/indian-express-gujarati/media/media_files/2026/01/12/pm-modi-german-chancellor-2026-01-12-18-06-30.jpg)
એક બેઠક દરમિયાન પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ Photograph: (@narendramodi)
PM Modi-German Chancellor Merz : ભારતના પ્રથમ પ્રવાસ પર જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સોમવારે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા. જર્મન ચાન્સેલર ફ્રેડરિકે ભારતીયો માટે જર્મનીમાં વિઝા ફ્રી ટ્રાન્ઝિટની જાહેરાત કરી છે. આ સાથે તેમણે પીએમ મોદી સાથે બંને દેશો વચ્ચે અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે એક નિવેદન આપ્યું હતું કે ભારત અને જર્મની વચ્ચે નજીકના સુરક્ષા સહયોગથી રશિયા પર ભારતની નિર્ભરતા ઓછી થશે. તેમના નિવેદન પર વિવાદ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે જવાબ આપ્યો હતો.
ભારતે શું જવાબ આપ્યો?
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે તેઓ (ફ્રેડરિક મર્ઝ) ભારતના સંદર્ભમાં રક્ષા અને સુરક્ષા નીતિ પ્રત્યે જર્મનીના અભિગમમાં આવેલા ફેરફારનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રક્ષા સામગ્રીની ખરીદી માટે અમારો (ભારત) અભિગમ સંપૂર્ણપણે આપણા રાષ્ટ્રીય હિતોથી પ્રેરિત છે.
તેમણે કહ્યું કે તે ચોક્કસપણે વૈચારિક નથી. હું એમ કહીશ નહીં કે એક દેશમાંથી ખરીદીને બીજા દેશ પાસેથી ખરીદીથી કોઇ સંબંધ છે. જો આપણે તેને બહારથી ખરીદવા જઇ રહ્યા છીએ અને તેને સ્થાનિક સ્તરે ઉત્પાદન કરતા નથી તો આપણે તે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે વિશ્વમાં આપણે તેને સૌથી અનુકૂળ રીતે ક્યાંથી મેળવી શકીએ છીએ.
જર્મન ચાન્સેલરે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન આ વાત કહી હતી
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે જર્મની, ભારતની રશિયા પર નિર્ભરતા ઘટાડવા માટે સુરક્ષા મુદ્દાઓ પર ભારત સાથે વધુ નજીકથી સહયોગ કરવા માંગે છે.
આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને જર્મની સુરક્ષિત, વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક આપૂર્તિના નિર્માણ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર આજે હસ્તાક્ષર કરાયેલા એમઓયુ અમારા સહયોગને નવી ગતિ અને મજબૂતી આપશે.
આ પણ વાંચો - ઈરાને વિરોધીઓને મૃત્યુદંડની ધમકી આપી, 72 પ્રદર્શનકારીઓના મોત, 2300 થી વધુની અટકાયત
જર્મન ચાન્સેલરની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ સમયગાળા દરમિયાન બંને દેશોએ મહત્વપૂર્ણ ખનિજો, આરોગ્ય ક્ષેત્ર અને AI ઇનોવેશન સેન્ટર સહિત અનેક AMU પર હસ્તાક્ષર કર્યા છે.
આતંકવાદ પર સંયુક્ત નિવેદન જાહેર કર્યું
ભારત અને જર્મનીએ આતંકવાદના મુદ્દે સ્પષ્ટ નિવેદનો જારી કર્યા હતા. પોતાના નિવેદનમાં બંને દેશોના નેતાઓએ સરહદ પારના આતંકવાદ સહિત આતંકવાદ અને હિંસક ઉગ્રવાદના તમામ સ્વરૂપો અભિવ્યક્તિઓની સ્પષ્ટ ટિકા કરી હતી.
#WATCH | Gandhinagar, Gujarat | On German Chancellor Friedrich Merz's statement that closer India-Germany security cooperation will reduce India's reliance on Russia, Foreign Secretary Vikram Misri says, "He was pointing to the change in Germany's approach with regard to defence… pic.twitter.com/xC2v504dni
— ANI (@ANI) January 12, 2026
તેમણે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વિસ્તૃત અને ટકાઉ રીતે આતંકવાદ સામે લડવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસો માટે આહ્વાન કર્યું હતું.
પહેલગામ આતંકી હુમલા અને દિલ્હી બોમ્બ વિસ્ફોટની નિંદા કરી
બંને નેતાઓએ 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અને 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીમાં આતંકવાદી ઘટનાની સખત નિંદા કરી હતી. બંને પક્ષોએ તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આતંકવાદીઓના સલામત આશ્રયસ્થાનો અને માળખાગત સુવિધાઓને નાબૂદ કરવા તેમજ આતંકવાદી નેટવર્ક અને ધિરાણને વિક્ષેપિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખવા આહવાન કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us