સરકારી કર્મચારીઓ આનંદો! 8માં પગાર પંચને લઈ ખુશખબર, કેબિનેટે આપી ToR ને મંજૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે (28 ઓક્ટોબર) 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો (ToR) ને મંજૂરી આપી હતી દીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે (28 ઓક્ટોબર) 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો (ToR) ને મંજૂરી આપી હતી દીધી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
8th pay commission news

8મા પગાર પંચ અંગે મોટા સમાચાર.

8th Pay Commission Latest News: સરકારી કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. મહિનાઓ પછી 8માં પગાર પંચ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે (28 ઓક્ટોબર) 8માં કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો (ToR) ને મંજૂરી આપી હતી દીધી છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025માં અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના અને અમલીકરણને મંજૂરી આપી છે. આ કમિશન વર્તમાન અને નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારીઓના ભથ્થાં, પેન્શન અને પગારની સમીક્ષા કરશે જેથી ફુગાવાને અનુરૂપ તેમાં સુધારો કરી શકાય.

આ પણ વાંચો: ગુજરાતને મળ્યા નવા મુખ્ય સચિવ, જાણો કોણ છે IAS મનોજ કુમાર દાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 8માં કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે. 8મું પગાર પંચ એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય-સચિવ ધરાવતી એડહોક સંસ્થા તરીકે કાર્ય કરશે. આ પંચ તેના બંધારણની તારીખથી 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો અને સંયુક્ત સલાહકાર મિકેનિઝમના કર્મચારી પક્ષ સાથે પરામર્શ કર્યા પછી સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે.

Advertisment

આયોગની ભલામણોમાં સંરક્ષણ સેવાના કર્મચારીઓ સહિત આશરે 5 મિલિયન કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને આશરે 6.9 મિલિયન પેન્શનરોનો સમાવેશ થશે.

કેન્દ્ર સરકાર સરકારી નોકરી