહુલ ગાંધીના વકીલે શું દલીલ કરી?

રાહુલ ગાંધીના વકીલ પ્રાંશુ અગ્રવાલે દલીલ કરી હતી કે ફરિયાદ વાંચીને જ આરોપો બનાવટી લાગે છે. એવો પણ દલીલ કરવામાં આવ્યો હતો કે ગાંધી લખનૌના રહેવાસી નથી, તેથી આ ફરિયાદ પર તેમને સમન્સ મોકલતા પહેલા નીચલી અદાલતે આરોપોની સત્યતાની તપાસ કરવી જોઈતી હતી અને જો આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા જણાય તો જ તેમને સમન્સ મોકલવા જોઈતા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહને હત્યાનો આરોપી કહેવા બદલ ગાંધી સામે ફોજદારી બદનક્ષીની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

હાઇકોર્ટ Indian army રાહુલ ગાંધી દેશ