/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/US-illegal-Patel-immigrant.jpg)
કોંગ્રેસે ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)
US Illegal immigrant: ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો યુએસ સી-147 લશ્કરી વિમાનમાં ભારત પહોંચ્યો છે. આ વિમાનમાં 104 ભારતીયો સવાર હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને લશ્કરી વિમાન બુધવારે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર અને 79 પુરુષો હતા. દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો ઉપરાંત, વિમાનમાં 11 ક્રૂ સભ્યો અને 45 અમેરિકી અધિકારીઓ સવાર હતા. આ દરમિયાન કોંગ્રેસે બુધવારે દાવો કર્યો હતો કે અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહેલા ભારતીયોને હાથકડી પહેરાવવામાં આવી હતી અને અપમાનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય વિપક્ષી પાર્ટીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના મીડિયા અને પ્રચાર સેલના વડા પવન ખેરાએ જણાવ્યું હતું કે, "એક ભારતીય તરીકે અમેરિકામાંથી દેશનિકાલ કરતી વખતે ભારતીયોને હાથકડી પહેરાવવામાં આવી અને અપમાનિત કરવામાં આવતી તસવીરો જોઈને મને દુઃખ થાય છે."
કોંગ્રેસે ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો
ખેરાએ એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું, “મને યાદ છે કે ડિસેમ્બર 2013 માં, ભારતીય રાજદ્વારી દેવયાની ખોબરાગડેને અમેરિકામાં હાથકડી લગાવવામાં આવી હતી અને કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી હતી. તે સમયે વિદેશ સચિવ સુજાતા સિંહે યુએસ એમ્બેસેડર નેન્સી પોવેલ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, “યુપીએ સરકારે આનો યોગ્ય જવાબ આપ્યો હતો. મીરા કુમાર, સુશીલ કુમાર શિંદે અને રાહુલ ગાંધી જેવા નેતાઓએ તે સમયે ભારતની મુલાકાતે આવેલા યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ (જ્યોર્જ હોલ્ડિંગ, પીટ ઓલ્સન, ડેવિડ શ્વેઇકર્ટ, રોબ વુડોલ અને મેડેલીન બોર્ડાલો) ને મળવાનો ઇનકાર કર્યો હતો.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીયો સાથેના વર્તન પર મોદી કેમ ચૂપ છે- કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો
2013ની ઘટના અંગે પવન ખેરાએ કહ્યું કે તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે અમેરિકાની કાર્યવાહીને નિંદનીય ગણાવી હતી. ખેડાએ જણાવ્યું,"ભારત સરકારે યુએસ એમ્બેસીને આપવામાં આવતા અનેક ભથ્થાં પાછા ખેંચી લીધા હતા, જેમાં દૂતાવાસના કર્મચારીઓ દ્વારા રાહત દરે ખોરાક અને દારૂની આયાતનો સમાવેશ થાય છે."
આ પણ વાંચો: ડિપોર્ટેશન માટે મોંઘા સૈન્ય વિમાનનો ઉપયોગ કેમ કરી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ?
કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ પણ અમેરિકન સરકાર ભારતીયોને આપણા દેશમાં પાછા મોકલવાની રીતનો વિરોધ કર્યો છે. “જે રીતે તેમને સાંકળોથી બાંધવામાં આવી રહ્યા છે તે અપમાનજનક અને અમાનવીય છે. મને સમજાતું નથી કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીયો સાથે કરવામાં આવતા વર્તન પર પીએમ મોદી કેમ ચૂપ છે?"
ભારતીયોના દેશનિકાલ અંગે, દિલ્હીમાં યુએસ દૂતાવાસના પ્રવક્તાએ મંગળવારે કહ્યું હતું કે, “અમેરિકા તેની સરહદ પર કડક નજર રાખી રહ્યું છે, ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર કરી રહ્યું છે. આ પગલાં સ્પષ્ટ સંદેશ આપે છે કે ગેરકાયદેસર સ્થળાંતર જોખમ લેવા યોગ્ય નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us