CCS ની બેઠકમાં ભારત સરકારે લીધા 5 મોટા નિર્ણય, પાકિસ્તાન પાણી માટે તરસશે

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સીસીએસના નિર્ણયમાં સિંધુ જળ સંધિને રોકી દેવામાં આવી છે.

Written by Rakesh Parmar
Updated : April 23, 2025 21:42 IST
CCS ની બેઠકમાં ભારત સરકારે લીધા 5 મોટા નિર્ણય, પાકિસ્તાન પાણી માટે તરસશે
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. (તસવીર: X)

Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પછી પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી એક પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સીસીએસના નિર્ણયમાં સિંધુ જળ સંધિને રોકી દેવામાં આવી છે.

પહેલગામ હુમલા અંગે સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. રાજનાથ સિંહ 7- લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.

ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલની હાજરીમાં પીએમ નિવાસસ્થાને CCS ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના સંકેતો મળી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

સીસીએસની બેઠકમાં લેવાયેલા નિર્ણયો

  • સિંધુ જળ સંધિ બંધ કરી દેવામાં આવી છે.
  • પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ રહેશે.
  • પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.
  • અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો અને શોકનું વાતાવરણ છે. દરમિયાન આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ પછી સંરક્ષણ મંત્રીએ વાયુસેનાના એક કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે પહેલગામમાં ધર્મને નિશાન બનાવતા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અત્યંત અમાનવીય કૃત્યએ આપણને બધાને ઊંડા દુઃખ અને પીડામાં ડુબાડી દીધા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ