/indian-express-gujarati/media/media_files/2026/01/14/iran-protests-news-updates-2026-01-14-20-12-14.jpg)
ઇરાનમાં વિરોધ પ્રદર્શનો યથાવત્ છે Photograph: (સોશિયલ મીડિયા)
Iran Protests News Updates: ઈરાનમાં વિરોધ પ્રદર્શનોએ ખૂબ જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઇરાની શાસન આ પ્રદર્શનોને દબાવવા માટે શક્ય તેટલા પ્રયાસ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનમાં અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ભારતે ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
એડવાઈઝરીમાં ભારતે પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ આપી છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીયોને હવાઈ સહિત અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક ઈરાન છોડવાની વિનંતી કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને પીછેહઠ ન કરવા કહ્યું
ઈરાનની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અટકવાનું નામ લઈ રહ્યા નથી. મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને તેમની સરકારી સંસ્થાઓ પર કબજો જમાવવા જણાવ્યું હતું અને તેમને કોઈ પણ સંજોગોમાં પીછેહઠ ન કરવાની અપીલ કરી હતી. તેમણે પ્રદર્શનકારીઓને ખાતરી પણ આપી હતી કે તેમના માટે મદદ મોકલવામાં આવી રહી છે.
બીજી તરફ ઈરાનના અધિકારીઓએ અમેરિકા અને ઈઝરાયલ પર પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો અને ઈરાનને અશાંત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નાગરિકોના મોત માટે આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને વધુ સાવચેતી રાખવા, વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોથી દૂર રહેવા, તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા અને મુસાફરી અને ઓળખ દસ્તાવેજો તૈયાર રાખવા જણાવ્યું છે. સાથે તેમણે પોતાની આસપાસની ઘટનાઓ પર નજર રાખવાની પણ વિનંતી કરી છે.
— India in Iran (@India_in_Iran) January 14, 2026
ભારતીય દૂતાવાસે નોન-રજિસ્ટર્ડ નાગરિકોને તાત્કાલિક નોંધણી કરાવવા જણાવ્યું છે. સાથે જ કોઈપણ પ્રકારની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર છે: +989128109115, +989128109109, +989129109102 और +989932179359.
પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના પાસપોર્ટ અને આઈડી સહિત તેમના મુસાફરી અને ઇમિગ્રેશન દસ્તાવેજો રાખે. તેઓ આ સંબંધમાં કોઇપણ સહાય માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો - થાઇલેન્ડમાં ટ્રેન પર ક્રેન પડી, આગ લાગલાથી 22 લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત
તમામ નાગરિકો અને અધિકારીઓએ સાવચેતી રાખવી જોઈએ અને વિરોધ સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. તેહરાનમાં દૂતાવાસ સાથે સંપર્કમાં રહો અને સ્થાનિક મીડિયા પર નજર રાખો.
280 સ્થળોએ ભયંકર અથડામણ
બુધવારે ઇરાનમાં ફુગાવા સામેના વિરોધ પ્રદર્શન તેના 20 મા દિવસમાં પ્રવેશ્યા છે. અહેવાલો અનુસાર ઈરાનમાં 280 સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘાતક અથડામણ થઈ છે.
રોઇટર્સના અહેવાલ મુજબ અમેરિકાએ વધતા તણાવના જવાબમાં સાવચેતીના પગલા તરીકે બુધવારે સાંજ સુધીમાં મધ્ય પૂર્વમાં કતારના તેના સૌથી મોટા સૈન્ય મથક અલ-ઉદૈદ એરબેઝને ખાલી કરવાની સલાહ આપી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us