'ભારતમાં ફક્ત સાડી પહેરેલી મહિલા જ વડાપ્રધાન બનશે', ઓવૈસીના હિજાબ નિવેદન પર રામભદ્રાચાર્યનો જવાબ

હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે બંધારણીય રીતે ભારતમાં કોઈપણ વડાપ્રધાન બની શકે છે, પરંતુ ભારત હિન્દુ સંસ્કૃતિ ધરાવતું હિન્દુ રાષ્ટ્ર છે, અને તેમને વિશ્વાસ છે કે ભારતના વડાપ્રધાન હંમેશા હિન્દુ રહેશે.

હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે બંધારણીય રીતે ભારતમાં કોઈપણ વડાપ્રધાન બની શકે છે, પરંતુ ભારત હિન્દુ સંસ્કૃતિ ધરાવતું હિન્દુ રાષ્ટ્ર છે, અને તેમને વિશ્વાસ છે કે ભારતના વડાપ્રધાન હંમેશા હિન્દુ રહેશે.

author-image
Rakesh Parmar
New Update
Rambhadracharya

પીએમ મોદી સાથે જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય. Photograph: (ફાઈલ ફોટો)

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના નિવેદનથી રાજકીય તણાવ ફેલાયો છે. રામભદ્રાચાર્ય અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ઓવૈસીના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે બંધારણીય રીતે ભારતમાં કોઈપણ વડાપ્રધાન બની શકે છે, પરંતુ ભારત હિન્દુ સંસ્કૃતિ ધરાવતું હિન્દુ રાષ્ટ્ર છે, અને તેમને વિશ્વાસ છે કે ભારતના વડાપ્રધાન હંમેશા હિન્દુ રહેશે.

Advertisment

હિમંતાનું આ નિવેદન ઓવૈસીના દાવાના જવાબમાં આવ્યું છે કે હિજાબ પહેરેલી મહિલા એક દિવસ ભારતના વડાપ્રધાન બનશે. ઓવૈસીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર રેલી દરમિયાન ભારત અને પાકિસ્તાનના બંધારણીય માળખાની તુલના કરતા કહ્યું હતું કે ભારતીય બંધારણ તમામ સમુદાયોને સમાન અધિકાર આપે છે.

AIMIMના વડાના નિવેદનનો જવાબ આપતા હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે કોઈ બંધારણીય પ્રતિબંધ નથી. કોઈપણ વ્યક્તિ વડા પ્રધાન બની શકે છે, પરંતુ ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, એક હિન્દુ સભ્યતા છે અને અમે હંમેશા માનીએ છીએ, અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતના વડા પ્રધાન હંમેશા હિન્દુ રહેશે.

ઓવૈસીના નિવેદન અંગે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, "આ દુર્ભાગ્યપૂર્ણ છે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. હામિદ અંસારીને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તેમને બીજું શું જોઈએ છે?... તેઓ દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે. જો ભારતમાં કોઈ મહિલા વડા પ્રધાન બને છે તો તે સાડી પહેરેલી હશે."

Advertisment

'ઈન્ડિયન આઈડલ 3' ના વિજેતા પ્રશાંત તામંગનું હૃદયરોગના હુમલાથી અવસાન;'બેટલ ઓફ ગલવાન' માં આવશે નજર

આ પહેલા ઓવૈસીએ કહ્યું હતું કે ભારતીય બંધારણ બધા સમુદાયોને સમાન દરજ્જો આપે છે અને એક દિવસ આવશે જ્યારે હિજાબ પહેરેલી મહિલા ભારતના વડા પ્રધાન બનશે. AIMIM વડાએ આની સરખામણી પાકિસ્તાન સાથે કરતા કહ્યું હતું કે તેમનું બંધારણ ટોચના બંધારણીય હોદ્દાઓને એક જ સમુદાય સુધી મર્યાદિત કરે છે, જ્યારે ભારતમાં આવી કોઈ પ્રતિબંધ નથી.

15 જાન્યુઆરીએ યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા ઓવૈસીએ આ નિવેદન મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર રેલી દરમિયાન આપ્યું હતું. ઓવૈસીએ કહ્યું હતું કે ભલે તેઓ તે દિવસ જોવા માટે જીવિત ન હોય, પરંતુ ભવિષ્યમાં તે ચોક્કસ બનશે.

india દેશ