સાઉદી અરબમાં ભીષણ અકસ્માત; 9 ભારતીયોના મોત, વિદેશ મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે.

Written by Rakesh Parmar
Updated : January 29, 2025 18:03 IST
સાઉદી અરબમાં ભીષણ અકસ્માત; 9 ભારતીયોના મોત, વિદેશ મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
(પ્રતિકાત્મક તસવીર: Freepik)

સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે. કમિશને જણાવ્યું કે આ દુર્ઘટના પશ્ચિમ સાઉદી અરબમાં જિજાનની પાસે થઈ છે. કમિશને જણાવ્યું કે, તેઓ આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે. ભારતીય કમિશન સાઉદીના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે જ્યાંથી તેમને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.

એસ જયશંકરને દુ:ખ વ્યક્ત કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ દુર્ઘટના અને લોકોના મોત વિશેને જાણકારી ખુબ જ દુખદ છે. એક્સ પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, જેદ્દામાં આપણા મહાવાણિજ્યદૂત સાથે વાત થઈ, જેઓ સંબંધિત પરિવારો સાથે સંપર્કમાં છે. તેઓ આ દુખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ