સાઉદી અરબમાં ભીષણ અકસ્માત; 9 ભારતીયોના મોત, વિદેશ મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે.

સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Dholera accident, Ahmedabad accident, Bhavnagar, five people died,

(પ્રતિકાત્મક તસવીર: Freepik)

સાઉદી અરબમાં ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દામાં ભારતીય કમિશને આ માહિતી આપી છે. કમિશને જણાવ્યું કે આ દુર્ઘટના પશ્ચિમ સાઉદી અરબમાં જિજાનની પાસે થઈ છે. કમિશને જણાવ્યું કે, તેઓ આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે. ભારતીય કમિશન સાઉદીના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે જ્યાંથી તેમને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.

Advertisment

એસ જયશંકરને દુ:ખ વ્યક્ત કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ દુર્ઘટના અને લોકોના મોત વિશેને જાણકારી ખુબ જ દુખદ છે. એક્સ પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, જેદ્દામાં આપણા મહાવાણિજ્યદૂત સાથે વાત થઈ, જેઓ સંબંધિત પરિવારો સાથે સંપર્કમાં છે. તેઓ આ દુખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

વિશ્વ દુબઇ ગુજરાતી ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ