/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Jairam-Ramesh.jpg)
જગદીપ ધનખડે 21 જુલાઈ 2025ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)
કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોમવારે 21 જુલાઈની સાંજથી રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના 'ગુમ' થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય એક ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ વચ્ચેની મુલાકાતનો અર્થ જાણવા માંગ્યો અને પૂછ્યું કે શું થઈ રહ્યું છે. જગદીપ ધનખડે 21 જુલાઈ 2025ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં પ્રશ્ન કર્યો, "રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ 21 જુલાઈની સાંજથી ગુમ છે, ન તો જોયા, ન સાંભળ્યા, ન વાંચ્યા પરંતુ તેલુગુ મીડિયાના અહેવાલો અનુસાર, રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ (નાયડુ) તાજેતરમાં 45 મિનિટ માટે વડા પ્રધાનને મળ્યા હતા. શું થઈ રહ્યું છે?"
The immediate former Chairman of the Rajya Sabha has gone missing since the evening of July 21st--unseen, unheard, unread.
But according to the Telugu media, the former former Chairman of the Rajya Sabha met the PM very recently for 45 minutes. What is going on?— Jairam Ramesh (@Jairam_Ramesh) August 11, 2025
21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા પછી જગદીપ ધનખડ જાહેરમાં જોવા મળ્યા નથી, જ્યારે વેંકૈયા નાયડુ તાજેતરમાં દિલ્હીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીને મળ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us